SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧ સૂ) ૧-૧-૨ વિધિ ધર્મીને આધારે થાય છે. પ્રાચીન ન્યાયમાં ધર્મીની વિધિની પ્રધાનતા છે. આથી પ્રાચીન ન્યાય ઘણું કરીને પદાર્થનું નિરૂપણ કરે છે, જ્યારે નવ્યન્યાય ઘણું કરીને ધર્મથી પ્રરૂપણા કરે છે. આ પ્રમાણે વ્યવહાર, દ્રવ્યને છોડીને ગુણને ગ્રહણ કરે છે. અહીં પથર્ સ્વરૂપ શબ્દ વિશેષ છે. આથી વિશેષનો નિષેધ વ્યવહાર માટે કરવો તે યોગ્ય જણાતું નથી. માટે જ કૌંસમાં દ્રવ્ય પાઠ આપવામાં આવ્યો છે. ભાવાર્થની પ્રરૂપણામાં વિધિ આવશે. જ્યારે વ્યવહારમાં દ્રવ્યનો પ્રતિષેધ આવે છે તથા ક”નો પ્રતિષેધ આવે છે. હવે નથી સત્ કે નથી દ્રવ્ય, તો છે શું? માટે સત્ મદ્રવ્યમ્ ગુણ શબ્દ લખ્યો છે. અર્થાત્ જે ગુણ છે તે વ્યવહાર છે, જ્યારે સદ્ દ્રવ્ય સ્વરૂપ જીવ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ અથવા તો મનુષ્ય વગેરે શબ્દો વિધિ લક્ષણ સ્વરૂપ ભાવાર્થ પ્રરૂપણામાં પ્રયોગ કરાય છે ત્યારે આ બધા શબ્દો દ્વારા કાળ વગેરેથી યુક્ત થવા દ્વારા અભેદથી અભેદ સ્વરૂપ વસ્તુનું પ્રતિપાદન થાય છે. જીવ સ્વરૂપ શબ્દનો પ્રયોગ કરવામાં આવે ત્યારે ક્યાંતો એ વર્તમાનકાળની અપેક્ષાએ કરવામાં આવશે અથવા તો ભૂતકાળ કે ભવિષ્યકાળની અપેક્ષાએ કરવામાં આવશે. હવે જે કાળની અપેક્ષાએ જીવ શબ્દનો પ્રયોગ કરવામાં આવશે એ જ સમયે જીવમાં રહેલા બાકીના ધર્મો પણ પિંડીભૂત થયેલા જ હશે. આથી કાળથી જીવતત્ત્વ એક પિંડીભૂત સ્વરૂપે જ હશે. એ જ પ્રમાણે જીવદ્રવ્ય પોતાના સ્વરૂપથી પણ (આકૃતિથી પણ) પિંડીભૂત અવસ્થાને પ્રાપ્ત કરે છે. જીવત જે સ્વરૂપથી વિદ્યમાન છે એ જ સ્વરૂપથી જીવના બાકીના ધર્મો પણ રહેલા હોય છે. આથી સ્વરૂપથી બધા જ ધર્મો પિંડીભૂત થયેલા હશે. - એ જ પ્રમાણે જીવદ્રવ્ય સંસર્ગથી પણ અભેદ સ્વરૂપે છે. સંસર્ગ એ ભેદની પ્રધાનતાવાળો સંબંધ છે. દા.ત. “સાત્ નીવ ગતિ વ’ પ્રયોગમાં મસ્તિત્વ ધર્મ જીવમાં રહેલો જણાય છે. એ જ પ્રમાણે તે જ દ્રવ્યમાં સંબંધિત થઈને નાસ્તિત્વ, નિત્યત્વ વગેરે ધર્મો પણ રહેલા છે. અહીં સંસર્ગમાં કોઈ ક્ષેત્રની અપેક્ષાએ સંબંધ વિચારાતો નથી, પરંતુ જીવદ્રવ્યમાં રહેલા ધર્મોની અપેક્ષાએ જ પરસ્પર સંસર્ગ વિચારાય છે. આથી જીવના જે પ્રદેશમાં અસ્તિત્વની અનુભૂતિ થાય છે એ જ પ્રદેશમાં નાસ્તિત્વની અનુભૂતિ પણ થાય જે છે. આ વસ્તુ ત્યારે જ ઘટી શકે કે જ્યારે અનંતા ધર્મો વસ્તુમાં પૃથપણે રહ્યા હોય છતાં પણ એક જ સંબંધથી અભેદપણે પણ રહ્યા હોય. એ જ પ્રમાણે ગુણીદેશથી પણ જીવદ્રવ્ય પિંડીભૂત થાય છે. અસ્તિત્વધર્મ ગુણવાન એવા દ્રવ્યના જે ક્ષેત્રમાં રહ્યો હોય તે જ ક્ષેત્રમાં બાકીના અનંતા ધર્મો પણ રહ્યા હોય છે. આથી અનંતા ધર્મો ગુણવાન એવા દ્રવ્યના ક્ષેત્ર સ્વરૂપ આલંબનથી અભેદપણાને પ્રાપ્ત કરે છે. જીવના જે ક્ષેત્રમાં
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy