________________
૦ ૧-૧-૨
૬૩
(૨) વ્યતિકર દોષ : જે સ્વરૂપથી બારમાં નિત્યત્વનો સદ્ભાવ થાય છે એ જ સ્વરૂપથી ઞામાં અનિત્યત્વ પણ ઉપસ્થિત થાય છે. આ પ્રમાણે નિત્યત્વ અને અનિત્યત્વ બંને ધર્મો એક થવાં સ્વરૂપ વ્યતિકર દોષ આવે છે. જે વ્યક્તિ અનિત્યધર્મને માનીને ઘટને લાવશે એનો ઘટ હંમેશ માટે નહીં ફુટવાની આપત્તિ આવશે. એ જ પ્રમાણે આકાશ અનિત્ય થવાને કારણે નાશ થવાની આપત્તિ આવશે.
(૩) સંશયદોષ ઃ- વ્યતિકર દોષના કારણે બારમાં નિત્યત્વ રહે છે કે અનિત્યત્વ રહે છે, આવો નિર્ણય ન થઈ શકતો હોવાથી સંશય નામનો દોષ ઉપસ્થિત થાય છે. કારણ કે જે બારમાં નિત્યત્વની પ્રતીતિ થાય છે એ જ ઝારમાં નિત્યત્વના અભાવની પણ પ્રતીતિ થાય છે.
(૪) અનવસ્થાદોષ ઃ- અજાર જે સ્વરૂપથી નિત્યત્વનું અધિકરણ બને છે તથા જે સ્વરૂપથી અનિત્યત્વનું અધિકરણ બને છે, એ બંને સ્વરૂપો વસ્તુમાં એક જ સ્વભાવથી રહે છે કે ભિન્ન સ્વભાવથી રહે છે, એ સૌ પ્રથમ નક્કી કરવું પડશે. જો એક જ સ્વભાવથી વસ્તુમાં નિત્યત્વ અને અનિત્યત્વ ઉભય રહે તો નિત્યત્વ અને અનિત્યત્વ એક થઈ જવાની આપત્તિ આવે. આ આપત્તિનું કારણ બંને ધર્મોને રાખનાર એક જ પ્રકારનો સ્વભાવ છે. હવે જો ભિન્ન સ્વભાવોથી બંને ધર્મો અારમાં રહેતા હોય તો એ ભિન્ન સ્વભાવોને એક કરવા માટે નવા સ્વભાવની કલ્પના કરવી પડશે. આમ, નવા-નવા સ્વભાવની કલ્પના કરતાં અનવસ્થા નામનો દોષ ઉત્પન્ન થશે.
(૫) દૃષ્ટહાનિદોષ :- જો ગબ્બરમાં નિત્યાનિત્ય સ્વરૂપ ઉભય ધર્મ માનશો તો પ્રત્યક્ષથી અારમાં જે અનિત્યત્વધર્મ દેખાય છે એ ધર્મનો નાશ થવાથી દૃષ્ટહાનિ નામનો દોષ આવે છે.
(૬) અદૃષ્ટકલ્પનાદોષ ઃ- બારમાં નિત્યાનિત્ય સ્વરૂપ ધર્મ ક્યારેય જણાયો જ નથી છતાં તમે નવા ધર્મની કલ્પના કરી છે. આથી અદૃષ્ટલ્પના નામનો દોષ આવે છે.
વળી, ક્યાંક ક્યાંક વિરોધ, અપ્રતિપત્તિ તથા વ્યવહારલોપ વગેરે દોષો પણ ઉપસ્થિત ક૨વામાં આવ્યા છે. અહીં વિરોધ અને વ્યવહાર દોષ આગળ આવી ગયા છે. અપ્રતિપત્તિદોષ આ પ્રમાણે છે - સ્યાદ્વાદમાં સંશયનું સમાધાન થઈ શકતું નથી, આથી વસ્તુ સ્વરૂપનો યથાર્થબોધ થઈ શકતો નથી. માટે સ્યાદ્વાદમાં અપ્રતિપત્તિ (અજ્ઞાન) દોષ પણ છે.
ઉપરોક્ત બધા જ દોષો એકાંતવાદી તરફથી બતાવવામાં આવ્યા છે, પરંતુ અમે જે સ્વરૂપથી અનેકાંતવાદને માનીએ છીએ એ સ્વરૂપનો આપને બોધ ન હોવાથી ઉપરોક્ત દોષોનો અવકાશ રહે છે. અમારી સ્યાદ્વાદની માન્યતા આ પ્રમાણે છે - અમે જે ઉપાધિથી વસ્તુમાં નિત્યત્વ રાખીએ છીએ એ જ ઉપાધિથી વસ્તુમાં અનિત્યત્વ રાખતાં નથી.