________________
અનુવાદકના ઉદ્ગારો
૨૫
આવશે ત્યારે અર્થ થશે : ‘તે ઇંધણ અને પાણીમાં ગુણાંતરને ઉત્પન્ન કરે છે.’ ‘‘ધસ્” શબ્દ સ્ અંતવાળો પણ છે. જેનું પ્રથમા એકવચન : થશે. તથા “વ” શબ્દ પાણી અર્થનો વાચક છે. આથી આખું વાક્ય ‘૪: વક્ષ્ય ૩પસ્તુતે” એ પ્રમાણે પણ થઈ શકશે, જેનો અર્થ ‘ઇંધણ પાણીમાં ગુણાંતરને ઉત્પન્ન કરે છે.' પાણીને જ્યારે અગ્નિ પર મૂકવામાં આવે છે ત્યારે ઇંધણને કારણે પાણી શીત સ્પર્શને છોડીને ઉષ્ણ સ્પર્શવાળું થતું હોવાથી ઉપર મુજબ કહી શકાય છે.
આ જ સૂત્રમાં આગળ ‘“અપિ” અવ્યયના જુદાં જુદાં અર્થો બતાવવામાં આવેલ છે. જ્યારે પિ સાથે ન ્ ધાતુ આવે છે ત્યારે અત્તિ અવ્યય નહ્ ધાતુના ‘બાંધવું’ અર્થને પ્રકાશિત કરે છે. અહીં ભૂતકૃદન્તનો ત () પ્રત્યય લાગીને ‘પિનદ્ધ” શબ્દ બને છે. જેનો ‘બાંધેલું’ એ પ્રમાણે અર્થ થાય છે. હવે આ પ્રયોગમાંથી પહેલો અને છેલ્લો અક્ષર કાઢી નાંખવામાં આવે તો ‘“વિન”. શબ્દ બાકી રહે છે. અંગ્રેજીમાં Pin શબ્દ આવે છે. જે પાનાંઓને બાંધવા માટે વપરાય છે. આથી જ સમજાય છે કે અંગ્રેજી ભાષા પણ સંસ્કૃત ભાષા પર આધાર રાખે છે.
પાણિની વ્યાકરણમાં ઇન્ સંજ્ઞાના જુદા જુદા સૂત્રો બનાવ્યા છે. ‘પરેશેઝનુનાસિ...' (૧/૩/૨). તેમના આ સૂત્ર પ્રમાણે અષ્ટાધ્યાયી, ધાતુપાઠ, ઊણાદિસૂત્ર, ગણપાઠ અને લિંગાનુશાસનમાં ઉચ્ચારણ કરાયેલા “અનુનાસિવ્ઝ ઞ”ની (સ્વરની) ઇન્ સંજ્ઞા થાય છે. દા. ત. પાઁ ધાતુપાઠમાં પણ્ ધાતુને અનુનાસિક અવ્વાળો બતાવેલ છે. પર્ ધાતુમાં જે છેલ્લે ઞ સ્વર છે તે અનુનાસિક અવ્ છે. તથા આ ૐની ઇસંજ્ઞા થાય છે. જે પ્રમાણે (૧/૩/૨) સૂત્ર ઇત્સંજ્ઞા માટે બનાવ્યું છે એ જ પ્રમાણે ઇસંજ્ઞા માટે જુદા જુદા છ સૂત્રો બનાવ્યા છે. તથા ઇત્સંજ્ઞા તરીકે પ્રસિદ્ધ થયેલા વર્ણનો લોપ કરવા માટે ‘તસ્ય જોવઃ” (૧/૩/૯) સૂત્ર બનાવ્યું છે. જ્યારે આચાર્ય ભગવંતશ્રીએ ઇત્સંજ્ઞા માટે એકમાત્ર ‘અપ્રયોૌત્’” (૧/૧/૩૪) સૂત્ર જ બનાવ્યું છે. તેમજ સૂત્રમાં રહેલા ત્ શબ્દની આવૃત્તિ કરીને એક જ ઇત્ શબ્દના બે અર્થ કર્યા છે. એક ઇત્ શબ્દ “સંજ્ઞાવાચક’” અર્થમાં પ્રસિદ્ધ કર્યો છે. તેમજ બીજો ઇત્ શબ્દ “દૂર થાય છે’” તેવા અર્થમાં પ્રસિદ્ધ કર્યો છે. આમ બીજા અર્થ દ્વારા ઇત્ સંજ્ઞાના વર્ણોનો લોપ કર્યો છે. આ પ્રમાણે સૂત્રમાં રહેલા ઇત્ શબ્દની આવૃત્તિ કરીને બે અર્થ કર્યા છે. તથા બૃહશ્વાસમાં “ટુડુબીનામાવિભૂતાનામ્...' પંક્તિઓ દ્વારા સંપૂર્ણ ધાતુપાઠમાં ઇત્ વર્ણોની સમજ કેવી રીતે પ્રાપ્ત કરવી તેની અદ્ભુત પ્રક્રિયા બતાવી છે. ઉપરોક્ત પંક્તિનું વર્ણન જોયા પછી ધાતુપાઠની રચના આચાર્ય ભગવંતશ્રીની બુદ્ધિપ્રતિભા ઘણી ઊંચાઈ પર છે એવું માનવા પ્રોત્સાહિત કરે છે. આ વસ્તુનો ખ્યાલ તો જેઓ આ પદાર્થનું ચિંતન ક૨શે તેઓને જ આવશે. આમ આચાર્ય ભગવંતશ્રીએ આ એક જ સૂત્ર દ્વારા ઇત્સંજ્ઞા બતાવીને બુદ્ધિની સૂક્ષ્મતાની વિદ્વાનોને પ્રતીતિ કરાવી છે.