SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ પર્યાય સ્વરૂપ ધર્મથી વસ્તુમાં અનિત્યત્વ રાખીએ છીએ અને દ્રવ્યત્વ સ્વરૂપ ધર્મથી વસ્તુમાં નિત્યત્વ રાખીએ છીએ. જો પર્યાય સ્વરૂપથી જ વસ્તુમાં અનિત્યત્વની સાથે નિત્યત્વ રાખતાં હોત તો તો તમે કહેલા બધા જ દોષોનો અવકાશ ઊભો થાત. આ પ્રમાણે કોઈપણ વસ્તુમાં એકસાથે બે ધર્મોનો એક જ સ્વરૂપથી અભેદ ન થતો હોવાથી સંકરદોષનો પ્રસંગ નથી તેમજ વ્યતિકરદોષનો પણ અવકાશ નથી. તથા જે સ્વરૂપથી અનિત્યત્વધર્મ રહેતો હોય એ જ સ્વરૂપથી નિત્યત્વધર્મ રહે તો સંશયદોષ ઊભો થાય, પરંતુ અમારા મતમાં તો ભિન્ન સ્વરૂપથી ધર્મો રહેતાં હોવાથી સંશય નામનો દોષ પણ નથી. આ જ પ્રમાણે અનવસ્થાદોષનું નિરાકરણ પણ થઈ જ જાય છે. ઘટ વગેરેમાં ઘટની અવસ્થાનો નાશ થતો જણાય છે અને માટી સ્વરૂપ અવસ્થાનો નાશ થતો નથી, આથી પ્રત્યક્ષથી જ ઘટમાં ઉભય ધર્મની પ્રાપ્તિ એકસાથે જણાતી હોવાથી દૃષ્ટહાનિદોષનો પણ સંભવ જણાતો નથી. અદૃષ્ટકલ્પનાદોષ પણ પદાર્થમાં આ પ્રમાણે રહેશે નહીં. કારણ કે કોઈપણ પદાર્થમાં નિત્યાનિત્યધર્મ પ્રત્યક્ષથી જ દેખાય છે. આ પ્રમાણે સ્યાદ્વાદ પક્ષમાં કોઈપણ દૂષણોને અવકાશ નથી. આ બધી ચર્ચાઓના અંતે પૂજ્ય આચાર્ય ભગવંત પોતાના અભિપ્રાયના નિષ્કર્ષરૂપ પંક્તિ બૃહ-ન્યાસમાં લખે છે. જે તાત્તિ... દ્વારા જણાવી છે. ભિન્ન ભિન્ન સ્વરૂપથી એક જ પદાર્થમાં વિરોધી એવા ધર્મો પણ રહેતા હોવાથી જે વર્ણમાં હ્રસ્વપણાંનું વિધાન કરાય છે, તે જ વર્ણોમાં દીર્ઘત્વ વગેરેનું વિધાન પણ થઈ શકે છે. જો અવળને સંપૂર્ણ સ્વરૂપથી નિત્ય નહીં માનો તો પૂર્વધર્મની નિવૃત્તિપૂર્વક હ્રસ્વ વગેરે વિધિનો સંભવ થશે નહીં. એ જ પ્રમાણે વર્ણને અનિત્ય જ માનશો તો વર્ણની ઉત્પત્તિ થયા પછી તેનો તરત જ નાશ થઈ જશે. આથી કોની હ્રસ્વ વગેરે વિધિ કરવી ? એ પ્રશ્ન ઉપસ્થિત થશે. આથી જ અમે વર્ણને સામાન્ય સ્વરૂપથી નિત્ય માનીએ છીએ તથા હ્રસ્વ વગેરે વિધિ સ્વરૂપથી અનિત્ય માનીએ છીએ. દરેકે આ વસ્તુ સ્વીકારવી જ પડશે. હવે ‘તથા દ્રવ્યાનામ્ સ્વપરાશ્રય સમવેતયિાનિર્વતમ્ ...' વગેરે પંક્તિઓનો અનુવાદ લખાય છે. ભર્તૃહરિ વિરચિત વાક્યપદીયગ્રન્થના ત્રીજા કાંડમાં સાધનસમુદ્દેશમાં એક શ્લોક આવે છે જે આ પ્રમાણે છે : “સ્વાશ્રયે સમવેતાનાં, તવેવાશ્રયાન્તરે । યિાળામમિનિત્તૌ, સામર્થ્ય સાધનં વિદુ: || શ્ ।" પોતાના આશ્રયમાં સમવાય સંબંધથી રહેલી ક્રિયાની નિષ્પત્તિમાં જે સામર્થ્ય છે (ક્ષમતા છે) તે કારક કહેવાય છે. સાધનનો અર્થ કા૨ક સમજવો. એ જ પ્રમાણે પરસ્વરૂપ આશ્રયમાં સમવાય સંબંધથી રહેલી એવી ક્રિયાની નિષ્પત્તિમાં જે સામર્થ્ય છે, તે કા૨ક કહેવાય છે. ટૂંકમાં દ્રવ્યોમાં રહેલી ક્રિયાની નિષ્પત્તિનું જે સામર્થ્ય તે સાધન (કારક) છે.
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy