SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ६८० સૂ૦ ૧-૧-૩૯ છે અર્થાતુ નિપાંતનના સામર્થ્યથી “E”આગમ થતાં વમ્ અવ્યય પ્રાપ્ત થાય છે. આ પર્વમ્ શબ્દ પ્રકાર, ઉપમા તથા સ્વીકારવું, અવધારણ કરવું અર્થમાં આવે છે. અહીં પ્રકાર અર્થમાં પ્રવમ્ શબ્દ વપરાયો છે. અહીં તિ શબ્દ નિમિત્તે વર્ણન કરાયેલા પ્રકાર વડે પવમ્ શબ્દનો અર્થ થાય છે અર્થાત્ ઋતિ શબ્દમાં જેવા શબ્દો બતાવાયા છે તેવા જ શબ્દો યતિ વગેરેમાં આવશે. દેવપૂજા વગેરે અર્થવાળો “યજ્ઞ” ધાતુ પહેલા ગણો છે તથા વિસ્તારવું અર્થવાળો “તન” ધાતુ પાંચમા ગણનો છે. આ બંને ધાતુથી “નિ-નિ.” (૩દ્રિ ૮૯૫) સૂત્રથી “ડ” પ્રત્યય થતાં “પ” અને “ત” શબ્દ પ્રાપ્ત થાય છે. બુદ્ધિવિશેષનો જે વિષય હોય એ વિષયના અવચ્છેદકપણાથી ઉપલક્ષિત તે તે ધર્મથી અવચ્છિન્ન એવું જે જે છે તે ચત્ અને તત્ શબ્દનો અર્થ છે. દા.ત. આપણું જ્ઞાન કોઈ ચોક્કસ પદાર્થની વિચારણા કરે તો તેનું જ્ઞાન બુદ્ધિવિશેષ કહેવાય. હવે, ચોક્કસ પદાર્થ તરીકે જો સ્ત્રી હોય તો બુદ્ધિવિશેષવિષયતાનો અવચ્છેદક સ્ત્રીત્વ થશે અને સ્ત્રીત્વથી અવચ્છિન્ન સ્ત્રીનો બોધ યર્ સ્વરૂપ શબ્દ કરાવશે તથા તત્ સ્વરૂપ શબ્દ પણ એ પ્રમાણેનો જ બોધ કરાવશે. જો આ પ્રમાણે યર્ અને તન્નો અર્થ કરવામાં આવશે તો બંને સમાન અર્થવાળા થશે. આ શક્યતાને નજરમાં રાખીને જ લખ્યું છે કે આ બે શબ્દો વચ્ચે આટલો ભેદ છે : ઉદ્દેશ્યતાઅવચ્છેદક ધર્મથી અવચ્છિન્નને વાચ્યપણાથી અવલંબન લેનાર યત્ શબ્દ છે, અર્થાત્ વત્ શબ્દ ઉદ્દેશ્યનું અવલંબન લે છે, જયારે ઉદ્દેશ્યનું અવલંબન લેનારને બુદ્ધિવિશેષમાં ઉપસ્થિત કરનાર તત્ શબ્દનો અર્થ છે. દા.ત. મારી સામે જે પદાર્થ છે, તે પદાર્થ દુઃખદાયી છે. (મમ સમીપે યર્ પાર્થ સ્તિ ૫ પાર્થ ટુ સ્થાયી સ્તિ ) અહીં યથી ઉદ્દેશ્ય-સ્વરૂપ મારી સમીપે રહેલો પદાર્થ સમજવો તથા સમીપ રહેલા પદાર્થને જ બુદ્ધિમાં દુઃખદાયી પદાર્થ સ્વરૂપે બનાવવામાં આવે તો બુદ્ધિના વિષય સ્વરૂપ જે દુઃખદાયી પદાર્થ છે, તે “ર્” શબ્દનો અર્થ છે. ત” શબ્દ પ્રસિદ્ધ અર્થવાળો પણ છે. આને માટે ન્યાયસિદ્ધાન્તમુક્તાવલીના મંગલાચરણના શ્લોકનું ઉદાહરણ આપે છે. જે શ્લોકનો અર્થ આ પ્રમાણે છે : નવીન એવા મેઘની કાંતિવાળા, ગોવાળણના વસ્ત્રોને ચોરનારા તથા સંસારરૂપી વૃક્ષના બીજ સ્વરૂપ તે કૃષ્ણને નમસ્કાર થાઓ. અહીં “તર્ક્સ” શબ્દપ્રયોગમાં તત્ સર્વનામનો પ્રસિદ્ધ અર્થ સમજવો. ઉપર ચત્ અને તન્નો જે અર્થ અમે જણાવી ગયા છીએ, એ પ્રમાણે વર્તે સાપેક્ષ એવો તહ્નો અર્થ નૂતન... એ પ્રમાણે કારિકામાં નથી તેથી નૂતન.... કારિકામાં તન્નો અર્થ પ્રસિદ્ધ જ ગ્રહણ કરવા યોગ્ય છે. એ પ્રમાણે કોઈક સ્થાનોમાં બ્રહ્મસ્વરૂપ અર્થવાળો પણ “” શબ્દ જણાય છે. જેમકે ગીતાના સત્તરમા અધ્યાયના ૨૩મા શ્લોકમાં જણાવેલ છે કે , ત૬, સત્ એ પ્રમાણે બ્રહ્મનું ત્રણ પ્રકારે
SR No.005770
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 02
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy