SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭૩ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ “નાતીય" પ્રત્યય અંતવાળાનું ગ્રહણ કરાવશે નહિ. આ પ્રમાણે બીજો ન્યાય શબ્દ સ્વરૂપનાં અર્થને કેન્દ્રમાં રાખશે. આથી બંને પરિભાષાઓનું (ન્યાયનું) કાર્યક્ષેત્ર ભિન્ન ભિન્ન છે. હવે (૬/૪/૧૩૦) સૂત્રમાં “ત્તિ"નું વર્જન થયું છે. તો તેનાં દ્વારા અર્થવાન એવાં જ “તિ”નું વર્જન થઈ શકશે. આ “તિ”નાં વર્જનથી “તિ" પ્રત્યય અંતવાળાનું વર્જન શક્ય જ નથી. તિ"ની નજરમાં “તિમાં રહેલો “તિ” એ અવયવ સ્વરૂપ “તિ” ગણાશે. આથી “તિ” અંતવાળાનું વર્જન હોય ત્યારે “તિ" અંતવાળાનું વર્જને નિરર્થક થવાથી “તિનાં નિષેધની પ્રાપ્તિ જ નથી તથા તમારા કહેવા પ્રમાણે અતિદેશસૂત્ર બનાવવા દ્વારા “તિ" અંતવાળા નામો સંખ્યા જેવા બની જાય છે. આથી “સંધ્યા" શબ્દનાં ગ્રહણથી જ “તિ” અંતવાળા નામોને “#" પ્રત્યય થઈ જ જાત. આમ છતાં પૃથગુ “તિ"નું ગ્રહણ “#" પ્રત્યય કરવા માટે કર્યું છે. તેથી જ અમે કહીએ છીએ કે “તિ” અંતવાળા શબ્દોને સંખ્યા જેવા કરવા માટે આ સૂત્રથી આપે જે પુરૂષાર્થ કર્યો છે એ નિરર્થક છે. ઉત્તરપક્ષ:- “ષણિ" શબ્દ “તિ" પ્રત્યય અંતવાળો છે. “પણ” શબ્દને “તિ" પ્રત્યય લાગીને તથા “S"નો “” આદેશ થઈને (જો “ષષ” આદેશ ન થયો હોત તો “”નો પદને અંતે “હું” થઈ જાત અને અઘોષ પર છતાં “” વગેરે ફેરફારો થાત.) નિપાતનથી “” રૂપ સિદ્ધ થાય છે, આવું (૬/૪/૧૭૩) સૂત્રમાં “આચાર્યભગવંતશ્રી હેમચંદ્રાચાર્ય” એ જણાવ્યું છે. આ પ્રમાણે “તિ”નાં વર્જનથી જેમ “તિ” અંતવાળા નામોમાં “" પ્રત્યયનો (૬/૪/૧૩૦) સૂત્રથી નિષેધ થાત. એ જ પ્રમાણે “પુષ્ટિ' શબ્દમાં પણ “" પ્રત્યયનો નિષેધ થાત જ. તો પણ “ષ્ટિ" અંતનું વર્જન પણ પૃથગુ કરવામાં આવ્યું છે. તેથી “ષ્ટિ' અંતનાં પ્રથગુ વર્જનથી “આચાર્યભગવંતશ્રી” અવ્યુત્પત્તિ પક્ષને જણાવે છે. અર્થાત્ “વિતિ” વગેરે શબ્દો જે (૬/૪ ૧૭૩)થી નિપાતન થયા છે એ બધા જ અવ્યુત્પત્તિ પક્ષવાળાં છે અને જ્યાં અવ્યુત્પત્તિપક્ષ હોય ત્યાં “અર્થવત્ પ્રહને ન અનર્થસ્થ” ન્યાય પ્રવર્તતો નથી. અહીં અવ્યુત્પત્તિપક્ષ જણાતો હોવાથી પ્રત્યય અને પ્રકૃતિનો વિભાગ થઈ શકશે નહિ. આથી “તિ" પ્રત્યય અંતવાળાં સંખ્યાવાચક નામોનો નિષેધ થશે એવું કહી શકાશે નહીં. આથી “તિ” અંતવાળાનાં વર્જનથી “” અંતવાળાનું વર્જન થાત નહિ. માટે “ષ્ટિ" અંતવાળા સંખ્યાવાચક શબ્દને “તિ" અંતવાળા સંખ્યાવાચક શબ્દથી પૃથગૂ ગ્રહણ કર્યા છે. આમ અવ્યુત્પત્તિ પક્ષનો આશ્રય કરાયો હોવાથી તથા “અર્થવત્ પ્રણને ન અનર્થક્ય" ન્યાયની અપ્રવૃત્તિ થવાથી “તિનાં વર્જનથી “તિ” અંતવાળાનું વર્જન થઈ જ જાત. અમે “તિ” અંતવાળું નામ સંખ્યા જેવું આ સૂત્રથી કર્યું છે. હવે “તિનાં વર્જનથી “તિ” અંતનું પણ વર્જન થઈ જાત તો “ઋતિ” વગેરે નામોમાં “# વગેરે પ્રત્યયોની પ્રાપ્તિ થાત નહિ. તેથી જ અમે “તિ” અંતવાળાં નામોને પૃથ ગ્રહણ કર્યા છે.
SR No.005770
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 02
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy