SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ છે. આથી ય, ર, લ, વ વર્ષોંનાં પોતાનાં જે સ્થાનો છે અર્થાત્ તાલવ્ય, મૂર્ધન્ય, દત્ત્વ અને ઓલ્ક્ય સ્થાનનાં અંતે જે વર્ણોની ઉત્પત્તિ થાય છે (ય, ર, લ, વ) તેને ‘અન્તસ્થા’ કહેવાય છે. પાણિનીએ ય, ર, લ, વ એ ચાર વર્ણોને ૧૪ માહેશ્વર સૂત્રોમાં સ્વર અને વ્યંજનોની વચ્ચે મૂકીને ‘‘અન્ત:સ્થ” એ પ્રમાણે નામ પાડ્યું છે. (श० न्या० ) *लिङ्गमशिष्यं लोकाश्रयत्वाद् इति वर्णविशेषणमप्यन्तस्थास्त्रियां वर्त्तते ! यथा-कलत्रं स्त्रियामपि नपुंसकम् । सानु (नासिक - निरनु) नासिकभेदेन च रेफरहितास्ते द्वैविध्यं મનો, તદ્નેપરિગ્રહાય વહુવચનનિર્દેશ:, ઞત ઞ-વહુવચનમિતિ /// અનુવાદ :- ‘અન્તે તિષ્ઠન્તિ’ એ પ્રમાણે ‘અન્તસ્થા’ શબ્દ ઉપપદ તત્પુરુષ સમાસ થયો છે જે ‘વર્ણ’ શબ્દનું વિશેષણ બનશે. ‘વ’ શબ્દ પુલિંગમાં છે. આથી અન્તસ્થા શબ્દ પણ પુલિંગમાં હોવો જોઈએ છતાં પણ અહીં સ્ત્રીલિંગમાં બતાવ્યો છે. આથી અહીં આ પ્રમાણેની સંદિગ્ધતાનું નિરાકરણ કરવા માટે ન્યાયનો સહારો લેવામાં આવ્યો છે. બધા જ લિંગો લોકને આશ્રિત હોય છે. લોકવ્યવહારમાં જે પ્રમાણે લિંગો પ્રવર્તતા હતા એને શિષ્ટપુરુષોએ પણ પ્રમાણિક માન્યા છે. અહીં ‘અન્તસ્થા’ શબ્દ પણ લોકવ્યવહારમાં સ્ત્રીલિંગ તરીકે જ વપરાતો હતો માટે જ અહીં સ્ત્રીલિંગ તરીકે વ્યવહાર કરાયો છે. દા.ત. ‘તંત્ર’ શબ્દનો સ્ત્રી અર્થ થાય છે. આથી ‘ત્ર શબ્દ સ્ત્રીલિંગમાં જ પ્રયોગ કરાવો જોઈએ. તેમ છતાં પણ લોકો ‘વાત્ર’ શબ્દને નપુંસક માનતા હોવાથી શાસ્ત્રમાં પણ ‘તંત્ર’ શબ્દને નપુંસકલિંગવાળો કહ્યો છે. રેફ રહિત એવાં ય, 7 અને વ સાનુનાસિક અને નિરનુનાસિક ભેદથી બે પ્રકારનાં છે. આથી તે બંને પ્રકારોને ગ્રહણ કરવા માટે સૂત્રમાં બહુવચનનો નિર્દેશ કર્યો છે. આથી જ બૃહવૃત્તિટીકામાં લખ્યું છે કે બહુવચન સાનુનાસિક વગેરે પ્રકારોનું ગ્રહણ કરવા માટે છે. -: ન્યાસસારસમુદ્ધાર : यरलवेत्यादि-“लिङ्गमशिष्यं लोकाश्रयत्वाद्" इति वर्णविशेषणमपि अन्तस्थाशब्दः स्त्रीलिङ्गो बाहुलकात् शब्दशक्तिस्वाभाव्याद् बहुत्ववृत्तिश्च प्राय इति । य र ल व इतीतिअर्थवत्त्वाभावे नामत्वाभावान्न स्यादिः ॥ १५॥ -: ન્યાસસારસમુદ્ધારનો અનુવાદ : અન્તસ્યા શબ્દ વર્ણનાં વિશેષણ સ્વરૂપ થાય છે. ‘વ’ શબ્દ પુલિંગમાં હોવાથી અન્તસ્થા શબ્દ પણ પુલિંગમાં હોવો જોઈએ. છતાં પણ અન્તસ્યા શબ્દ સ્ત્રીલિંગમાં રજૂ થયો છેઃ એનાં કારણ તરીકે ન્યાસકાર જણાવે છે કે બધા જ શબ્દોનાં લિંગ લોકનો આશ્રય કરતાં હોવાથી લોકો જે
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy