________________
શ્રી ધર્મભ્યઠ્ઠમ મહાકાવ્ય કૃષ્ણ કહે છે કે- હે અર્જુન ! જે માતાપિતાનો ભક્ત છે, ગુરુ અને ગોત્રીનો વિનય કરનાર છે અને દુર્ભિક્ષના સમયમાં અન આપનાર છે, તે જ પુરુષ ઉત્તમ કહેવાય છે. જેમ ધર્મમાં દયાધર્મ, ગુણમાં દાન અને પ્રિય વસ્તુઓમાં સ્વાદ અન શ્રેષ્ઠ ગણાય છે તેમજ પૃથ્વી પર ઉપકારમાં મેઘ અને તીર્થમાં માતાપિતા શ્રેષ્ઠ ગણાય છે. અર્થાત્ માતાપિતા શ્રેષ્ઠ તીર્થરૂપ છે.
એક વખત તે નગરીમાં સુમિત્ર નામના આચાર્ય પધાર્યા. વનપાલકે રાજાને વધામણી. આપી. રાજા પણ આચાર્ય ભગવંતને વંદન કરવા ગયા. આચાર્ય ભગવંતને વિધિપૂર્વક વંદના કરીને રાજા તેમની પાસે બેઠા ત્યારે ગુરુમહારાજે વૈરાગ્યપૂર્ણ ધર્મદેશનાનો આરંભ કર્યો. હું ભવ્યજીવો ! આ ભવસમુદ્ર મહાનું અને અગાધ છે, પુણ્યરૂપી પ્રવહણ સિવાય તેનો પાર પામી શકાય તેમ નથી. તેમાં પણ ક્ષમાધર્મ વિના વિદ્યાવડે, તપવડે કે તીર્થયાત્રા વડે નિવૃત્તિ (મોક્ષ)ની પ્રાપ્તિ થઈ શકે તેમ નથી. તેથી ક્ષમાધર્મની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો, બીજા વિકલ્પો કરવા નહીં. શાસ્ત્રકાર કહે છે કે–હોમ કર્યા વિના, તપ તપ્યા વિના અને કાંઈ પણ દાન દીધા વિના આશ્ચર્ય છે કે અમૂલ્ય એવી નિવૃત્તિ-શાંતિ (મોક્ષ) માત્ર ક્ષમાથી પ્રાપ્ત થાય છે. જુઓ ! પૂર્વે એક કન્યાને માટે અનેક પ્રકારના, કષ્ટ સહન કરનારને તે ન મળી, પણ ક્ષમા રાખીને ત્યાં જ રહીને તેને આહાર આપનારને તે મળી. તે કથા આ પ્રમાણે–
નંદાનું દષ્ટાંત * શ્રીપુર નામના નગરમાં ચંદન શ્રેષ્ઠીને ગુણોના સ્થાનરૂપ નંદા નામની એક પુત્રી હતી. તે પાણિગ્રહણ યોગ્ય થઈ તે વખતે પરદેશ ગયેલા તેના માતા, પિતા, બંધુ અને કાકાએ જુદાજુદા શ્રેષ્ઠીપુત્રો સાથે તેનો સંબંધ જોડ્યો. પિતાએ એક નગરના મોટા ગૃહસ્થના પુત્રને આપી, કાકાએ બીજા નગરમાં પોતાના મિત્રના પુત્રને આપી, માતાએ પોતાના પિતાના નગરમાં પોતાની વહાલી સખીના પુત્રને આપી અને ભાઈએ બીજા કોઈ નગરમાં એક મહાપુણ્યવાનું શ્રેષ્ઠીપુત્રને આપી. તે ચારે જણાએ પોતાના નગરે આવીને હર્ષિત થઈને પોતે નક્કી કરેલ કન્યાના સંબંધની વાત એકબીજાને કરી. તે સાંભળી પરસ્પરની સ્પર્ધાથી મોટો કલહ ઉત્પન્ન થયો. દરેક કહેવા લાગ્યા કે–“અમે કરેલું સગપણ કોઈપણ રીતે અન્યથા થશે નહીં.” પછી નક્કી કરેલા દિવસે ચારે જણાએ પોતપોતાના ઠરાવેલા વરને ખબર આપ્યા અને તેના સત્કારની તેમજ વિવાહની ગોઠવણ કરવા લાગ્યા. ચારે વર એક જ દિવસે ત્યાં આવ્યા અને દરેકની સાથે વાહનો તેમજ પરિવાર વિશેષ હોવાથી નગરની બહાર રહ્યા. વિવાહને અવસરે ચારે વર તૈયાર થઈને પરણવા આવ્યા. તે વખતે પરસ્પર વિવાદ થવાથી ચારે વર રોષથી યુદ્ધ કરવા તૈયાર થયા.
પ્રાણીનો ક્ષય કરનાર તેમનો યુદ્ધસંરંભ તેમજ માતાપિતા વગેરેને પરસ્પર થયેલો વિરોધ જોઈને નંદા વિચારવા લાગી કે-“મને ધિક્કાર છે ! કે જેને માટે આવો અનર્થ ઉત્પન્ન થયો છે, હવે તો મારા મરણથી જ સર્વનો કલેશ શાંત થશે તે સિવાય આ કલેશ શાંત થાય તેમ જણાતું નથી.” આ પ્રમાણે વિચારીને ગામની બાહર ચિત્તા પડકાવી સજ્જનોના દેખતાં જ તેણે અગ્નિમાં પ્રવેશ કર્યો, તે વખતે એક વરે તો તેની સાથે જ અગ્નિમાં પ્રવેશ કર્યો. બીજો એક