________________
૧૬
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ સૂત્રાર્થની રચના પાણિનીમુનિએ કરી હતી. સૂત્રો ઉપર પતંજલિ મુનિએ મહાભાષ્યની રચના કરી હતી તથા સૂત્રોમાં અધૂરી હકીકતોની પૂર્તિ સ્વરૂપ વાર્તિકની રચના કાત્યાયને કરી હતી. આમ સંપૂર્ણ વ્યાકરણની રચના ત્રણ મુનિઓના સમૂહ દ્વારા થઈ હતી. જ્યારે સિદ્ધહેમશબ્દાનુશાસનની રચના આચાર્ય ભગવંતશ્રીએ એકલપણે જ કરી હતી. એમણે વાર્તિક વગેરેની જરૂર ન પડે એવી કુશળતાથી વ્યાકરણના પાંચેય અંગોની રચના કરી હતી. જો અલગ-અલગ મહાપુરુષો વ્યાકરણની રચના કરે તો ઐદત્પર્યાય સુધી પહોંચવું કઠીન થઈ પડે. વ્યાકરણના પાંચેય અંગોની રચના આ મહાપુરુષે એકલાએ જ કરી હોવાથી દંપર્યાય સુધી સહેલાઈથી પહોંચી શકાય છે.
આ મહાપુરુષે વ્યાકરણના પાંચેય અંગોમાં એમના પૂર્વના મહર્ષિઓની સહાય લીધી હતી. તેમણે અજય, અરૂણ, કાત્ય, ગૌડ, ચાણક્ય, દુર્ગ, દેવનંદી, ભટ્ટી, ભરત, વામ્ભટ્ટ, વાચસ્પતિ, વાત્સ્યાયન, વૈદ્ય, વ્યાડિ, શાકટાયન, કાલિદાસ વગેરે અનેક મહાપુરુષોની સહાયથી સિદ્ધહેમવ્યાકરણને આપણી સમક્ષ રજૂ કર્યું છે. આ હકીકતથી આપણને જણાય છે કે આ મહાપુરુષ કેટલા વિદ્વાન હશે ! આ હકીકતથી વીતરાગસ્તોત્રના ટીકાકારશ્રી પ્રભાનંદસૂરીશ્વરજી મહારાજાએ આચાર્ય ભગવંતશ્રીને “સ્વશાસ્ત્રપારંતિપારિખ:" વિશેષણ આપ્યું છે તે સાર્થક છે. - આજે આપણે આ મહાપુરુષની કૃતિને અન્ય-અન્ય વ્યાકરણના ચાહકો સુધી પહોંચાડવા શક્તિમાન થયા નથી. આ ભાષાંતરના કર્તાને જ્યારે વૈદિક પરંપરાના વિજયપાલ શાસ્ત્રી નામના વિદ્વાન પુરુષ સાથે સંપર્ક થયો ત્યારે એમના હૃદયના શબ્દો હતા : “અમારો સંપૂર્ણ સંપ્રદાય આ વ્યાકરણથી અપરિચિત છે.” તેઓએ મહાભાષ્યમાં અત્યંત વિદ્વત્તાને પ્રાપ્ત કરી છે.
સિદ્ધહેમશબ્દાનુશાસનમ્"ના બૃહસ્થાસરૂપી દરિયામાં હું જેમ-જૈમ ઊંડો ઊતરતો ગયો તેમ-તેમ આ મહાપુરુષની મહાનતાની અનુભૂતિઓ મને થતી ગઈ, એ બાબતમાં હું હવે જણાવું છું.
“વ્ય (સિદ્ધહેમશબ્દાનુશાસન) પવિત્રમ્ સર્વવિદ્યાનામ્ ધિવિદ્યમ્ પ્રજાતે ” અર્થાત સર્વ વિદ્યાઓને પવિત્ર કરતું એવું વ્યાકરણ (સિદ્ધહેમશબ્દાનુશાસન) બધી વિદ્યાઓમાં પ્રકાશી રહ્યું છે. આ જગતમાં જે કોઈ શાસ્ત્ર છે તેમાં વ્યાકરણશાસ્ત્ર જ એવું છે જે બધી વિદ્યાઓને ઉપકારક થાય છે. વ્યાકરણ વિના શબ્દોના અર્થોનો યોગ્ય બોધ પ્રાપ્ત કરી શકાતો નથી. બધા જ જ્ઞાનો શબ્દોની સહાયથી પ્રવર્તે છે. આથી શબ્દોમાં સાધુત્વ નક્કી થાય તો જ્ઞાનમાં સત્યતા સિદ્ધ થાય છે અને શબ્દોમાં સાધુત્વનું જ્ઞાન વ્યાકરણ કરાવે છે. જ્ઞાન સાથે અવિભાજ્ય રીતે વાગરૂપતા જો વિચ્છેદ પામે તો જીવમાં જ્ઞાનરૂપ પ્રકાશ પ્રકાશિત થતો નથી. વાગરૂપતા બધા જ શિલ્પો, બધી