________________
સૂ૦ ૧-૧-૨
૫૩ સ” શબ્દ બધા તત્ત્વનું પ્રતિપાદન કરે છે તથા સત્ વિશેષ સ્વરૂપ તત્ત્વનું પણ પ્રતિપાદન કરે છે. બધા નયોથી જેટલા ભેદ-વિશેષો પાડવામાં આવ્યા છે એ બધા જ વિશેષોને પોતાના પેટમાં સમાવીને સત્ શબ્દએ પ્રતિપાદન કર્યું છે. જેમ કોઈ મ્યુઝિયમ શબ્દ બોલે તો આ શબ્દ બધી જ વસ્તુઓને પોતાનામાં સમાવીને પ્રતિપાદન કરે છે, તથા કબાટ શબ્દ બોલવામાં આવે તો કપડા, દાગીના વગેરે બધા જ વિશેષો એ શબ્દથી પ્રતિપાદિત થાય છે. એ જ પ્રમાણે “સેતુ” શબ્દ બધા જ તત્ત્વનું પ્રતિપાદન કરે છે તેમજ સત્ વિશેષોનું પણ આ જ સત્ શબ્દ પ્રતિપાદન કરે છે.
દ્રવ્ય શબ્દ પણ બધા જ દ્રવ્યવિશેષો અને દ્રવ્ય ભિન્ન એવા ગુણાદિનું પણ પ્રતિપાદન કરે છે. કોઈપણ એવું દ્રવ્ય આ જગતમાં નથી જે દ્રવ્ય શબ્દથી પ્રતિપાદિત ન થાય. જીવ શબ્દ સકલ જીવવિશેષ સ્વરૂપ તત્ત્વને તથા જીવપર્યાય સ્વરૂપ અજીવવિશેષને કહે છે. જીવ શબ્દથી હાથી, ઘોડો, મનુષ્ય વગેરે સ્વરૂપ બધા જ જીવવિશેષો આવી જાય છે તથા એ જ જીવ શબ્દથી જીવના પર્યાય સ્વરૂપ એવા તે તે જીવોના શરીરો વગેરે જે અજીવવિશેષ સ્વરૂપ છે તેનું પણ પ્રતિપાદન થઈ જ જાય છે.
એ જ પ્રકારે ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ શબ્દો પણ પોતાના સ્વ અને વિશેષ સ્વરૂપ તત્ત્વનું નિરૂપણ કરે છે. ધર્મ, અધર્મ વગેરેમાં સંસ્થાન, અગુરુલઘુધર્મ, ગતિસહાયકત્વ વગેરે વિશેષોનું પણ નિરૂપણ ધર્મ અને અધર્મ વગેરે શબ્દોથી થઈ જ જાય છે. આ બધામાં વિધિ સ્વરૂપ ભાવાર્થની પ્રધાનતા હોવાથી ઉપર કહેલ સમસ્ત વસ્તુનું કથન થઈ જાય છે. આ જગતમાં વિધિનું કથન કરનારા શબ્દો પણ હોય છે અને નિષેધનું કથન કરનારા શબ્દો પણ હોય છે. દયા, અહિંસા, કરુણા આમ તો એકાર્થના વાચક શબ્દો જ જણાય છે, પરંતુ દયા અને કરુણા શબ્દ વિધિ સ્વરૂપ ભાવાર્થની પ્રધાનતાવાળા જ છે, જ્યારે અહિંસા શબ્દ નિષેધાત્મક ભાવાર્થની પ્રધાનતાવાળો છે. આ પ્રમાણે દરેક વસ્તુ હજાર, નાર ઉભયાત્મક હોય છે. સત્ તત્ત્વ એ સ્વ સ્વરૂપે છે, જ્યારે
સત્ એ પર સ્વરૂપે છે. આથી, પર સ્વરૂપ અને સ્વ સ્વરૂપનો અભેદ ન થઈ શકે. કદાચ, . સમાનાધિકરણ સ્વરૂપથી એક હોઈ શકે માટે, જ્યાં અભેદ થઈ શકતો નથી ત્યાં અભેદનો ઉપચાર કરીને નિરૂપણ કરવામાં આવે છે. પટો નાતિ અને પટો મતિ બેનો અભેદ કેવી રીતે થઈ શકે ? માટે જ સ્વરૂપ અને પરરૂપ સાથે અભેદનો ઉપચાર કરવામાં આવે છે.
હવે શંકા એ થાય છે કે, જે સત્ તત્ત્વ છે એ તો અભાવ સ્વરૂપે છે. આ અભાવમાં વિશેષતાઓ કેવી રીતે હોઈ શકે ? ભાવ પદાર્થ હોય તો તો આ ઘોડો છે, આ હાથી છે, આ બકરી છે વગેરે વિશેષતાઓ જુદાં જુદાં સ્વરૂપોને કારણે થઈ શકે છે, પરંતુ અભાવમાં તો કોઈ વિશેષો કહી શકાતા નથી, છતાં પણ ગ્રંથકારે અત્ વિશેષાત્મન્ શબ્દ લખ્યો છે તો આ વિશેષો