SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ અનુવાદકના ઉદ્ગારો ૧૭ જ કળાઓ, બધી જ વિદ્યાઓના આધારરૂપ છે. આ વાગુરૂપતા જ સંસારી જનોનું ચૈતન્ય છે અને આ સંદર્ભમાં વ્યાકરણનું મહત્ત્વ વધી જાય છે. ચાલો, હવે આપણે આચાર્ય ભગવંતશ્રીના વ્યાકરણની વિશેષતાઓનો રસાસ્વાદ માણીએ. આ આચાર્ય ભગવંતશ્રીએ પ્રથમ ત્રણ સૂત્રોની રચના કરીને જૈનદર્શનના અભુત તત્ત્વોનો પરિચય કરાવ્યો છે. પરમાત્માની સર્વોપરિતા તેમના હૃદયમાં છે, જે તેઓશ્રીએ “રમ” સૂત્ર દ્વારા પ્રકાશિત કરી છે. પ્રભુ વિના આપણે સંપૂર્ણપણે અસહાય છીએ. આથી જ પ્રભુની સર્વોપરિતા આપણા હૃદયમાં પ્રસ્થાપિત કરવા જેવી છે. આચાર્ય ભગવંતશ્રીએ આ ઉદ્દેશથી જ સૌ પ્રથમ “” સૂત્રની રચના કરીને વ્યાકરણના અંતિમ સૂત્ર સુધી “કઈમ” સૂત્રનો અધિકાર માન્ય કર્યો છે. આ જગતમાં રહસ્યભૂત જો કોઈ વસ્તુ હોય તો તે “મમ્” સ્વરૂપ પરમાત્મા જ છે. પરમાત્માને પ્રથમ સૂત્રમાં નમસ્કાર કરવા દ્વારા ગ્રંથકારે પરમાત્મા પ્રત્યેના અહોભાવને પ્રસ્થાપિત કર્યો છે. આચાર્ય ભગવંતશ્રીએ બીજા સૂત્રની રચના કરીને જૈનદર્શનના સ્યાદ્વાદને જગત સમક્ષ પ્રકાશિત કર્યો છે. આના દ્વારા એવું જણાય છે કે એમના હૃદયમાં પ્રભુ તો છે જ, પણ પ્રભુના સિદ્ધાંતો પણ અત્યંત માન્ય છે. જે-જે લોકો એકાંતવાદને અપનાવે છે એ લોકો માટે આ સૂત્ર એક નવી વિચારધારાને સમજવા માટે પ્રેરિત કરે છે. સ્યાદ્વાદ એક જ વસ્તુમાં જુદી જુદી અપેક્ષાએ અનેક ધર્મોને સિદ્ધ કરે છે. એ ધર્મો પરસ્પર વિરોધી પણ હોઈ શકે છે. પરસ્પર વિરોધી ધર્મો સંબંધમાં એમણે બ્રહગ્યાસમાં એક અદ્ભુત ઉદાહરણ આપ્યું છે. દાહજવર અને શીતજવરથી પીડિત એવી બે વ્યક્તિઓની વચ્ચે અગ્નિ રહ્યો હોય તો આ જ અગ્નિ દાહજવરથી પીડિત વ્યક્તિને દુઃખનું કારણ થાય છે તથા શીતજવરથી પીડિત વ્યક્તિને સુખનું કારણ થાય છે. આમ, એક જ અગ્નિમાં વિરોધી એવી બે શક્તિઓ રહેલી છે. જો અગ્નિમાં સુખને ઉત્પન્ન કરવાવાળી તથા દુઃખને ઉત્પન્ન કરવાવાળી બે શક્તિઓ માનવામાં ન આવે તો એક જ અગ્નિ જુદી જુદી બે વ્યક્તિઓમાં અનુક્રમે સુખ અને દુઃખનું કારણ ન બની શકે. એ જ પ્રમાણે વ્યાકરણમાં જે સ્વરમાં હૃસ્વવિધિ થાય છે એ જ સ્વરમાં પ્લતવિધિ પણ થઈ શકે છે. આ બધું સાદ્વાદ વિના સંભવિત નથી. આચાર્ય ભગવંતશ્રીએ વ્યાકરણના સૂત્રોમાં પણ સ્યાદ્વાદને અદૂભુત રીતે સંક્રમિત કરી દીધો છે. તેનું એક ઉદાહરણ હવે અમે જણાવીએ છીએ : આચાર્ય ભગવંતશ્રી અનેકાંતવાદને માનતા હોવાથી વર્ષોમાં ક્યાંક વ્યક્તિ પરક નિર્દેશ કર્યો છે અને ક્યાંક જાતિપરક નિર્દેશ કર્યો છે. “ગૌત્તા: સ્વર:” (૧/૧/૪) સૂત્રમાં “" સુધીના વર્ણોની સ્વરસંશા કરી છે. અહીં “સૌ” પછી તેનું ગ્રહણ કર્યું છે. આથી વ્યક્તિપરક નિર્દેશ
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy