________________
૨૪
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ વય એ પ્રમાણે બહુવચન દ્વારા નિર્દેશ કર્યો છે. આ પ્રમાણે મર્દ સૂત્રની ટીકામાં રહેલા શબ્દોની માત્ર વ્યાખ્યાઓ કરવામાં આવી છે. વિશેષ વ્યાખ્યાના સ્વરૂપને શાસ્ત્રથી અથવા તો ગુરુમુખથી પુરુષવિશેષવડે જાણવા યોગ્ય છે.
-: જાસસારસમુદ્ધાર :अथ न्याससारसमुद्धारःप्रणम्य केवलालोकावलोकितजगत्त्रयम् । जिनेशं श्रीसिद्धहेमचन्द्रशब्दानुशासने ॥१॥ शब्दविद्याविदां वन्द्योदयचन्द्रोपदेशतः । न्यासतः कतिचिदुर्गपदव्याख्याऽभिधीयते ॥२॥
- ન્યાસસારસમુદ્ધારનો અનુવાદ - કેવળજ્ઞાનના પ્રકાશથી પ્રકાશિત કર્યું છે ત્રણ જગતુ જેમને એવા જિનેશ્વરને પ્રણામ કરીને શબ્દવિદ્યાના જાણનારાઓવડે વંદન કરવા યોગ્ય એવા ઉદયચન્દ્રના ઉપદેશથી શ્રી સિદ્ધહેમચન્દ્ર શબ્દાનુશાસન ગ્રન્થને વિશે ન્યાસ દ્વારા કેટલાંક દુઃખેથી જાણી શકાય એવા પદોની વ્યાખ્યા કહેવાય છે.
(न्या०स० ) प्रणम्येत्यादि-इह निःशेषशेमुषीसमुन्मेषनिर्मितानेकविद्वज्जनमनश्चमत्कारकारिशास्त्रनिकरविस्मापितविशदप्रद्धिमहद्धिकानेकसूरिः निष्प्रतिमप्रतिभासंभारापहस्तितत्रिदशसूरिः श्रीकुमारपालक्ष्मापालप्रतिबोधविधाननिखिलक्षोणिमण्डलाभयप्रदानप्रभृतिसंख्यातिक्रान्तप्रभावनानिर्माणस्मृतिगोचरसंचरिष्णूकृतचिरन्तनवैरस्वाम्यादिप्रवरसूरिः सुगृहीतनामधेयः श्रीहेमचन्द्रसूरिनिबिडजडिमग्रस्तं समस्तमपि विश्वमवलोक्य तदनुकम्पापरीतचेताः शब्दानुशासनं कर्तुकामः प्रथमं मङ्गलार्थमभिधेयादिप्रतिपादनार्थं चेष्टदेवतानमस्कारमाह-प्रणम्येति
અનુવાદ : - હવેની પંક્તિઓ શ્રી હેમચન્દ્રસૂરિ સ્વરૂપ વિશેષ્યના વિશેષણ તરીકે લખવામાં આવી છે. સંપૂર્ણ બુદ્ધિના ઉઘાડથી બનાવેલ અનેક વિદ્વાનપુરુષોના મનને ચમત્કાર પમાડનાર એવા શાસ્ત્રના સમૂહવડે આશ્ચર્યચકિત કર્યા છે. નિર્મળબુદ્ધિ સ્વરૂપ ઋદ્ધિવાળા અને મહાઋદ્ધિવાળા એવા અનેક આચાર્ય ભગવંતો જેમણે એવા, અનુપમ એવી મેઘાના સમૂહવડે પરાસ્ત કર્યા છે દેવતાઓના સ્વામી જેમણે એવા,
શ્રી કુમારપાળરાજાને પ્રતિબોધ કરવા દ્વારા સમસ્ત પૃથ્વી મંડળમાં અભય આપવા વગેરે સંખ્યાતીત પ્રભાવનાના વિસ્તારવડે સ્મૃતિના વિષયમાં સમ્યગુ રીતે સંચાર કર્યા છે. પ્રાચીન એવા વૈરસ્વામી (વજસ્વામી) વગેરે શ્રેષ્ઠ આચાર્યો જેમણે એવા,