________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧
फलान्यवचिनोति, विषयेभ्यो बिभ्यदनात्मज्ञस्तेभ्य एवात्मानं प्रयच्छंस्तैरेव बन्धमाप्नोतीत्यादि, तच्च कथमेकस्य सर्वथा नित्यत्वे एकरूपां वृत्तिमवलम्बमानस्यावस्थान्तराभिव्यक्तरूपोपलम्भाऽभावाद् घटते ? इति साध्यसाधनरूपकारकव्यवहारविलोपः । अनित्यत्वेऽपि न घटते, तथाहिस्वातन्त्र्यं कर्तृत्वम्, तच्च
૬૨
"इदं फलमियं क्रिया करणमेतदेष क्रमो व्ययोऽयमनुषङ्गजं फलमिदं दशेयं मम । अयं सुहृदयं द्विषन् प्रकृतदेशकालाविमाविति प्रतिवितर्कयन् प्रयतते बुधो नेतरः " ॥८॥ इत्येवमात्मकपरिदृष्टसामर्थ्यं कारकप्रयोक्तृत्वलक्षणम्, तदपि नानित्यस्य क्षणमात्रावस्थायित्वेनोपजननान्तरमेव विनष्टस्य युज्यते, किं पुनः कारकसंनिपातः ? इति नित्यानित्यात्मकः स्याद्वादोऽङ्गीकर्तव्यः ।
અનુવાદ :- હવે આચાર્ય ભગવંતે જે અનેકાંતવાદનું આલંબન લીધું છે તે જ અનેકાંતવાદને અવળ વગેરેમાં સિદ્ધ કરીને બતાવે છે - બૃહવૃત્તિમાં ચૈવ હિં... પંક્તિ લખવા દ્વારા આચાર્ય ભગવંત જણાવે છે કે હ્રસ્વ, દીર્ઘ વગેરે વિધિઓ, અનેક કારકોનું મળવું, સમાનાધિકરણપણું, વિશેષણ-વિશેષ્યભાવ વગેરે સ્યાદ્વાદ વિના સંગત થતાં નથી. .
તાહિ... પંક્તિનો અર્થ સમજતાં પહેલાં કેટલીક વાતોની ચર્ચા કરવી આવશ્યક છે. આચાર્ય ભગવંતે જે અનેકાંતવાદનું આલંબન લીધું છે તે જ અનેકાંતવાદને અવળ વગેરેમાં સિદ્ધ કરીને બતાવે છે, પરંતુ ભગવત્ પતંજલિ દ્વારા રચાયેલ મહાભાષ્યમાં શબ્દ નિત્ય છે કે અનિત્ય છે, એક જ અથવા તો અનેક છે વગેરે બાબતોનો વ્યવસ્થિત જવાબ (નિષ્કર્ષ) અપાયો નથી. એમણે શબ્દને એક પણ સિદ્ધ કર્યો છે, અનેક પણ સિદ્ધ કર્યો છે. જુદાં જુદાં દાર્શનિકો પણ આ બાબતમાં એક થઈ શકતા નથી. અનેકાંતવાદને નહીં સમજનારા અનેકાંતવાદમાં અલગ અલગ દોષો આપે છે. સૌ પ્રથમ આ અલગ અલગ દોષોની વિચારણા કરી લઈએ. આ દોષો સ્યાદ્વાદરહસ્ય નામના ગ્રન્થમાં બતાવવામાં આવ્યા છે. આ દોષો જોયા પછી અનેકાંતવાદમાં આ દોષો આવતા નથી, એ બાબતનો જવાબ આચાર્ય ભગવંત અત્યંત રમણીય સ્વરૂપે આપે છે અને એ જવાબ દ્વારા તથાહિ... પંક્તિનો અર્થ સમજાશે. સૌ પ્રથમ નિત્યત્વ, અનિત્યત્વ વગેરે વિરુદ્ધધર્મો એક જ અધિકરણમાં જો રહે તો જે દોષો ઉત્પન્ન થાય છે તેનું સ્વરૂપ વિચારીએ.
:
(૧) સંકર દોષ ઃ જે સ્વરૂપથી બાર નિત્યત્વનું અધિકરણ બને છે, તે જ સ્વરૂપથી પ્રાર અનિત્યત્વનું અધિકરણ પણ બને છે. નિત્યત્વ અને અનિત્યત્વ ધર્મનો અત્યન્નાભાવ અલગ અલગ પદાર્થોમાં મળે છે અને એ જ બંને ધર્મો બારમાં એકસાથે મળે છે. માટે સંકર નામનો દોષ આવે છે.