________________
સૂ૦ ૧-૧-૧ ज्योतीरूपं देवा-धिदेवः सर्वज्ञः पुरुषविशेषः । यदाह"रागादिभिरनाक्रान्तो योगक्षेमविधायकः । नित्यं प्रसत्तिपात्रं यस्तं देवं मुनयो विदुः" ॥६॥
અનુવાદ - હવે “પરમેશ્વરચ પરમેષ્ઠિનો વાવવ” પદો સંબંધી સ્પષ્ટતા કરે છે.
દેવતા અને ગુરુઓનાં નામ ઉપપદ વિના બોલાય નહીં તથા પત્નીનું નામ તેમજ પોતાનું નામ પણ ક્યારેય બોલવું જોઈએ નહીં. કાશીમાં ભણાવનાર પંડિતજીઓ જ્યારે કોઈ પાસે જતા હતા ત્યારે તેઓ પોતાનું નામ ક્યારેય પણ બોલતા નહોતા. તેમની સાથે રહેલી વ્યક્તિ જ એ પંડિતજીનું નામ જણાવતી હતી. રાજાઓ જ્યારે પણ રાણીને બોલાવતા હતા ત્યારે પણ રાણીનું નામ ક્યારેય પણ બોલતા નહોતા. કલ્પસૂત્રમાં ચૌદ સ્વપ્નનાં વર્ણનમાં ત્રિશલા માતા જયારે સિદ્ધાર્થ રાજા સાથે સ્વપ્ન બાબતમાં ચર્ચા કરી રહ્યા હોય છે ત્યારે સિદ્ધાર્થ રાજા “દે સેવાનુ!િ ” વગેરે ઉપનામોથી જ સંબોધન કરતા હતા.
ઉપપદ વિના દેવતાઓના નામના ઉચ્ચારણનો પ્રતિષેધ છે. પ્રતિષેધનું આચરણ કરવામાં આવે તો પ્રાયશ્ચિત્ત કહેવામાં આવ્યું છે. આથી ઉપપદ સહિત જ દેવતાઓનું નામ પ્રાપ્ત થાય છે. “શ્રી' વગેરે ઉપપદો તેવા પ્રકારના વિશિષ્ટને ન બતાવી શકતાં હોવાથી તુચ્છ છે. તેથી જ પરમેષ્ઠીની વિશિષ્ટતા બતાવવા માટે “પરમેશ્વર' સ્વરૂપ ઉપપદને ગ્રહણ કર્યું છે.
હવે પરમેશ્વર સ્વરૂપ વિશેષણનો અર્થ બતાવે છે. જે અણિમા વગેરે લબ્ધિ સ્વરૂપ ઐશ્વર્યા છે તથા યોગની ઋદ્ધિવાળા જે છે તે પરમેશ્વર કહેવાય છે. અર્થાત્ અણિમા વગેરે લબ્ધિ અને યોગની ઋદ્ધિવાળા જે છે તે શ્રેષ્ઠ કહેવાય છે. દા.ત. કોઈક વ્યક્તિને મહારાજ કહીએ તો તે વ્યક્તિ મહત્ત્વગુણથી વિશિષ્ટ કહેવાય છે. એ પ્રમાણે પરમેશ્વર શ્રેષ્ઠ અર્થનું વાચક છે.
હવે પરમેષ્ઠિન: શબ્દ સંબંધમાં વિશેષતા બતાવે છે. “પરમ' પદમાં જે વર્તે છે તે પરમેષ્ઠી છે. વિશેષણ (પરમેશ્વરસ્ય) સહિત એવા આનાવડે (પરમેષ્ઠીવડે) સકલ રાગાદિ કલંકથી રહિત, યોગક્ષેમને કરનારા તથા શસ્ત્ર વગેરે ઉપાધિથી રહિત હોવાથી પ્રશંસાને પાત્ર તથા જ્યોતિ સ્વરૂપ એવા દેવાધિદેવ સર્વજ્ઞપુરુષ કહેવાય છે. કહ્યું પણ છે કે : - “જે રાગાદિથી ગ્રસ્ત ન હોય, યોગક્ષેમને કરનારા હોય તથા હંમેશાં પ્રશસ્તિને પાત્ર હોય તેને મુનિઓ દેવ કહે છે.”
(शन्या०) मन्त्रकल्पे हि मन्त्रवर्णानां वाचकत्वेन कीर्तनाद् वाचकमित्युक्तम् । यथा 'अસિ-મ-૩-સા' રૂતિ વીનપશ્ચર્યા પશ્ચીનામર્દઢાવીના ટુ-ર-7----સ્થતિ સાર્ધારા- ' . ' --હૃ૦' | ૨. આધારવિસાવ્યો હાનિ-રવિની-નાહિની-હિની-શનિ-હરિનીયાકિની: