________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧
૨૦૬
વ્યંજનો કંઠ્યસ્થાનવાળા અને સ્પષ્ટકરણવાળા પરસ્પર સ્વસંજ્ઞાવાળા થાય છે એ જ પ્રમાણે ચવર્ગના પાંચ વ્યંજનો તાલવ્ય સ્થાનવાળા તેમજ સ્પષ્ટતા પ્રયત્નવાળા પરસ્પર સ્વસંજ્ઞાવાળા થાય છે.
ય, લ, વ સ્વરૂપ જે અન્નસ્થા છે એ પ્રત્યેકના અનુનાસિક અને અનનુનાસિક સ્વરૂપ બે બે ભેદો છે. આ બે બે ભેદો પરસ્પર સ્વસંજ્ઞાવાળા થાય છે.
રેફ અને ઉષ્માક્ષરોમાં સ્થાન અને આસ્યપ્રયત્નનું સમાનપણું ન હોવાથી તેઓ સ્વસંજ્ઞાવાળા થતાં નથી.
(foપ્ર૦ ) આર્યગ્રહનું વાહ્યપ્રયત્નનિવૃત્ત્વર્થમ્, તે દ્દિ‘‘સન્ન:’’[ ૭.૪.૨૦,] इत्यत्रैवोपयुज्यन्ते, न स्वसंज्ञायाम्; के पुनस्ते ? विवारसंवारौ श्वास-नादौ घोषवदघोषता अल्पप्राण - महाप्राणता उदात्तो ऽनुदात्तः स्वरितश्चेत्येकादश । कथं पुनरेते आस्याद् बाह्याः स्पृष्टतादयस्तु आन्तराः ? उच्यते - वायुना कोष्ठे ऽभिहन्यमानेऽमीषां प्रादुर्भावात्, स्पृष्टतादीनां तु कण्ठादिस्थानाभिघाते भावात् ।
અનુવાદ :- સૂત્રમાં તુલ્યસ્થાનપ્રયત્ન: સ્વ: લખ્યું હોત તો ચાલત છતાં પણ પ્રયત્નના વિશેષણ તરીકે ‘‘આસ્ય” શબ્દનું ગ્રહણ શા માટે કર્યું ? આ જિજ્ઞાસાના સંદર્ભમાં આચાર્ય ભગવંત જણાવે છે કે, ‘આસ્ય’ના ગ્રહણથી બાહ્યપ્રયત્નની નિવૃત્તિ થશે. પ્રયત્ન બે પ્રકારના છેઃ અભ્યન્તર પ્રયત્ન અને બાહ્ય પ્રયત્ન. અહીં અભ્યન્તર પ્રયત્નો છે તે આસ્યપ્રયત્ન તરીકે લીધા છે અને ત્રસ્ય (વિશેષણ) ગ્રહણ થવાથી બાહ્ય પ્રયત્નોની નિવૃત્તિ થઈ છે. હવે શંકા થાય કે, બાહ્ય પ્રયત્ન ક્યાં ઉપયોગી છે ? એના અનુસંધાનમાં આચાર્ય ભગવંત જણાવે છે કે બાહ્ય પ્રયત્નો ‘આસન’ (૭/૪/૧૨૦) પરિભાષા સૂત્રમાં જ ઉપયોગી છે. આ બાહ્ય પ્રયત્નો સ્વસંશામાં ઉપયોગી નથી.
બાહ્ય પ્રયત્નો ત્રસન્ન પરિભાષામાં ઉપયોગી છે. અહીં (૭૪ ૧૨૦) સૂત્રની બૃહવૃત્તિટીકામાં લખ્યું છે કે, જ્યાં જ્યાં આસન્ન અને અનાસન્નનો પ્રસંગ ઉપસ્થિત થાય ત્યાં ત્યાં સ્થાન, અર્થ અને પ્રમાણથી આસન્ન હોતે છતે જ વિધિ થશે એ સૂત્રની ટીકામાં સ્થાન, અર્થ અને પ્રમાણ પછી આદિ શબ્દ લખ્યો છે તો અહીં “આવિ”થી ગુણકૃત્સાદશ્ય સમજવું. ગુણ એટલે પ્રયત્ન સમજવો. સિદ્ધહેમવ્યાકરણમાં બાહ્ય પ્રયત્નકૃત્સાદશ્ય સંબંધી આસન પરિભાષાનો ઉપયોગ કરવો પડે એવી આવશ્યકતા “ઽનિશ્ચેનો: નૌ થિતિ’” (૪/૧/૧૧૧) સૂત્રમાં રહેતી નથી કારણ કે “યથાસંમ્ અનુવેશ: સમાનાનામ્' ન્યાયથી ર્ અને નો અનુક્રમે ∞ અને રૂ થાય છે એવો બોધ થઈ જાય છે, પરંતુ પાણિની વ્યાકરણમાં આ વિધિ સંબંધમાં “જ્ઞનો: હ્ર ષિયતો:” (૭/ ૩/૫૨) સૂત્ર બનાવવામાં આવ્યું છે. એ સૂત્ર પ્રમાણે ૬ અને નો ‘વ’ ઇત્વાળા પ્રત્યય પર
च्