________________
૮૮
શ્રી ધર્મસ્પદ્રુમ મહાકાવ્ય દેવીસમાન સૌભાગ્યદિપિકા નામે પુત્રી થઈ. અત્યંત લાલનપાલન કરાતી તે પુત્રી યોગ્યવયે અભ્યાસ કરતાં સરસ્વતી જેવી થઈ. અનુક્રમે યૌવનાવસ્થા પામતાં તે લોકોના મનને મોહ ઉત્પન્ન કરે તેવી થઈ.
તે અવસરે કનકપુર નામના નગરમાં ધનવાદ નામે શ્રેષ્ઠી રહેતો હતો. તેને ગુણીપુરુષમાં પ્રધાન એવા નરકુંજર નામનો પુત્ર હતો. અનુક્રમે તે પુત્ર સર્વ કળાયુક્ત અને પરદારાથી વિરક્ત. થયો. તેને ધનદત્ત શ્રેષ્ઠીએ પોતાની પુત્રી આપી. તે પુત્રી પરણીને શ્વસુરગૃહે આવી. એક દિવસ તે પોતાના ઘરના ગવાક્ષમાં બેઠી હતી ત્યારે આકાશમાર્ગે ગમન કરતા કોઈક વિદ્યાધરે તેને જોઈ. તેથી રાગાંધ થઈને તે વિદ્યાધર તેની પાસે આવ્યો અને મધુર વચનો વડે બોલાવવા લાગ્યો, તેમજ અનેક પ્રકારની દિવ્યશક્તિવડે તે પોતાનું અપૂર્વ સ્વરૂપ બતાવવા લાગ્યો. સૌભાગ્યદિપીકાએ તેને કાંઈપણ ઉત્તર આપ્યો નહિ અને મનથી પણ કિંચિત્ આદર આપ્યો નહી તેથી પાપબુદ્ધિવાળા તે વિદ્યાધરે કહ્યું કે-“મને કામરૂપ સર્ષે મર્મસ્થાનમાં દંશ દીધો છે, તેથી હે પ્રિયે ! તું વચનરૂપ અમૃતના સિંચનવડે તે વિષનો નાશ કર. મને કામદેવના સપ્ત પ્રહારથી ઘણી વેદના થાય છે, તેથી હું બળાત્કારે પણ તારા શરીરનું આલિંગન કરીશ.” આ પ્રમાણે કહીને તે વિદ્યાધર તેનું શીલભંગ કરવા તત્પર થયો, તેટલીવારમાં તેણીએ કહ્યું કે–“રે પાપી ! મારું વચન સાંભળતું મારા સત્ય એવા શીલવતને ભંગ કરવા તૈયાર થયો છે, તે પાપથી મારા : શાપથી તું તત્સણ નાશ પામી જઈશ. તે વિદ્યાધરાધમ ! મારા શાપથી તારા પુત્ર ને સ્ત્રીઓ સહિત તેમજ દેશ ને રાષ્ટ્રહિત તું પ્રલયપણાને પામી જઈશ.”
આ પ્રમાણેના તેના વચનો સાંભળીને વિદ્યાધર ફરી બોલ્યો કે–“હે મુગ્ધ ! અત્યારે દિવસ હોવાથી પાછો જાઉં છું. રાત્રે આવીશ. તે વખતે તને હરણ કરીને મારા નગરમાં લઈ જઈશ અને તારી સાથે વિષયસુખ ભોગવીશ, પછી તું શું કરીશ ?” ત્યારે સૌભાગ્યદીપિકા બોલી કે- “મારા વચનથી આજે સૂર્ય જ અસ્ત પામશે નહીં.” ત્યારબાદ વિદ્યાધર પોતાને નગરે ગયો. ત્યાં અકસ્માત તેના મકાનમાં આગ લાગી અને તેથી ક્ષણમાત્રમાં કુટુંબ સહિત તેનું ઘર બળી ગયું. તે જ વખતે તેના હાથી, ઘોડા અને રથ તથા પાયદળ સેના નાશ પામી અને વૈરીએ આવીને તેનું રાજ્ય લઈ લીધું.
આ પ્રમાણે ઉત્પાત થવાથી તે વિલક્ષ થઈને ચિંતવવા લાગ્યો કે-“અરે ! આ શું થઈ ગયું! જરૂર અત્યારે મારું દુર્ભાગ્ય વર્તે છે.” આ પ્રમાણે વિચારતો તે એકલો બેઠો હતો તેટલામાં એક વિદ્યાધર તેની પાસે આવીને બોલ્યો કે–“હે મિત્ર ! આજે તો મેં એક મોટું આશ્ચર્ય જોયું. હું તીર્થયાત્રા કરવા માટે નીકળતાં તેમપુરે ગયો હતો, ત્યાં ત્રણ દિવસથી સૂર્ય અસ્ત પામતો નથી. ત્યાંના લોકો આ ઉત્પાત માની તેની શાંતિ માટે અનેક પ્રકારના શાંતિક પૌષ્ટિક કર્મ કરે છે, પરંતુ હજુ સૂર્ય અસ્ત પામતો નથી, નિશ્ચલ રહેલો છે.”
આ પ્રમાણે હકીકત સાંભળી ચકિત થયેલો વિદ્યાધર વિચારવા લાગ્યો કે-“તે સતીનું વચન ખરેખરું સત્ય જણાય છે. એના શાપથી મારો હજુપણ વિશેષ વિનાશ થશે તો પછી હું શું કરીશ? જોકે મારું ઘણું તો વિનાશ પામી ગયું છે તેથી મસ્તક મુંડાવ્યા પછી મુહૂર્ત શું