________________
સૂ૦ ૧-૧-૨
૩૯
(C) 1ાસ્ત્રોતોવત્ : ક્રમશઃ દરેક સૂત્રમાં જે પદનું ગ્રહણ થતું હોય તે શાસ્ત્રોતોવત્ અનુવૃત્તિ કહેવાય છે. દા.ત. અત: ઞઃ ચાવી નમ્ - શ્યામ્ - યૈ । આ સૂત્રમાં વ્રત: પદની અનુવૃત્તિ (૧|૪|૨)થી (૧/૪/૧૪) સૂત્ર સુધી ક્રમશઃ દરેક સૂત્રમાં ગ્રહણ થાય છે.
આ પ્રમાણે ઉત્તરનાં સૂત્રમાં જે વ્યાપક હોય એવા શ્રુતપદનાં અનુસંધાનવાળા સૂત્રને અધિકારસૂત્ર કહેવાય છે. અનુવૃત્તિને પણ અપેક્ષાએ અધિકારસૂત્ર કહેવાશે. દા.ત. ‘‘યુટિ” (૧/ ૪/૬૮) સૂત્રમાં ત્રુટિ પદ સંભળાય છે. આ પદનું અનુસંધાન જે જે સૂત્રોમાં નિમિત્ત હશે નહીં તે તે સૂત્રોમાં થશે. આથી ‘યુટિ” એ અધિકારસૂત્ર છે.
(૭) અનુવાદસૂત્ર : ‘પ્રમાળાન્તર પ્રતિપનસ્વાર્થસ્ય શબ્વેન સંજીર્તનમનુવાઃ' અન્ય પ્રમાણથી પ્રાપ્ત કરેલા અર્થનું શબ્દવડે કથન કરવું તે અનુવાદ કહેવાય છે. પ્રત્યક્ષપ્રમાણથી પ્રાપ્ત કરેલા અર્થને અનુમાન આદિ પ્રમાણથી શબ્દવડે કથન કરવું તે જેમ અનુવાદ કહેવાય છે તેમ એક વાક્યની અપેક્ષાએ જે અર્થનું ગ્રહણ થયું હોય તે જ અર્થોનું અન્ય શબ્દો દ્વારા કથન કરવું તે પણ અનુવાદસૂત્ર કહેવાય. દા.ત. “વિના તે તૃતીયા ૨” (૨/૨/૧૧૫) આ અનુવાદસૂત્ર છે. આ સૂત્રમાં (૨/૨/૧૧૩) અને (૨/૨/૧૧૪) સૂત્રનાં કાર્ય સ્વરૂપ જે દ્વિતીયા અને પંચમી વિભક્તિ હતી તે બંને કાર્યોનું ‘તે” ‘શબ્દ દ્વારા ગ્રહણ થયું છે અર્થાત્ દ્વિતીયા અને પંચમી સ્વરૂપ અર્થ અન્ય “તે” શબ્દ દ્વારા કથન કરાયો છે.
(૮) વિકલ્પસૂત્ર · વિધિ અથવા તો નિષેધસૂત્રમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ સ્વરૂપ ઉભય પ્રયોગની પ્રાપ્તિ થતી હોય એવા સૂત્રને “વિકલ્પસૂત્ર” કહેવાય છે. દા.ત. “સૌ નવેૌ” (૧/૨/૩૮).
.(૯) સમુચ્ચયસૂત્રઃ એક સ્થાની વગેરેની સાથે અન્ય સ્થાની વગેરેને જે સૂત્રોમાં ભેગા કરવામાં આવે એવા સૂત્રોને સમુચ્ચય સૂત્રો કહેવાય છે. અહીં સ્થાની શબ્દ પછી લખેલ આદિથી (વગેરેથી) નિમિત્ત, કાર્ય, આદેશ વગેરેને સમજવાં. દા.ત. શસોડતા સમ્ર ન: પુત્તિ (૧/૪/૪૯). અહીં શસ્ નાં ઝની સાથે પૂર્વનો સમાન સ્વર દીર્ઘ થાય છે અને ત્યારે જ પુલિંગમાં શત્ નાં સ્નો નૢ પણ થાય છે. આ પ્રમાણે બે કાર્યોનો સમુચ્ચય કર્યો.
(૧૦) નિષેધસૂત્ર ઃ જે સૂત્રમાં વિધિનો નિષેધ કરવામાં આવ્યો હોય તેને નિષેધસૂત્ર કહેવામાં આવે છે. દા.ત. ન ાં મત્વર્થે (૧/૧/૨૩). અહીં (૧/૧/૨૧) સૂત્રથી પ્રાપ્ત એવી પદસંજ્ઞાનો નિષેધ થયો છે.
પાતઝ્ઝત મહામાષ્યમાં સમુચ્ચય, નિષેધ, અનુવાદ અને વિકલ્પ આ ચાર પ્રકારના સૂત્રો ગ્રહણ કર્યા નથી. આ ચાર પ્રકારના સૂત્રોને ત્યાં વિધિસૂત્રોમાં જ ગ્રહણ કર્યા છે. અહીં આ પ્રમાણે દશ પ્રકારથી સૂત્રો જણાવવા દ્વારા વધારે સ્પષ્ટતાનું આલંબન લીધું છે.