________________
૨૬
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ “ ત્યા સાવ” (૧/૧/૩૯) વગેરે ચાર સૂત્ર સંબંધી પૂજય આચાર્ય ભગવંતશ્રી હેમચન્દ્રાચાર્યજીનો બૃહવ્યાસ મળતો નથી; પરંતુ આચાર્ય ભગવંતશ્રીની સૂત્ર તથા બ્રહવૃત્તિટીકા તેમજ સંખ્યા સંબંધી કાર્યોના વિવિધ સૂત્રોના આધારે કંઈક અનુપ્રેક્ષા અહીં રજૂ કરું છું. આચાર્ય ભગવંતશ્રીએ આ (૧/૧/૩૯) સૂત્રને અતિદેશસૂત્ર બનાવ્યું છે. આમ કરવા દ્વારા તેમણે કૃત્રિમ એવા “તિ” અને “તું” અંતવાળા શબ્દોને સંખ્યા જેવા સિદ્ધ કર્યા છે. તથા જે રૂઢિથી સંખ્યાવાચક શબ્દો છે તેઓની સંખ્યાસંજ્ઞા ન કરી ત્યાં માત્ર પૂર્વના મહાપુરુષોને અનુસરીને પ્રસિદ્ધ એવા સંખ્યાવાચક શબ્દોને જ ગ્રહણ કર્યા. આ સંબંધમાં અભિપ્રાય એમણે “તો ” સૂત્રમાં જ આપી દીધો હતો. “તો” સૂત્રમાં તેમણે કહ્યું હતું કે સંખ્યાસંજ્ઞાની સિદ્ધિ શાસ્ત્રને જાણનારાઓ પાસેથી થાય છે. હવે આ સૂત્ર જો સંજ્ઞાસૂત્ર તરીકે બનાવે તો માત્ર “તિ” અને “અતુ” અંતવાળું નામ જ સંખ્યા સંબંધી તે તે સૂત્રોના કાર્યોમાં લઈ શકાશે; પરંતુ રૂઢિથી પ્રસિદ્ધ એવા સંખ્યાવાચક શબ્દોને તે તે સૂત્રોમાં સમાવી શકાશે નહીં. પાણિની વ્યાકરણમાં “વહુવતુતિ સા ” (૧/ ૧/૨૩) આ પ્રમાણે આ સૂત્રથી સંખ્યાસંજ્ઞા સિદ્ધ કરી છે. આથી ઘણી બધી આપત્તિઓનો અવકાશ રહે છે, જેનું વર્ણન અમે (૧/૧/૩૯) સૂત્રમાં કરેલ છે. જિજ્ઞાસુઓને એ સૂત્રનો અભ્યાસ કરવાથી એ બધું જ ખ્યાલમાં આવી શકશે.
પ્રથમ અધ્યાયના પ્રથમ પાદના ૩૮ સૂત્રો સંબંધી બૃહસ્થાના આચાર્ય ભગવંતશ્રીનો મળે છે. આ ભાષાંતર કરનારે જ્યારે આ ન્યાસ જોયો ત્યારે એવું જણાયું છે કે એમણે એમના પૂર્વના મહર્ષિઓને સંપૂર્ણ ન્યાય આપ્યો છે. જ્યાં જ્યાં કંઈક વિશેષતા જણાવવાની જરૂર લાગી છે ત્યાં ત્યાં તેમણે પોતાની બુદ્ધિપ્રતિભા દ્વારા મૌલિકતાને રજૂ કરી છે. વાક્યપદયમાં ભર્તુહરિએ એક શ્લોક લખ્યો છે. જે આ પ્રમાણે છે :
"प्रज्ञां विवेकं लभते भिन्नैरागमदर्शनैः । कियद् वा शक्यमुन्नेतुं स्वतर्कमनुधावता ॥१॥"
જુદા જુદા આગમો અને દર્શનીવડે પ્રજ્ઞાને શુદ્ધિ પ્રાપ્ત થાય છે. પોતાના સિદ્ધાંતને જ અનુસરવાથી કેટલો ઉત્કર્ષ સાધી શકાશે? અન્ય પક્ષના ખંડન કરવા દ્વારા માત્ર પોતાના જ પક્ષને અનુસરનાર બહુ વિકાસ પ્રાપ્ત કરી શકતા નથી. આનંદઘનજી મહારાજા પણ નમિનાથ પ્રભુના સ્તવનમાં જણાવે છે કે “ષડ્રદરિસણ જિન અંગ ભણીજે..” આ પંક્તિનો અભિપ્રાય પણ એવું જ કહે છે કે છએ દર્શનો જિનેશ્વરના શાસનના અંગો છે.
આગળ આ શ્લોક પછીના શ્લોકમાં ભર્તુહરિ આ પ્રમાણે જણાવે છે : "तत्तदुत्प्रेक्षमाणानां पुराणैरागमैर्विना । अनुपासितवृद्धानां विद्या नातिप्रसीदति ॥१॥".