________________
૫૪
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧
અસત્ પદાર્થોમાં કેવી રીતે થઈ શકશે ? આ પ્રશ્ન ન્યાયદર્શનમાં ઊભો થશે, પરંતુ જૈનો તો અભાવ પણ પદાર્થનું એક વિશિષ્ટ સ્વરૂપ છે એવું માને છે. વળી, એ અભાવમાં પણ તરતમતા છે. દા.ત. કોઈક વ્યક્તિ સામેવાળો પચાસ અપરાધ કરે પછી ગુસ્સે થાય છે, કોઈક વ્યક્તિ સામેવાળો સાઈઠ અપરાધ કરે ત્યારે ગુસ્સે થાય છે, કોઈક વ્યક્તિ સામેવાળો સીત્તેર અપરાધ કરે ત્યારે ગુસ્સે થાય છે. આ પ્રમાણે દરેકની અસહિષ્ણુતામાં તરતમતા છે. વળી આ અસહિષ્ણુતા અસત્ પદાર્થ સ્વરૂપ પણ છે. આથી અસત્ પદાર્થમાં પણ ભિન્ન ભિન્ન વિશેષો પ્રાપ્ત થાય છે.
હવે યવા પુનરસર્વિતિ... પંક્તિનો અર્થ લખીએ છીએ. જ્યારે સત્ શબ્દનો પ્રયોગ કરાય છે ત્યારે અસત્ તત્ત્વ પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાલ તથા પરભાવ સ્વરૂપ ચારની અપેક્ષાથી કાલાદિથી અભેદઉપચાર વડે બધા જ અસત્ વિશેષ સ્વરૂપ તત્ત્વને જણાવે છે. વ્યવહાર ભેદપણાંની પ્રધાનતાવાળો હોવાથી આ રીતનું કથન થઈ શકે છે. તે જ પ્રમાણે અદ્રવ્ય, અજીવ વગેરે પ્રતિષેધના વાચક શબ્દો છે અને તે પોતાના બધાં વિશેષ સ્વરૂપ અદ્રવ્યતત્ત્વ અને અજીવાદિતત્ત્વનું પ્રતિપાદન કરે છે. સ્વાત્ અવ્યય અનેકાંતનો ઘોતક છે. એનાંવડે વસ્તુનું વાચકપણું પ્રાપ્ત થતું નથી. માત્ર સમીપ રહેલા શબ્દોનાં અર્થને એ પ્રકાશિત કરે છે. સ્વાત્ અવ્યય કોઈપણ તત્ત્વને અનેકાંત સ્વરૂપથી જ પ્રકાશિત કરે છે. આમ કરવાથી તો બધું જ અનિશ્ચયાત્મક થશે. આવું કહેવું નહીં. દા.ત. ‘સ્યાદ્ અસ્તિ વ' કહ્યું હોય ત્યાં જે અપેક્ષાએ અસ્તિ કીધું હોય તે અપેક્ષાએ નાસ્તિ પર્યાય આવી શકતો જ નથી. વળી, વારથી અન્યથા ભાવની બાદબાકી થાય છે. જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી અસ્તિ છે એ જ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી નાસ્તિ પર્યાય નથી જ. આ પ્રમાણે વારથી નાસ્તિ અંશની બાદબાકી થાય છે.
વસ્તુતત્ત્વ એ પ્રમાણે શબ્દ સ્વાારથી યુક્ત હોય અને વગર સહિત હોય તો એ શબ્દ સકલ વસ્તુવિશેષ જે સત્ સ્વરૂપ છે અથવા તો અસત્ સ્વરૂપ છે એવાં તત્ત્વને જણાવે છે. વળી એ તત્ત્વ પણ કાલાદિનાં અભેદથી અથવા તો અભેદનાં ઉપચારથી જણાવે છે. વસ્તુતત્ત્વનું વિધિ અને નિષેધની પ્રધાનતાથી યુવત્ કથન થઈ શકતું હોવાથી વસ્તુતત્ત્વ એ સકલ વસ્તુવિશેષ જે સત્, અસત્ વગેરે સ્વરૂપ છે એવાં તત્ત્વને જણાવે છે.
હવે વસ્તુ વગેરેનો કાલાદિથી અભેદ કેવી રીતે થાય છે ? તે આચાર્ય ભગવંતશ્રી યાત વસ્તુનો... પંક્તિઓ દ્વારા જણાવે છે. જે કાલમાં વસ્તુનું વસ્તુત્વ છે, તે જ કાલમાં વસ્તુનાં બધાં જ વસ્તુવિશેષો પણ છે. આથી કાલથી વસ્તુત્વ અને વસ્તુવિશેષનો અભેદ થાય છે. વસ્તુત્વ એ વ્યાપક છે તથા વસ્તુ-વિશેષો વ્યાપ્ય છે. વસ્તુત્વમાં સકલ વસ્તુવિશેષો સંબંધી વ્યાપકપણું હોવાથી કાલથી એ બંનેનો અભેદ થાય છે. તેઓથી દ્રવ્યાર્થનું પ્રાધાન્યપણું હોવાથી આ પ્રમાણે