________________
૩૨૮
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧
આવ્યું તે વ્યર્થ થશે. આ પ્રમાણે “ધાતુ”નું વર્જન કરવાથી “અન્નન્” વગેરેની નામસંજ્ઞા થશે નહીં અને તેમ થવાથી પદને અંતે “”નો લોપ પણ થશે નહીં.
પૂર્વપક્ષ :- જો ‘‘ધાતુ’નાં વર્જન દ્વારા ધાતુઓમાં નામસંજ્ઞાનો નિષેધ થશે તો ક્વિબન્તવાળા એવા “છિન્દ્, મિત્” વગેરેમાં નામસંજ્ઞા કેવી રીતે થશે ? “વિવન્તા ધાતુત્વ નોાન્તિ, વં ૬ 'પ્રતિપદ્યન્તે ।' (ક્વિબત્ત વાળાઓ ધાતુપણું છોડતા નથી અને શબ્દપણું પ્રાપ્ત કરે છે.) ન્યાયથી “છિદ્” અને “મિલ્” પણ ધાતુ ગણાશે અને ધાતુનો અહીં પ્રતિષેધ થયો છે. આથી, છિદ્ર, મિત્ વગેરેની નામસંજ્ઞા કેવી રીતે થશે ? અને નામસંજ્ઞાનાં અભાવમાં સાતેય વિભક્તિનાં રૂપો જોવા મળશે નહીં.
ઉત્તરપક્ષ :- આ સૂત્રમાં ‘(અધાતુવિભક્તિવાન્યમ્ અર્થવન્નામ'') નિષેધ ત્રણ વસ્તુનો બતાવ્યો છે : ધાતુ, વિભક્તિ તથા વાક્ય. હવે વિભક્તિનો નિષેધ એ પર્યુદાસનિષેધ છે. જ્યારે ધાતુનો નિષેધ એ પ્રસજ્યનિષેધ છે. પર્યુદાસનિષેધ સદ્દશનું ગ્રહણ કરતો હોવાથી વિધિ સ્વરૂપ બને છે. વિભક્તિ એ પ્રત્યય હોવાથી વિભક્તિ સિવાયનાં પ્રત્યયાંત શબ્દો નામસંજ્ઞાવાળા થશે. આ પ્રમાણે પર્યુદાસનિષેધ (વિભક્તિ) વિધિ સ્વરૂપ થયો. તથા “અધાતુ” એ પ્રમાણેનો પ્રતિષેધ એ પ્રસજ્જ પ્રતિષેધ છે. આ પ્રસજ્જ પ્રતિષેધ એ નિષેધ સ્વરૂપ છે. આ પ્રમાણે એક જ પ્રયોગમાં જો વિધિ અને પ્રતિષેધ ઉભયની પ્રાપ્તિ આવે તો વિધિ જ બળવાન બને છે. ‘છિલ્’ અને ‘મિત્’માં ક્વિર્ પ્રત્યય અંતવાળું નામ માનવામાં આવે તો ‘“અવિભક્તિ” સ્વરૂપ પર્યાદાસ-પ્રતિષેધથી ક્વિપ્ પ્રત્યયાંતવાળા શબ્દોમાં નામસંજ્ઞાની વિધિ થઈ શકશે. તથા “અધાતુ” એ પ્રમાણે પ્રસજ્ય પ્રતિષેધથી “ટ્િ” અને “મિ ્”માં નામસંજ્ઞાની વિધિ થઈ શકશે નહીં. છતાં પણ વિધિ અને પ્રતિષેધ ઉભય હોય ત્યારે વિધિ જ બળવાન બને છે. (વિધિ-પ્રતિષેધયો: વિધે: વ વત્તીયસ્ત્યાત્ I) ન્યાયથી “અધાતુ” એ પ્રમાણેનો પ્રતિષેધ અપ્રવૃત્તિવાળો થવાથી “ટ્િ” અને “મિલ્’માં નામસંજ્ઞાથી સિદ્ધિ થઈ શકશે.
‘‘અધાતુવિભક્તિવાવ્યમ્’” અહીં, બે પ્રકારનાં સમાસની પ્રાપ્તિ આવે છે ઃ (૧) “નન્’” બહુવ્રીહિ સમાસ તથા (૨) નન્ તત્પુરુષ સમાસ. અહીં, એક સિદ્ધાંત છે કે “સમાનાર્થે વેવાં વિપ્ર મેવાદ્યન્ન तत्पुरुषः प्राप्तोति बहुव्रीहिश्च तत्र तत्पुरुष एव भवति ।" ( भगवत् पतञ्जलि प्रणीतम् महाभाष्यम् ૨-૧-૨૪ સૂત્રના આધારે આ સિદ્ધાંત લખ્યો છે.) જ્યાં અર્થનું સમાનપણું હોતે છતે માત્ર વિગ્રહભેદથી તત્પુરુષ તથા બહુવ્રીહિ બંને પ્રાપ્ત થઈ રહ્યા હોય ત્યાં તત્પુરુષ સમાસનો અર્થ જ વિચારવો, બહુવ્રીહિ સમાસનો નહીં. બહુવ્રીહિ સમાસ એ સામાન્ય શાસ્ત્ર છે. જ્યારે તત્પુરુષ સમાસ એ વિશેષ શાસ્ત્ર છે. માટે, વિશેષ શાસ્ત્રનો જ સહારો લેવો જોઈએ. તત્પુરુષ સમાસમાં વ્યવધાન રહિત પ્રત્યક્ષથી બોધ થાય છે. તથા બહુવ્રીહિ સમાસમાં પ્રત્યક્ષથી બોધ થતો નથી,