SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ તેને કલા કહેવામાં આવે છે. નાદ સ્વરૂપ ધ્વનિ ધ્યાતાનો આત્મા જ સાંભળે છે અને આ નાદના પ્રભાવે પ્રાણ-શક્તિ સુષુમ્ભાનાડીમાં પ્રવેશ પામે છે તે સમયે ધ્યાતા આત્મસ્વરૂપનું દર્શન કરવા માટે તત્પર થાય છે. આથી તેની પ્રાણશક્તિ પચ્ચક્રોનું ભેદન કરીને બ્રહ્મરંધ્રમાં પહોંચી જાય છે અને ત્યાં આત્મા આત્માને આત્મારૂપે અનુભવતો હોય છે. આ જ સ્વાત્માનુભૂતિ છે. હવે તેનો જન્મ-મરણનો ભય નામશેષ થઈ જાય છે. અમે જે ઉપરોક્ત સ્વરૂપવાળી આત્માનુભૂતિનું વર્ણન કર્યું છે તે પૂજય શ્રી ચિદાનંદજી મ. સા. એ એક આધ્યાત્મિક પદમાં કર્યું છે. “સોહે સોહે સોહે સોહે સોહે સોહં રટના લગીરી .... ઇંગલા પિંગલા સુષુમના સાધકે, અરુણપતિથી પ્રેમ પગીરી... વંકનાલ ષચક્ર ભેદક, દશમ-દ્વાર શુભ જ્યોતિ જગીરી... ખુલત કપાટ ઘાટ નિજ પાયો, જનમ જરા ભય-ભીતિ ભગીરી... કાચ શકલ તજ ચિંતામણિ લઈ, કુમતિ કુટિલકું સહજ ઠગીરી. વ્યાપક સકલ સ્વરૂપ લખ્યો ઇમ, જિમ નભ મે મગ લહત ખગીરી... ચિદાનંદ આનંદમય મૂરતિ નિરખ પ્રેમભર બુદ્ધિ થગીરી..” આ પ્રમાણે બાહ્ય અને અત્યંતર સ્વરૂપવાળો મંત્ર જ ઈષ્ટ ફળની પ્રાપ્તિ કરાવી શકશે. આમ તો માત્ર મંડલ, મુદ્રા વગેરે પણ ફળને ઉત્પન્ન કરી શકશે. પરંતુ વિશેષથી ફળની ઉત્પત્તિ તો બાહ્ય અને અત્યંતર ભેદનો (પ્રકાર) સમૂહ જ કરી શકશે. હવે પછી સાત પંક્તિઓ હસ્તલિખિત પ્રતોમાં મળતી નથી. એવું અહીં જણાવવામાં આવ્યું છે. આ પ્રમાણે “સર્વે અક્ષર એ પરમેશ્વર સ્વરૂપ પરમેષ્ઠીનો વાચક છે. (શ૦ચા.) “તેવતાનાં ગુરૂMાં ર નામ નોપપ૬ વિના | उच्चरेन्नैव जायायाः कथञ्चिन्नात्मनस्तथा" ॥५॥ इति वचनाद् निरुपपददेवतानामोच्चारणस्य प्रतिषेधात्, प्रतिषिद्धाचरणे च प्रायश्चित्तोपदेशात्, सोपपददेवतानामोच्चारणस्यैव प्राप्तत्वात्, अन्यस्य च श्रीप्रभृतेरुपपदस्य तुच्छत्वेन तथाविधवैशिष्ट्याप्रतिपादकत्वाद् वैशिष्ट्यप्रतिपादनार्थं तस्य परमेश्वरस्य इत्युपपदमुपन्यस्यति । परमं यदैश्वर्यमणिमादि यच्च परमयोगद्धिरूपं तद्वान् परमेश्वरः, यथा महाराज इति, अत्र हि महत्त्वं, गुणं विशिंषद् द्रव्यं विशिनष्टीति । परमेष्ठिन इति-परमे पदे तिष्ठति यः स परमेष्ठी, अनेन च सविशेषणेन सकलरागादिमलकलङ्कविकलो योगक्षेमविधायी शस्त्राद्युपाधिरहितत्वात् प्रसत्तिपात्रं
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy