________________
સૂ૦ ૧-૧-૨
૪૧
નથી. આથી જ સ્યાદ્વાદને અનેકાંતવાદ કહેવામાં આવે છે. જે શબ્દોમાં ઘોતક શક્તિ હોય એવા શબ્દોનું અભિધેય હોતું નથી. માત્ર સમીપ રહેલા પદના અર્થને પ્રકાશિત કરવાની શક્તિ જ ઘોતકપદોમાં હોય છે. આ સ્થાત્ પદમાં નિપાતપણું હોવાથી જ ઘોતકપણું છે. આથી જ સ્વાત્ પદનું કોઈ અભિધેય નથી. આમ, સ્વાત્ પદમાં વાચકશક્તિ નથી. માત્ર દ્યોતકશક્તિ જ છે. જો સ્વાત્ પદમાં વાચકશક્તિ આવત તો સ્યાદ્ અસ્તિ વ વગેરે પ્રયોગોમાં સ્થાત્ પદ દ્વારા જ અસ્તિ વગેરે પદોના અર્થો જણાઈ જાત. આથી અસ્તિ વગેરે શબ્દોના પ્રયોગો નિરર્થક થાત. વળી, જે અર્થો અસ્તિ વગેરે પદોથી જ જણાઈ જાય છે તે અર્થને જણાવવા માટે ફરીથી જો સ્વાત્ પદ લખવામાં આવત તો પુનરુક્તિ નામનો દોષ આવત.
(श०न्या० ) ननु स्यादिति क्रियाप्रतिरूपको निपातोऽनेकान्तस्य द्योतको गुणभावेन भवेत्, प्रधानभावेन र्वा ? न तावद् गुणभावेन, तद्वाचकपदान्तरस्यापि गुणभावेनैव वाचकत्वप्रसङ्गाद्, यथैव पदान्तरेणाभिधानं तथैव सर्वत्र निपातेन द्योतनम्, अनुक्तस्य तु द्योतने तस्य वाचकत्वप्रसक्तिः, तत्-प्रयोगसामर्थ्यात् तत्प्रतिपत्तेः । नापि प्रधानभावेन, अस्तीत्यादिभिः पदैः अस्तित्वादीनामर्थानां साक्षादुक्त-त्वात् तद्द्योतनवैयर्थ्याद्, नास्तित्वादीनां चानुक्तत्वादेव न द्योतनमिति ।
--
અનુવાદ :- પૂર્વપક્ષ :- (ઐયાયિક) : નૈયાયિકોને નિપાતોમાં ઘોતકશક્તિ માનવી નથી, માટે અનેકાંતના ઘોતક તરીકે સ્થાત્ શબ્દ બતાવવામાં આવ્યો છે તે તેઓને ગમ્યું નથી. આથી તેઓ પૂછે છે કે સ્વાત્ એ ક્રિયાપ્રતિરૂપક અવ્યય છે. જે વિન્તિથમન્ત... (૧/૧/૩૩) સૂત્રથી થયો છે. આ સ્થાત્ અવ્યયને જો તમે (વૈયાકરણીઓ) દ્યોતક માનો છો, તો અમે તમને પૂછીએ છીએ કે આ સ્વાત્ અવ્યય અસ્તિ સ્વરૂપ પદના અર્થને ગૌણભાવથી પ્રકાશિત કરે છે અથવા તો પ્રધાનભાવથી પ્રકાશિત કરે છે ? સ્વાત્ અવ્યય ગૌણભાવથી અસ્તિના અર્થને જણાવી શકતો નથી કારણ કે સ્વાત્ અવ્યય અસ્તિના અર્થને ગૌણભાવથી જણાવશે તો અસ્તિ પદ પણ ગૌણભાવથી જ પોતાના અર્થને જણાવનારો થશે અને તેમ થશે તો અસ્તિ પદમાં ગૌણભાવથી પોતાના અર્થને જણાવવા સ્વરૂપ વાચકત્વ માનવાની આપત્તિ આવશે. શબ્દશાસ્ત્રનો નિયમ છે કે જે પ્રમાણે વાચકપદ પોતાના અર્થને જણાવે તે પ્રમાણેના અર્થને જ નિપાતપદ પ્રકાશિત કરે છે. કારણ કે નિપાતપદમાં માત્ર વાચકપદના અર્થને જ પ્રકાશિત કરવાનું સામર્થ્ય હોય છે. કદાચ તમે એમ કહો કે અસ્તિ આમ તો પ્રધાનઅર્થનો વાચક છે અને સ્થાત્ એ અસ્તિ પદના ગૌણઅર્થનો ઘોતક છે. આ પ્રમાણે તો સ્વાત્ અવ્યયમાં ઞસ્તિ દ્વારા નહીં કહેવાયેલા અર્થનું પ્રકાશકપણું આવે છે અને આ પ્રમાણે તો સ્વાત્ અવ્યયમાં વાચકત્વના પ્રસંગની પ્રાપ્તિ થાય છે. અસ્તિ પદ જો મુખ્યઅર્થને જણાવતો હોય અને સ્યાદ્ અવ્યય દ્વારા જો તેનો ગૌણ અર્થ જણાવાય તો એનો