SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ સૂ૦ ૧-૧-૧૭ ૨૨૩ ઉત્તરપક્ષ :- રારનો પણ બીજો રાર સ્વ થશે. રાર સ્વરૂપ વ્યંજન દુનિયામાં ઘણાં બધા છે તેમજ ઉષ્માક્ષરો પણ ઘણાં બધા છે. આથી બધા જ વ્યંજનો સ્વસંજ્ઞાવાળા બની જાત અને તેમ થતાં સ્વસંજ્ઞાનું સૂત્ર જ નિરર્થક થાત. આ બધી આપત્તિઓ ન આવે, માટે આપે આપેલો દોષ ઉપસ્થિત થતો નથી માત્ર તુલ્ય શબ્દ સંબંધી શબ્દ છે એવું જણાવવા માટે જ ઉપરોક્ત હકીકતો બૃહવૃત્તિ ટીકામાં લખી છે. (श०न्या० ) ननु करणतुल्यताऽपि स्वसंज्ञाप्रयोजिका, भिन्नकरणानां स्वत्वाभावात् । तथाहिનિચ-તાતવ્ય-મૂર્ધન્ય-વન્ત્યાનાં બિયા રણમ્ । જ્યમિતિ ? નિમૂલેન નિહ્નયાનામ્, जिह्वामध्येन तालव्यानाम्, जिह्वोपाग्रेण मूर्धन्यानाम्, जिह्वाग्राधः करणं वा, जिह्वाग्रेण दन्त्यानाम्, शेषाः स्वस्थानकरणास्तत् कथमिदं नोक्तम् ? उच्यते - स्थानाऽऽस्यप्रयत्नतुल्यत्वे करणस्य तुल्यत्वाद् इत्याह- करणं त्विति । -- અનુવાદ :- પૂર્વપક્ષ :- જે પ્રમાણે સ્વસંજ્ઞામાં સ્થાન અને આસ્ય પ્રયત્નની તુલ્યતા વિચારાય છે એ પ્રમાણે સ્વસંજ્ઞાના વિષયમાં કરણની તુલ્યતા પણ થવી જોઈએ. કારણ કે જે જે વર્ણો ભિન્ન ભિન્ન કરણવાળા હોય છે તે તે વર્ણોમાં સ્વસંજ્ઞા થતી નથી. આથી સ્વસંજ્ઞામાં નિમિત્ત તરીકે કરણની તુલ્યતા પણ છે; છતાં પણ કરણતુલ્યતાનો સ્વસંજ્ઞામાં સમાવેશ થયો નથી. સૂત્રકારે સ્થાન અને આસ્યપ્રયત્ન સમાન હોય તો સ્વસંશા થાય એ પ્રમાણે કહ્યું છે, તો પછી સ્થાન, આસ્ય પ્રયત્ન અને કરણ એ ત્રણેય તુલ્ય હોય તો સ્વસંશા થાય છે એવું શા માટે કહેવામાં આવ્યું નથી ? સ્વસંજ્ઞામાં કરણની તુલ્યતા કેવી રીતે છે એ આચાર્ય ભગવંતશ્રી બતાવે છે. જિહ્વામૂલીય વર્ણ તેમજ તાલવ્ય, મૂર્ધન્ય અને દન્ય વર્ણોનું કરણ જીભ છે. જિહ્વામૂલીય વર્ણનું કરણ જીભનું મૂળ છે. તાલવ્ય વર્ણોનું કરણ જીભનો મધ્યભાગ છે, મૂર્ધન્ય વર્ણોનું કરણ જીભનો ઉપાગ્રભાગ છે અથવા તો જીભની આગળનો નીચેનો ભાગ છે. દન્ય વર્ણોનું કરણ જીભનો અગ્રભાગ છે. બાકીના વર્ણોના પોતપોતાના સ્થાન, કરણ સ્વરૂપે છે. જો આ પ્રમાણે છે તો પછી જે પ્રમાણે સ્થાન અને આસ્ય પ્રયત્નનું તુલ્યપણું કહ્યું છે એમ કરણનું પણ તુલ્યપણું શા માટે નથી કહેવાયું ? ઉત્તરપક્ષ :- સ્થાન અને આસ્ય પ્રયત્નનું તુલ્યપણું હોતે છતે કરણનું પણ તુલ્યપણું થાય છે. આ હકીકત જણાવવા માટે આચાર્ય ભગવંતશ્રીએ બૃહવૃત્તિમાં જ્યાં તુ... પંક્તિઓ લખી છે જેનો અનુવાદ અમે અગાઉ કરી ગયા છીએ. ( श० न्या० ) अथ कस्य किं स्थानं प्रयत्नो वा ? न ह्यस्येदं स्थानं प्रयत्नो वेत्यविज्ञाते तदैक्यानुवादेन विधीयमानं स्वत्वं शक्यं विज्ञातुम्, इत्यत आह- तत्र स्थानमिति । ननु स्थानमुपक्रान्तम्, ‘अवर्ण-ह-विसर्ग...' इत्यादिना तु स्थानिनो निर्दिष्टाः, ततश्चान्यदुपक्रान्तमन्यद्
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy