SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ સૂ૦ ૧-૧-૧ હવે ન્યાસમાં “નવ શશાત...' પંક્તિ છે એને બદલે કૈયટટીકામાં “શન્દ્રશ સામાન્યશાત્' એ પ્રમાણેનો પાઠ છે, જે સમ્યક્ જણાય છે અને એ કૈયટની પંક્તિના આધારે જ અમે અહીં અનુવાદ કરીએ છીએ. ૭ પૂર્વપક્ષ :- ‘શબ્દાનુશાસનમ્’ પ્રયોગમાં ‘શબ્દ’ સ્વરૂપ જે શબ્દ છે તે સામાન્યથી હોવાથી જગતમાં ધ્વનિ સ્વરૂપે જેટલું પણ સંભળાય છે તે બધા જ શબ્દોની વ્યુત્પત્તિ કરવાનો પ્રસંગ આવશે. અહીં અર્થ, પ્રકરણ વગેરે વિના એવું જણાતું નથી કે અહીં વિશેષ પ્રકારના શબ્દો જ લેવા. આથી વીણાના શબ્દો તથા પંખીઓના કલરવ વગેરે ધ્વનિ સ્વરૂપ તમામ શબ્દોના અનુશાસનનો (વ્યુત્પત્તિનો) પ્રસંગ આવશે. ઉત્તરપક્ષ :- ઉપરોક્ત શંકા કરવી નહીં. અહીં વ્યાકરણનો પ્રસંગ હોવાથી સામર્થ્યથી વિશેષ શબ્દોનો જ બોધ થાય છે; પરંતુ આ જગતમાં ધ્વનિ તરીકે જેટલું પણ સંભળાય છે એ બધા જ શબ્દોનો બોધ કરવાની આપત્તિ નહીં આવે. વ્યાકરણ સાધુ શબ્દો બાબતમાં જ બોધ કરાવે છે. તેથી લૌકિક એવા ગૌ:, અશ્વ:, પુરુષ:, હસ્તી, શનિįા:, બ્રાહ્મળ: વગેરે શબ્દો જ વ્યાકરણથી જણાશે. તેમજ ‘શા’ વગેરે વૈદિક (આર્ષ) શબ્દો જ વ્યાકરણથી જણાશે. આ પ્રમાણે ઉપરોક્ત આપત્તિનો અવકાશ રહેશે નહીં. અગાઉ ‘પરમાત્માનમ્’ એ પ્રમાણે કર્મધારય સમાસ બતાવેલ હતો. હવે આ જ શબ્દને બીજી રીતે બતાવે છે. તે આ પ્રમાણે છે - ‘પમ્’ તથા ‘આત્માનમ્’ એ પ્રમાણે બંને પૃથક્ શબ્દો જ છે અને બંને દ્વિતીયા એકવચનવાળા પ્રયોગો જ છે. આથી નમસ્કાર બે વ્યક્તિને કરવામાં આવે છે ૫રને અને આત્માને. જેમાંથી દોષો નીકળી ગયા છે તે પર કહેવાય છે અને આપણો આત્મા અપર કહેવાય છે. જે પ્રમાણે ઈશ્વર આપણા નમસ્કારનો વિષય છે તે પ્રમાણે આત્મા પણ નમસ્કારનો વિષય છે. કારણ કે આત્મા પ્રસન્ન થયે છતે તત્ત્વની સ્પષ્ટતા થાય છે. વળી આ પર અને અપર ઉભયનું જ્ઞાન થવાથી મિથ્યાજ્ઞાન વગેરેની નિવૃત્તિ થાય છે. આદિ શબ્દથી કષાય વગેરે દોષો સમજવા ‘મુણ્ડોપનિષદ્'માં કહ્યું છે કે : “૫૨ અને અપ૨ની અનુભૂતિ થયે છતે હૃદયની ગ્રંથિ ભેદાઈ જાય છે. બધા સંશયો છેદાઈ જાય છે અને કર્મોનો નાશ થાય જ છે.” અન્યત્ર પણ કહ્યું છે કે : “પર અને અપર સ્વરૂપ બે બ્રહ્મ છે. અપર સ્વરૂપ (આત્મા સ્વરૂપ) બ્રહ્મમાં જે નિષ્ણાત છે તે જ ૫૨ સ્વરૂપ (પરમાત્મા સ્વરૂપ) બ્રહ્મને પ્રાપ્ત કરે છે.” જો ‘પરમ્’ અને ‘આત્માનમ્' એ પ્રમાણે પૃથગ્ નિર્દેશ કરવામાં આવે તો સમુચ્ચયનો બોધ
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy