________________
સૂ) ૧-૧-૨
૩૭ જણાવે છે. પાતંજલ મહાભાષ્યમાં આ દશમાંથી માત્ર છ પ્રકારનાં જ સૂત્રો માનવામાં આવ્યા છે, જેનો શ્લોક આ પ્રમાણે છે: __ "संज्ञा च परिभाषा च विधिनियम एव च । अतिदेशोऽधिकारश्च षड्विध सूत्रलक्षणम् ॥"
(૧) સંજ્ઞાસૂત્રઃ ‘તત્ર વ નામકર સંજ્ઞા' આ વ્યાખ્યા પ્રમાણે જે નામકરણ કરવામાં આવે તે સંજ્ઞા કહેવાય. દા.ત. પ્રૌદ્રતા: સ્વર: (૧/૧/૪) અહીં મ, મા, ડું, રું વગેરે વર્ગોનું સ્વર નામકરણ કરવામાં આવ્યું છે. આથી આ વર્ષે આ વ્યાકરણમાં સ્વર તરીકે ઓળખાશે. માટે આવા સૂત્રો સંજ્ઞાસૂત્રો તરીકે ઓળખાશે.
(૨) પરિભાષાસૂત્રઃ “નિયમે નિયરિપી પરિભાષા' સૂત્ર પ્રમાણે અર્થની સંગતિ થતી ન હોય તો કેવી રીતે અર્થ સંગત કરવો? એને માટે પરિભાષાસૂત્રનો સહારો લેવો પડે. દા.ત. વાડE: માર ચાવી (૧/૪/પર) સૂત્રમાં અષ્ટમ્ શબ્દમાં ષષ્ઠીવિભક્તિ છે. આથી શંકા થઈ કે આખા મટન શબ્દનો ના કરવો કે કોઈક વર્ણનો ના કરવો? આ પ્રમાણે નિયમની અવસ્થામાં પાડત્યસ્થ (૭/૪/૧૦૬) સૂત્રથી નિયમ થશે કે જો ષષ્ઠી સંતવાળું નામ હોય તો ત્યાં માત્ર અત્તનું જ કાર્ય કરવું. આથી હવે ગષ્ટનું શબ્દના અન્ય નું નો માં થશે. આમ, (૭/૪/૧૦૬) સૂત્ર એ પરિભાષા સૂત્ર થશે.
(૩) વિધિસૂત્ર: ‘કર્તવ્યત્વેનોપશો વિધિઃ' કર્તવ્યપણાંથી સૂત્રમાં જે જે કથન થયું હોય તે તે વિધિ કહેવાય છે અને વિધિ સંબંધી સૂત્રોને વિધિસૂત્રો કહેવાય છે. દા.ત. સમાનાનાં તેર તીર્થ: (૧/૨/૧) સૂત્ર એ વિધિસૂત્ર છે, કારણ કે સૂત્રમાં દીર્થપણાનું કર્તવ્ય તરીકે કથન થયું છે.
(૪) નિયમસૂત્રઃ ‘વધુત્ર પ્રાપ્તી સંકોવનું નિયમ: ' ઘણાં સ્થાનોમાં પ્રાપ્તિ હોતે છતે સંકોચ - કરવો તે નિયમસૂત્ર કહેવાય છે. આવું નિયમસૂત્ર રૂ-હ-પૂષા-ડર્ષ: શિ-ચોઃ (૧/૪/૮૭) છે. અહીં નિ તીર્થ: (૧/૪/૮૫) સૂત્રથી નની પૂર્વનો સ્વર તમામ પુત્ર પ્રત્યય પર છતાં દીર્ઘ થતો હતો. એ દીર્ઘવિધિનો (૧૪૮૭) સૂત્ર દ્વારા સંકોચ કરવામાં આવ્યો છે. જે આ પ્રમાણે છે – રૂનું અંતવાળું નામ તથા પૂષન વગેરે નામો સંબંધી “”ની પૂર્વનો સ્વર જો દીર્ઘ થશે તો શિ અને સિ પ્રત્યય પર છતાં જ થશે. આથી તમામ ઘુટું પ્રત્યયોને બદલે માત્ર ત્રણ ઘુટું પ્રત્યયો જ દીર્ઘવિધિ માટે આવશ્યક થાય છે. આમ (૧૪૮૭)માં સંકોચ કરવામાં આવ્યો છે. માટે આ નિયમસૂત્ર બને છે.
(૫) અતિદેશસૂત્ર: “અતુલ્યત્વવિધાનમ્ તિર્વેશ:' અન્યમાં જે સમાનપણાંનું વિધાન એ અતિદેશ-સૂત્ર કહેવાય છે. દા.ત. ૩ત્ય, સંધ્યાવત્ (૧/૧/૩૯). આમ તો એક, બે વગેરે નિયત સંખ્યામાં સંખ્યાપણું છે પરંતુ તિ અંતવાળા અને નતુ અંતવાળા શબ્દોમાં પણ સંખ્યાત્વધર્મની સમાનતાનું ભાવન કરવું છે અર્થાત્ તિ અંતવાળા અને નતુ અંતવાળા શબ્દોને પણ સંખ્યા