________________
૫૮
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ અને નિષેધની પ્રધાનતા થઈ શકે છે; પરંતુ યુગપત્ વિધિ અને નિષેધની પ્રધાનતાથી તો વસ્તુ અવક્તવ્ય જ છે.
આ પ્રમાણે સંપૂર્ણ જીવાદિ તત્ત્વનાં પર્યાયોમાં સપ્તભંગીઓ થાય છે. શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે દરેક પર્યાય પ્રમાણે ભિન્ન ભિન્ન સપ્તભંગીઓ હોય છે. આથી જ અનંતા પર્યાયોમાં અનંતી સપ્તભંગીઓ થાય છે.
( श० न्या० ) नन्वस्तित्वं प्रति विप्रतिपन्नमनसां तत्प्रत्यायनाय यथा स्यादस्त्येवेति पदं प्रयोगमर्हति, तथा स्यान्नास्त्येवेत्यादिपदान्यपि प्रयोगमर्हेयुः, सप्तधा वचनमार्गस्य व्यवस्थापितत्वादिति । नैवम्-स्याच्छब्देनैव शेषाणां द्योतितत्वात् । यदा विधिविकल्पस्य प्रयोगस्तद्विवादविनिवृत्तये स्याद्वादिभिर्विधीयते, तदा निषेधादिविकल्पाः षडपि स्याच्छब्देन याता न पुनः प्रयोगमर्हन्ति, तदर्थे विवादाभावात्, तद्विवादे तु क्रमशस्तत्प्रयोगेऽपि न कश्चिद् दोषः । यतः- “प्रश्नवशादेकवस्तुनि दृष्टेष्टप्रमाणाविरोधेन विधि - प्रतिषेधकल्पना सप्तभङ्गी" इति, ततः स्यात्कारलाञ्छनमेवकारोपहितमर्थवत् सर्वत्र प्रतिपत्तव्यम् ।
અનુવાદ :- પૂર્વપક્ષ :- જો દરેક પર્યાય પ્રમાણે સપ્તભંગીઓ વિદ્યમાન છે તો દરેક પર્યાયો સપ્તભંગીનાં શબ્દો દ્વારા પ્રતિપાદન કરવામાં કેમ નથી આવતાં ? જે પ્રમાણે કોઈકે પદાર્થનાં અસ્તિત્વ બાબતમાં શંકા ઉભી કરી ત્યારે તે બુદ્ધિશાળી વ્યક્તિને પ્રતીતિ કરાવવા માટે કહેવામાં આવે છે કે સ્યાદ્ અસ્તિ વ. એ જ પ્રમાણે બાકીનાં છ ભાંગાંઓ શબ્દ દ્વારા કથન થવા જોઈએ. કારણ કે તમે સાત પ્રકારનાં વચનો વ્યવસ્થિત કર્યા છે.
ઉત્તરપક્ષ :- આ પ્રમાણે કહેવું નહીં. સ્થાત્ શબ્દવડે જ બાકીનાં શબ્દપ્રયોગો વિદ્વાન પુરુષોને જણાઈ જાય છે. માટે એને જણાવવા માટે કાંઈ બધાં ભાંગાઓને શબ્દો દ્વારા જણાવવા આવશ્યક નથી. જ્યારે અસ્તિત્વ બાબતમાં વિવાદ ઊભો થાય ત્યારે તે વિવાદની નિવૃત્તિ માટે સ્યાદ્વાદને માનનારો જે પ્રમાણે સ્યાદ્ અસ્તિ વ શબ્દનો પ્રયોગ કરે છે એ સમયે નિષેધ વગેરે છ વિકલ્પો સ્થાત્ શબ્દથી જ પ્રાપ્ત થઈ જાય છે. તે વિકલ્પોને જણાવવા માટે કાંઈ શબ્દપ્રયોગની આવશ્યકતાં રહેતી નથી. શ્રોતા અવ્યુત્પન્ન હશે તો સાતે ભાંગાઓને શબ્દો દ્વારા ક્રમશઃ જણાવશે. જો વિવાદ ન થાય તો સ્થાત્ શબ્દથી બાકીનાં વિકલ્પો જણાઈ જાય છે. અને કદાચ વિવાદ થશે તો અનુક્રમે તે સાતે ભાંગાઓનાં શબ્દપ્રયોગો અનુક્રમે કરવામાં આવે તો પણ કોઈ દોષ નથી.
પ્રશ્નનાં વશથી (વિપ્રતિપત્તિના વશથી) કોઈપણ વસ્તુમાં વૃષ્ટ અને ષ્ટ પ્રમાણનાં અવિરોધથી વિધિ અને પ્રતિષેધની કલ્પના સ્વરૂપ સપ્તભંગીઓ છે. કોઈપણ નિરૂપણ પ્રમાણ-સંવાદી અને