SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ સૂ) ૧-૧-૩૯ ૬૭૨ સિદ્ધ થઈ જ જાત. આથી “તિ" અંતવાળા નામોને પૃથગુ સંખ્યા જેવાં બનાવવાની કોઈ આવશ્યકતા નથી. આથી “તિ” અંતવાળાં નામોમાં સંખ્યાનો અતિદેશ કરવો નિરર્થક છે. ઉત્તરપક્ષ - અમે અહીં “તિ” અંતવાળા નામોને અતિદેશ દ્વારા સંખ્યા જેવાં બનાવ્યાં છે. આથી “સંધ્યા” શબ્દનાં ગ્રહણથી જ “તિ” અંતવાળા નામોમાં પણ “મઈ” સુધીનાં અર્થમાં " પ્રત્યય થઈ જ જાત, પરંતુ એ જ સૂત્રમાં “તિ” અંતવાળા શબ્દોનું વર્જન કર્યું છે. આથી જેમ “સપ્તતિ" શબ્દનું વર્જન થાત તે જ પ્રમાણે “તિ" વગેરે શબ્દનું પણ વર્જન થઈ જાત. આથી “ઋતિ” વગેરે શબ્દોને લેવા માટે જ “હુતિ”નું પૃથ– ગ્રહણ કર્યું છે. આમ “રુતિ"નું ગ્રહણ કાંઈ સંખ્યાવાચક શબ્દથી ભિન્ન શબ્દોને ગ્રહણ કરવા માટે નથી, પરંતુ “તિ” અંતવાળાં શબ્દો સંખ્યા જેવાં થઈ જતાં હતાં અને “તિ”નાં વર્જનથી તેનો નિષેધ થતો હતો, આથી ફરીથી ખરીદવા અર્થમાં "#" પ્રત્યય કરવા માટે “તિ” શબ્દનું પૃથ– ગ્રહણ કર્યું છે. (श० न्यासानु०) नन्वानुपूर्वीप्रकारकोपस्थितिप्रयोजकपदोपादाने *अर्थवद्ग्रहणे नानर्थकस्य* इति न्यायः प्रवर्तत इति प्रकृतेऽपि तिशब्दस्य स्वरूपबोधकत्वेनानेन न्यायेन 'अशत्तिष्टेः' इत्यत्राऽर्थवत एव तेर्ग्रहणेन डतिघटकस्य तेरनर्थकतयैव न प्रतिषेधप्राप्तिरिति चेत्, मैवम्-षष्टिशब्दस्य तिप्रत्ययान्ततया त्यन्तप्रतिषेधेनैव सिद्धौ पृथक् ष्ट्यन्तप्रतिषेधस्याव्युत्पत्तिपक्षज्ञापनात्, तत्पक्षे च निरुक्तन्यायाप्रवृत्तेः प्रतिषेधादेव कप्रत्ययमिति तदर्थं डतेरुपादानमावश्यकम् ।। અનુવાદ - પૂર્વપક્ષ - કોઈ પણ વસ્તુનો શાબ્દબોધ કરવો હોય ત્યારે પદોને ક્રમસર ગ્રહણ કરીને તે તે પદોનો અર્થ જાણતાં-જાણતાં અંતે છેલ્લા પદનો છેલ્લો અક્ષર આવે ત્યારે સંપૂર્ણ શાબ્દબોધ પૂરો થાય છે. અર્થાત્ એક એક પદનો શાબ્દબોધ ઉમેરાતો જાય છે અને અંતમાં બધાં જ પદોનો એકસાથે બોધ થઈ જાય છે. આથી ક્રમપ્રકારક બોધમાં નિમિત્તકારણ તરીકે પદ છે. પદો નિમિત્તકારણ તરીકે હાજર થશે તો જ શાબ્દબોધ થશે. હવે આ પદો કેવા ગ્રહણ કરવાં? એને વિશે “અર્થવત પ્રણે ને અનર્થસ્થ” ન્યાય પ્રવર્તે છે. ર્વ રૂપ અદ્રશ્ય શબ્દસંજ્ઞા” એવો એક ન્યાય છે, જે શબ્દનાં સ્વરૂપને જ ગ્રહણ કરે છે. આથી સૂત્રમાં જો “નવી” શબ્દ લખ્યો હોય તો “નવી” શબ્દને જ આ ન્યાય ગ્રહણ કરાવશે, પરંતુ નદીવાચક એવાં ગંગા, ગોદાવરી વગેરેને ગ્રહણ કરાવશે નહિ. હવે "અર્થવત્ પ્રાપ ન અનર્થી " ન્યાય પણ વિદ્યમાન છે. એ ન્યાય પણ જો શબ્દનાં સ્વરૂપ સંબંધી જ હોય તો આ ન્યાયની કોઈ આવશ્યકતા રહેશે નહીં. દા.ત. “તીય હિાર્વે વા” (૧/૪/૧૪) સૂત્રમાં “તીય” પ્રત્યય અંતવાળા શબ્દો “ ડિય” કરવાનાં નિમિત્તે સવદિ થાય છે. હવે “નાતીય" પ્રત્યય પણ “તીય' અંતવાળું શબ્દસ્વરૂપ તો પ્રાપ્ત કરાવશે જ, છતાં આ પરિસ્થિતિમાં “અર્થવત્ પ્રહને ન અનર્થસ્થ” ન્યાય અર્થવાનું એવાં “તીય" પ્રત્યય અંતવાળાનું ગ્રહણ હોતે છતે અનર્થક એવાં
SR No.005770
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 02
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy