SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ સૂ૦ ૧-૧-૩૨ ૫૩૬ प्रकृत्यादेः” [७.४.११५.] इति वचनात् प्रत्ययमात्रस्य प्रकृतित्वेन तदन्तत्वे पूर्वस्य च “નામસિયુષ્યજીને” [૧.૧.૨૬.] તિ પત્લાત્ ‘“સપૂર્વાંત્ પ્રથમાન્તાદ્ વા' [૨.૧.૩૨.] તિ विकल्पप्रसङ्गः स्यात्, तस्मात् तदन्तसमुदायोऽव्ययमिति । અનુવાદ :- પૂર્વપક્ષ :- અહીં પ્રત્યય માત્રની અવ્યયસંશા કરવામાં આવી હોત તો કયો દોષ થાત, કે જેથી પ્રત્યયો જેને અંતે છે એવા નામોની અવ્યયસંજ્ઞા થાય છે, એવું કહેવાય છે ? ઉત્તરપક્ષ :- આપની વાત સાચી છે. “અર્જુનતમ્” વગેરેમાં સમુદાયનું અનવ્યયપણું થવાથી સમુદાય સંબંધી જે સ્યાદિ વિભક્તિ છે, તે સ્યાદિનો “અવ્યવસ્થ” (૩/૨/૭) સૂત્રથી લોપ થાત નહિ. કારણ કે “અર્જુનતમ્' વગેરેમાં સ્યાદિ વિભક્તિ સમુદાય સંબંધી છે. વળી સમુદાય અવ્યય નથી. તથા સમુદાયનો એક અવયવ જે ‘તસ્’ છે તે અવ્યય થાય છે. અને આ સ્યાદિ તો અવયવ સંબંધી નથી, પણ સમુદાય સંબંધી છે. માટે ‘તસ્’ જો અવ્યયસંજ્ઞાવાળો થાત તો સમુદાય સંબંધી સ્યાદિ વિભક્તિનો ‘અવ્યયસ્ય' (૩/૨/૭) સૂત્રથી લોપ થાત નહીં. પૂર્વપક્ષ :- સંજ્ઞા-ક૨વાના સામર્થ્યથી જ અવ્યય સ્વરૂપ ‘તસ્’ પ્રત્યયથી પર રહેલ વિભક્તિનો લોપ થશે. અહીં ‘તસ્’ પ્રત્યયને અવ્યયસંજ્ઞા કરવામાં આવી છે. વળી તે પ્રકૃતિના અંતે જ રહે છે. આ સંજોગોમાં જો અવ્યયસ્ય' (૩/૨/૭) સૂત્રથી સ્યાદિનો લોપ ન થાય તો અવ્યયસંજ્ઞાનું પ્રયોજન જ રહેતું નથી. માટે સૂત્ર નિષ્ફળ ન થાય તેથી ‘તદ્દન્ત’ માં પણ વિભક્તિનો લોપ થશે જ. ઉત્તરપક્ષ :- આ પ્રમાણે કહેવું નહિ. પરમાત્ર સંબંધી એવી સ્યાદિનો લોપ કરવા માટે જ સંજ્ઞાકરણ ક૨વામાં આવ્યું નથી, પરંતુ અવ્યયનાં અન્ય સ્વરની પૂર્વમાં “અ” પ્રત્યય થાય છે. અને અવ્યયને અંતે આવેલાં “”નો “” થાય છે. એ પ્રમાણે (૭/૩/૩૧) સૂત્રમાં “અ”નાં પ્રયોજન માટે પણ સંજ્ઞાકરણ કરવામાં આવ્યું છે. તેથી “તમ્” વગેરેની અવ્યયસંજ્ઞાનું સફળપણું “અ” વગેરે થવા દ્વારા જ થઈ જાય છે. માટે સંજ્ઞાકરણ હવે સમુદાય સંબંધી સ્યાદિનો લોપ કરવા સમર્થ નહિ બને. આથી “અર્જુનતમ્” વગેરેને સ્યાદિ વિભક્તિનો લોપ થઈ શકશે નહીં. બીજું “અર્જુનત:” વગેરે પ્રયોગોમાં માત્ર તસ્ની જો અવ્યયસંજ્ઞા થાય તો ‘“તમ્” પ્રત્યયમાં અર્થવાનપણું હોવાથી ‘“તમ્” પ્રત્યયની નામસંજ્ઞા પણ થાત. આથી તમ્” પ્રત્યયથી સ્થાવિ પ્રત્યયો પ્રાપ્ત થયે છતે ‘‘પ્રત્યયઃ પ્રત્યાવે:” (૭/૪/૧૧૫) સૂત્રથી પ્રત્યયમાત્ર પ્રકૃતિ થશે અને પ્રકૃતિને સ્યાદિ પ્રત્યયો થવાથી તદન્તપણું થશે તથા પૂર્વનાનું (અર્જુનનું) પદપણું થવાથી પૂર્વપદ એવા અર્જુન સહિત પ્રથમા અંતવાળું પદ (તસ્ +fસ) થવાથી એના પછી જો કોઈ “યુષ્મમ્” અને “ઝસ્મર્’નું રૂપ આવશે તો “પૂર્વાદ્ પ્રથમાન્તાર્ વા' (૨/૧/૩૨) સૂત્રથી “યુષ્મ” અને
SR No.005770
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 02
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy