SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૯ સૂ૦ ૧-૧-૧૨, ૧-૧-૧૩ वा” [१.३.५९.] इतिवज्जातेः परिग्रहात् सर्ववर्गाणामाद्य-द्वितीयसिद्धेस्तदर्थबहुवचनस्य વૈયર્થમેવ । નૈવમ્−‘વ્યક્તિરપિ પવાËસ્તિ' કૃતિ જ્ઞાપનાર્થમ્, તસ્યાં ચાર-વાયોश्चकार-छकारयोर्वा परिग्रहः स्यादिति, बहुवचनाच्च सर्वासामाद्य - द्वितीयव्यक्तीनां स्वीकार इति, एवं सर्वत्र वचनफलमुन्नेयम् ॥१३॥ અનુવાદ :- પૂર્વપક્ષ :- જો આદ્ય અને દ્વિતીય શબ્દથી બધા જ વર્ગોનાં પહેલા અને બીજાનો બોધ થઈ જતો હોય તો એને માટે બહુવચન સ્વરૂપ ગૌરવ કરવાની કોઈ આવશ્યકતા નથી. એનાં અનુસંધાનમાં અમે જુદા જુદા હેતુઓ આપીએ છીએ. એક તો સમીપપણાંથી વર્ગમાત્રનો જ પ્રસંગ હોવાથી પહેલો અને બીજા વર્ગનો જ આવશે. હવે પહેલો અને બીજો જો વર્ગનો જ આવશે તો શંકા થાય છે કે વર્ગ વિશેષનો પહેલો, બીજો લેવો કે વર્ગ સામાન્યનો પહેલો, બીજો લેવો ? આ શંકાનાં અનુસંધાનમાં અમે જણાવીએ છીએ કે પહેલા અને બીજાનો વિશેષતાથી ખુલાસો ન કર્યો હોવાથી સામાન્યથી દરેક વર્ગનાં પહેલા અને બીજા લઈ શકાશે. આમ, દરેક વર્ગનાં પહેલા અને બીજાની પ્રાપ્તિ જો એમને એમ જ થઈ જતી હોય તો એને માટે બહુવચન કરવાની કોઈ આવશ્યકતા નથી. પ્રતિપૂર્વપક્ષ :- આદ્યદ્વિતીય તરીકે ભલે વિશેષનું અગ્રહણ છે છતાં પણ ‘‘સાહવર્થાત્ સદૃશ્યસ્ય વ" ન્યાયથી શ્, પ્, સ્ એ વર્ણો છે. માટે આઘ, દ્વિતીય તરીકે ાર, વાર અથવા તો વાર, છારનું જ ગ્રહણ થઈ શકશે. માટે બહુવચન કરવા દ્વારા બધા વર્ગોનાં પહેલા અને બીજા ગ્રહણ થઈ શકશે. પૂર્વપક્ષ :- “શિચાદ્યસ્ય...” (૧/૩/૫૯) સૂત્રમાં આદ્ય, દ્વિતીયથી જેમ દરેક વર્ગનાં પહેલા અને બીજા વર્ણનું ગ્રહણ થઈ જાય છે તેમ અહીં પણ ગ્રહણ થઈ જ જાત. તેથી આ સૂત્રમાં બહુવચન વ્યર્થ જ છે. ઉત્તરપક્ષ :- જેમ જાતિઅર્થ શબ્દનો થઈ શકે છે એમ વ્યક્તિઅર્થ પણ શબ્દનો થઈ શકે છે. એવું જણાવવા માટે જ “આચાર્ય ભગવંતે” બહુવચન કરવા દ્વારા જાતિઅર્થને ગ્રહણ કર્યો છે. જ્યારે ૧-૩-૫૯ સૂત્રમાં શબ્દનો જાતિઅર્થ ગ્રહણ કરીને “આચાર્ય ભગવંતે” બહુવચનનો સહારો લીધો નથી. આ પ્રમાણે “આચાર્ય ભગવંત” સ્યાદ્વાદનાં અત્યંત સમર્થક હોવાથી વસ્તુસ્થિતિ પ્રમાણે બંને અર્થોનો સ્વીકાર તે તે સૂત્રોમાં કર્યો છે. અહીં વ્યક્તિ૫૨ક આદ્ય અને દ્વિતીયનો અર્થ લેવામાં આવે તો ક્યાંક તો ાર અને વારનું જ ગ્રહણ થશે અથવા તો શ્, પ્, નાં સાહચર્યથી (તાલવ્ય નાં આસન્નપણાંથી) વાર અને છારનું જ ગ્રહણ થશે. પરંતુ હવે બહુવચન કરવાથી બધા જ વર્ગોનાં પહેલા અને બીજા વર્ણોનો
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy