________________
૩૩૮
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧
પિતા પ્રતિશીન (ઐયકૃતનો દિકરો તથા ઐયકૃતના દિકરાના પિતા. પ્રતિશીનનો અર્થ શરદીવાળો.) અહીં જેમ પ્રત્યેક પદો અર્થવાન છે એ પ્રમાણે પદનો સમુદાય પણ અર્થવાન્ થવાથી નામસંજ્ઞાપણાને પ્રાપ્ત કરશે.
ઉત્તરપક્ષ :- વંશ વાહિનિ વગેરેમાં એક એક પદો અર્થવાનૢ છે, પરંતુ સમુદાય અર્થવાન્ નથી. સમુદાયમાં રહેલા પદો જો એકબીજા સાથે અન્વિત થઈ અને અર્થનો બોધ કરાવે તો જ સમુદાય અર્થવાનૢ છે. અહીં કોઈક વ્યક્તિ પોતાની જે ઇચ્છા થાય એ પ્રમાણે બોલ્યા કરે. ઘડીકમાં ‘“શ” પદ બોલે છે. વળી, પાછો ‘“ડિમાન'' પદ બોલે છે. આ પ્રમાણે અસંબંધિત પદોનો સમુદાય અનર્થક હોવાથી એવા અર્થવાનૢ સમુદાયની નામસંજ્ઞા થશે નહીં.
-
પૂર્વપક્ષ :- સમુદાયમાં અનર્થકપણું છે માટે નામસંજ્ઞાનો પ્રસંગ સમુદાયમાં આવતો નથી એ પ્રમાણે કહેવું યોગ્ય નથી. જો અવયવ અર્થવાન હોય તો અવયવના ધર્મો સમુદાયમાં કહી શકાતા હોવાથી સમુદાય પણ અર્થવાનુ કહી શકાશે. આથી સમુદાયમાં પણ નામસંજ્ઞાની પ્રાપ્તિ આવે જ છે.
ઉત્તરપક્ષ :- અર્થવાન્ એવા શબ્દોની નામસંશા કરવામાં આવી છે પરંતુ એમાં અર્થવાન્ એવા વિભક્તિ અન્ત શબ્દો, વાક્યો તથા ધાતુનું વર્જન કરવામાં આવ્યું છે. આથી આ ત્રણ સિવાયના જેટલા અર્થવાન્ હોય છે તે શબ્દોની જ નામસંજ્ઞા આ સૂત્રથી થાય છે. અહીં વશ વાહિમનિ વગેરે સ્વરૂપ સમુદાયમાં ભિન્ન ભિન્ન પદો વિભક્તિ અન્તવાળા હોવાથી વિભક્તિના નિષેધથી જ હવે અર્થવાન્ એવા આ સમુદાયની નામસંજ્ઞા થશે નહીં. માટે અમને કોઈ દોષ આવતો નથી.
પૂર્વપક્ષ :- વિભક્તિનું વર્જન કરવાથી વિભક્તિ અન્તવાળા પદો અર્થવાન્ હોય તો પણ નામસંજ્ઞા થશે નહીં, એવું કહેવું નહીં. પ્રત્યય પ્રત્યારે: (૭/૪/૧૧૫). પરિભાષાનું આ સૂત્ર જણાવે છે કે જેનાથી જે પ્રત્યય વિધાન કરાય તે પ્રત્યયની પ્રકૃતિ છે. દા.ત. ર્મળો: અન્ (૫/ ૧/૭૨) સૂત્રમાં કર્મથી પર ધાતુથી અદ્ પ્રત્યય થાય છે. અહીં ધાતુથી ત્રણ્ પ્રત્યયનું વિધાન કરાય છે, માટે ધાતુ એ અક્ પ્રત્યયની પ્રકૃતિ થાય છે. આથી અદ્ પ્રત્યય માટે કર્મથી પર રહેલ ધાતુ જ પ્રકૃતિ સ્વરૂપ કહેવાશે. એ જ પ્રમાણે અહીં દરેક પદથી નામસંજ્ઞાનો પ્રતિષેધ થઈ શકશે કારણ કે વિભક્તિના પ્રત્યયો માટે ભિન્ન ભિન્ન નામો જ પ્રકૃતિ સ્વરૂપ બને છે. આથી જ વિભક્તિના પ્રતિષેધથી વંશ પદમાં નામસંજ્ઞા નહીં થાય તેમજ વૈડિમાનિ પદમાં નામસંજ્ઞા નહીં થાય, પરંતુ વંશ ડિનિ સ્વરૂપ સમુદાયમાં તો અર્થવાપણું હોવાથી નામસંજ્ઞા થશે જ. બે પદોના સમૂહથી વિભક્તિ નથી થતી. માટે વિભક્તિના પ્રત્યયો માટે બે પદોનો સમૂહ પ્રકૃતિ સ્વરૂપ બનશે નહીં. માટે પદોના સમૂહમાં વિભક્તિ અંતનો અભાવ હોવાથી વિભક્તિનાં