SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ સૂ૦ ૧-૧-૨૬ ૨૯૯ બની ગઈ છે. માટે જ એને સ્યાદિ વિભક્તિનાં પ્રત્યયો લાગે છે. આમ તો એ સત્ત્વ સ્વરૂપ નથી, છતાં પણ સત્ત્વ સ્વરૂપ હોય એવું પ્રતીત થાય છે. આ સિદ્ધ ક્રિયા પણ જાણે કે સાધ્ય ક્રિયા છે. આથી સિદ્ધ ક્રિયાની પ્રધાનતાવાળું પણ વાક્ય કહેવાય છે. ક્રિયા જ્યારે સ્વાદિ વિભક્તિનાં પ્રત્યયોને યોગ્ય થઈ જાય છે ત્યારે એ નામ સ્વરૂપને પ્રાપ્ત થાય છે. કારણ કે આ સિદ્ધ ક્રિયા જાણે કે સત્ત્વ સ્વરૂપ બની ગઈ છે. માટે જ નામસંજ્ઞાને પ્રાપ્ત કરે છે. આમ થવાથી ત્યા, ત્યાૌ વગેરે રૂપો ચાલે છે, પરંતુ છે તો ક્રિયા જ. આ સિદ્ધ ક્રિયા એ પોતાનાં સ્વરૂપથી સંપૂર્ણ ક્રિયા નથી. માટે જ એને ક્રિયાનું ઉપલક્ષણ કહ્યું છે. હવે સાધનનો અર્થ કા૨ક થશે. સિદ્ધ ક્રિયામાં કારકનો વ્યાપાર ક્રિયાના અર્થ તરીકે જણાય છે. માટે સિદ્ધ ક્રિયા સ્વરૂપ આખ્યાત જો વિશેષણ સહિત હોય તો પણ વાક્ય કહેવાય છે. હવે ત્ અને આખ્યાતમાં ભેદ શું છે એ બતાવે છે. વાર, પાન વગેરે પ્રયોગોમાં કરનારો, રાંધનારો વગેરે સત્ત્વ સ્વરૂપ પદાર્થ પણ છે. તથા કરવું, રાંધવું સ્વરૂપ ક્રિયા પણ છે. અહીં કોની પ્રધાનતા માનવી ? ક્રિયાની કે કારકની ? આ જિજ્ઞાસાનાં અનુસંધાનમાં આચાર્ય ભગવંતશ્રી લખે છે કે શબ્દશક્તિનાં માહાત્મ્યથી ાર વગેરે પ્રયોગોમાં કારકનાં વ્યાપારની જ પ્રધાનતા છે. ક્રિયા માત્ર તે તે કર્તાનાં ઉપલક્ષણથી વ્યાપારવાળી થાય છે. આમ, આખ્યાતમાં માત્ર ક્રિયાની જ પ્રધાનતા હોય છે. જ્યારે કૃદન્તમાં કારકની પ્રધાનતા પણ હોઈ શકે છે. મુખ્ય ભેદ આ બંને ક્રિયા વચ્ચે ઉપર જણાવ્યા પ્રમાણે હોવાથી આચાર્ય ભગવંતશ્રીએ બૃહવૃત્તિ ટીકામાં લખ્યું છે કે ત્યાદિ અંતવાળું પદ જ આખ્યાત કહેવાય છે. ઉપર કા૨ક વગેરે પ્રયોગોમાં જે કારકની પ્રધાનતા બતાવી તેમાં મુખ્ય કારણ આ પ્રમાણે છે. કર્તા હાજર થાય છે તો કરવું વગેરે ક્રિયા છે. જો કર્તા જ ન હોય તો કરવું વગેરે ક્રિયા પણ કેવી રીતે હોઈ શકે ? અહીં કર્તાને પરાધીન એવી ક્રિયા જ જણાય છે. સ્વયં ક્રિયા કર્તાને ખેંચી લાવતી નથી. માટે જાર, પાન વગેરે પ્રયોગોમાં કારકનાં વ્યાપારની જ પ્રધાનતા છે. ક્રિયા એ સાધનનાં ઉપલક્ષણપણાંથી વ્યાપારવાળી થાય છે. ( श० न्या० ) ननु साव्ययं सकारकं सकारकविशेषणं सक्रियाविशेषणं चाख्यातं वाक्यमिति વક્તવ્યમ્ । સાવ્યયં યથા-૩ન્વેનું પતીતિ, સારમ્-ઓવન પવતીતિ, સારવિશેષળમ્मृदु विशदमोदनं पचति, देवदत्त ! गामभ्याज शुक्लां दण्डेनेति, सक्रियाविशेषणम्-सुष्ठु पचति । न वक्तव्यम्-सर्वाण्येतानि क्रियाविशेषणानि, किञ्चिद् विशेषणं साक्षाद् भवति, किञ्चित् पारम्पर्येण, तदपि किञ्चित् प्रयुज्यमानं किञ्चिदप्रयुज्यमानम्, सामान्यनिर्देशेन च सर्वस्यापि परिग्रह इत्याह-साक्षादित्यादि-यत् क्रियायाः साधनस्य वा तदतदात्मनोऽतद्रूपादव्यवधानेन व्यवच्छेदकं
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy