SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ કરાયો છે એવું આચાર્ય ભગવંતશ્રી જણાવે છે. હવે જ્યાં વ્યક્તિ પરક નિર્દેશ કરાયો હોય ત્યાં એક જ પ્રકારવાળો “ગૌ” સ્વરસંજ્ઞાવાળો થઈ શકશે. આથી દીર્ઘ સ્વરવાળા “”ની જ સ્વરસંજ્ઞા થશે; પરંતુ “ગૌરની સ્વરસંજ્ઞા થઈ શકશે નહીં. આથી ડુત વર્ણોની પણ સ્વરસંજ્ઞા કરવા માટે આ સૂત્રની બૃહદ્રવૃત્તિ ટીકામાં બહુવચન કરવા દ્વારા સ્કુત સંજ્ઞાવાળા વર્ગોને પણ ગ્રહણ કર્યા છે. “ –ો-બો-ગૌ સચ્ચક્ષરમ્' (૧/૧૮) સૂત્રમાં જાતિપરક નિર્દેશ કરવામાં આવ્યો છે. હવે જો જાતિપરક નિર્દેશ કરવામાં આવે તો બધા જ પ્રકારના “મન”ની સભ્યક્ષર સંજ્ઞા થઈ શકશે. આથી જ “”ની પણ સભ્યક્ષર સંજ્ઞા થાય છે એવું જણાવવા માટે બૃહદ્રવૃત્તિ ટીકામાં આચાર્ય ભગવંત દ્વારા કોઈ અન્ય પુરુષાર્થ કરાયો નથી. જે રીતે (૧/૧૪) સૂત્રમાં બહુવચન લુતને ગ્રહણ કરવા માટે કર્યું છે એ પ્રમાણે (૧/૧/૮) સૂત્રમાં એવો કોઈ પુરુષાર્થ કરાયો નથી. વળી (૧/૧/ ૮) સૂત્રમાં જાતિપરક નિર્દેશ હોવાથી તેમજ જાતિનો કોઈ આકાર ન હોવાથી “વ-વ્યયાત્ સ્વરૂપે :” (૭/૨/૧૫૬) સૂત્રથી વર્ણના સ્વરૂપને બતાવનાર “ર" પ્રત્યય પણ થયો નથી તેમજ વ્યક્તિ સ્વરૂપને બતાવનાર તેર પણ ગ્રહણ કરાયો નથી. પાણિની વ્યાકરણના ચૌદ માહેશ્વર સૂત્રમાં કોઈપણ વર્ણનો વ્યક્તિપરક નિર્દેશ કરવા માટે તાર વગેરે દ્વારા પુરુષાર્થ કરાયો નથી. આથી તેમના મતે માત્ર જાતિપરક નિર્દેશ માનવામાં આવે તો વ્યક્તિ પરક નિર્દેશ ન માનવાના કારણે જે જુદા જુદા દોષો સંભવે છે તેનું નિરાકરણ સંભવશે નહીં. જેમ કે વિશેષ પ્રકારના વગેરેનો નિર્દેશ થઈ શકશે નહીં. ઉભય પક્ષના દોષોનું નિરાકરણ વાસ્તવિક એવા અનેકાંતવાદને અપનાવવાથી જ થઈ શકશે. આચાર્ય ભગવંતશ્રીએ સૂત્રોની રચનામાં જ અનેકાંતવાદને સમાવી દીધો છે. આવી બુદ્ધિપ્રતિભા તો કોઈક વિરલ આત્મામાં જ ઘટી શકશે. જે લોકો સ્યાદ્વાદને નથી અપનાવતા એ લોકો માટે ડગલે અને પગલે કોઈ એક પક્ષમાં આવતી આપત્તિઓનું નિરાકરણ કરવું અત્યંત મુશ્કેલ થશે. ત્રીજા સૂત્ર “તો"માં આચાર્ય ભગવંતશ્રીએ પૂર્વના મહાપુરુષોની પરતંત્રતાને માન્ય કરી છે. પોતે જે આ ગ્રંથ બનાવ્યો છે તે પૂર્વના મહાપુરુષોની કૃતિઓના આધારે જ બનાવ્યો છે. આ સૂત્રના બૃહવ્યાસમાં આચાર્ય ભગવંતશ્રી લખે છે: “તથા વનામ્ સ 0મોડપિ તત વ જ્ઞાતવ્ય: નાસ્મમનૂતનોડગ્નેત્તાહિરૂપો વિધેય” અર્થાત વર્ગોનો સમ્યફ પાઠક્રમ પૂર્વના મહર્ષિઓ પાસેથી જાણવા યોગ્ય છે, અમારા વડે અહીં પૂર્વના મહાપુરુષોની સંજ્ઞાઓ જ ગ્રહણ કરાય છે. આમ ઉપરોક્ત પંક્તિઓ દ્વારા આચાર્ય ભગવંતશ્રીએ શિષ્ટ પુરુષોની પરંપરાને પણ માન્ય કરી છે. વળી આ ત્રણેય સૂત્રોનો અધિકાર વ્યાકરણના અંતભાગ સુધી માન્ય કર્યો છે. આચાર્ય ભગવંતશ્રીએ “તુત્યસ્થાના સ્થ૦" (૧/૧/૧૭) સૂત્રમાં કાર્ય પ્રયત્નઃ શબ્દમાં માર્ચ
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy