________________
સૂ૦ ૧-૧-૨૭
૩૩૭
આવે છે. એક શબ્દનાં અર્થ ઉપરથી અનેક વાક્યમાં તે શબ્દનો અર્થ અલગ અલગ સંબંધથી સમજી શકાશે. વળી વાક્યાર્થને સમજવા માટે જો પદ અને પદાર્થનું આલંબન ન લેવામાં આવે તો જે પ્રમાણે શબ્દોની વ્યુત્પત્તિ થઈ શકે છે તે પ્રમાણે દરેક વાક્યની વ્યુત્પત્તિ કરવી પડશે અને વાક્યની વ્યુત્પત્તિ કરીને જ વાક્યાર્થનો બોધ થઈ શકશે. પરંતુ દરેક વાક્યની વ્યુત્પત્તિનો સંભવ નથી. આથી વાક્યથી જ જો વાક્યની વ્યુત્પત્તિ કરીને વાક્યનો અર્થ સમજવામાં આવશે તો શબ્દ વ્યવહારનાં ઉચ્છેદનો પ્રસંગ આવશે.
આ પ્રમાણે વાક્યનું અર્થવાપણું વિદ્યમાન હોવાથી નામસંજ્ઞાનો પ્રસંગ આવશે. માટે જ સૂત્રમાં વાક્યનું વર્જન કરવામાં આવ્યું છે. સૂત્રમાં વાક્યનું વર્જન કર્યું હોવાથી હવે અર્થવાન્ એવા વાક્યની નામસંજ્ઞા થશે નહીં. માટે જ બૃહવૃત્તિટીકામાં લખ્યું છે કે, વાયવર્ઝનમ્ વિમ્ ? અર્થાત્ વાક્યના વર્જનથી શું કહેવા માંગો છો ? જવાબમાં લખે છે કે, સાધુ: ધર્મમ્ વ્રૂતે આ વાક્ય અર્થવાનૢ છે. છતાં પણ તેની નામસંજ્ઞા થતી નથી. જો નામસંજ્ઞા થાત તો વાક્યમાં પણ “સ્યાવિ’વિભક્તિનો પ્રંસગ આવત.
( श० न्या० ) नन्वर्थवतो नामसंज्ञायामनेकस्यापि पदस्य समुदितस्य नामसंज्ञा प्राप्नोति - दश दाडिमानि, षडपूपा:, कुण्डमजाजिनं पललपिण्डः (अधरोरुकमेतत् कुमार्याः) स्फैयकृतस्य पिता प्रतिशीन:, (इति) न च समुदायस्याऽऽनर्थक्यादप्रसङ्ग इति वक्तुमुचितम्, अवयवानामर्थवत्त्वादवयवधर्माणां समुदाये व्यपदेशात् । न च विभक्तिप्रतिषेधाद् दोषाभावः "प्रत्ययः प्रकृत्यादेः" [७.४.११५.] इति प्रतिपदमेव संज्ञाप्रतिषेधस्तस्यैव तदन्तत्वाद्, न समुदायस्य तस्मात् प्रत्ययस्याविधानात् विभक्त्यन्तत्वाभावात्, न च " तदन्तं पदम् " [१.१.२०.] इत्यन्तग्रहणाद् अन्यत्र संज्ञांविधौ प्रत्ययग्रहणे तदन्तविधेरभावाद् “अविभक्ति० " इति प्रतिषेधो भवतीति वाच्यम्, यतः संज्ञाविधौ हि स प्रतिषेधः, न चायं संज्ञाविधिः किन्तु प्रतिषेधविधिरिति तदन्तस्यैव प्रतिषेध इति । लोकेऽप्यवयवधर्मेण समुदायव्यपदेशो भवति । यथा आढ्यमिदं नगरम्, गोमदिदं नगरम्, न च सर्वे तत्राढ्या भवन्ति गोमन्तो वा ।
અનુવાદ :- અહીં જુદાં જુદાં પદો જો અર્થવાન્ હોય તો પદોનાં સમુદાય પણ અર્થવાન્ હોઈ શકે છે. આવી માન્યતાનાં આધારે પૂર્વપક્ષ શંકા કરે છે.
પૂર્વપક્ષ :- જો અર્થવાની નામસંજ્ઞા થાય છે એવું તમે નક્કી કરો છો તો પૃથક્ પૃથક્ પદોના સમુદાયની પણ નામસંજ્ઞા થશે. જેમ કે વશ હિનિ (અર્થાત્ દશ દાડમ) પડપૂરા: (છ પૂડલાં) ડમ્, અનાનિનમ્, (કુંડ, બકરીનું ચામડું) પત્તપિણ્ડઃ (માંસનો પિંડ) અધરોમેતત્ માર્થા: આ પ્રયોગ મહાભાષ્યમાંથી લેવામાં આવ્યો છે. (જેનો અર્થ છે કુમારીનો ઘાઘરો.) મૈયતસ્ય