SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૦ ૧-૧-૬ ૧૬૧ વિશ્લિષ્ટવર્ણો હોવાથી અવયવ સ્વરૂપ અવર્ણથી અધિકપણાને પ્રાપ્ત થાય છે. જ્યારે ાર અને ઓર પ્રશ્લિષ્ટવર્ણો હોવાથી ગવર્નની અપેક્ષા એ અધિકપણું પ્રાપ્ત થતું નથી. આથી જો પેાર અને ઔારનો ગુણ કરવામાં આવે તો આ બંને સ્વરો કાર્યો બને તથા ગુણ સ્વરૂપ ાર અને ઓજાર ન્યૂન થશે જે કાર્ય સ્વરૂપે છે. આથી અહીં કાર્ય કરતાં કાર્યો સ્વર અધિક થવાથી નામીસંજ્ઞા પ્રવર્તતી નથી. ‘“નયંતિ’” વગેરે પ્રયોગોમાં નૌ ધાતુમાં દીર્ઘ ર્ફે છે તથા ગુણ સ્વરૂપે ની પ્રાપ્તિ થાય છે. આ બંને વર્ણોમાં સમાન એવી બે માત્રાપણું હોવાથી નો ગુણ ૫ થવો જોઈએ નહીં. એના અનુસંધાનમાં જણાવે છે કે ાર અને ગોળારમાં અવિભાજિત સ્વરૂપવાળું (પ્રશ્લિષ્ટ) અવર્ણપણું હોવાથી વ્હાર અને ઓજારમાં અધિકપણું પ્રાપ્ત થાય છે માટે અહીં સમાન માત્રાપણું હોવા છતાં પણ કાર્યો સ્વર, કાર્ય કરતા ન્યૂન હોવાથી નામીસંજ્ઞા થવા દ્વારા ગુણકાર્ય પ્રવર્તે છે. પૂર્વપક્ષ :- ઓજાર અને સૌારનો ગુણ અનુક્રમે પાર અને ઓજાર કરવો નથી. માટે આ સૂત્રમાં વચનભેદ કરવા દ્વારા સન્ધ્યક્ષરોની નામીસંજ્ઞા અટકાવી એ પ્રમાણે તમારું કહેવું છે. પરંતુ અમે તો કહીએ છીએ કે ધાતુપાઠમાં જ તે તે ધાતુઓમાં પેન્ગર અને સૌારનું કથન કર્યું છે. એવાં ઉપદેશનાં (કથનનાં) બળથી જ ગુણ સ્વરૂપ પાર અને બોજર થાત નહીં. આથી સન્ધ્યક્ષરોની નામીસંજ્ઞા અટકાવવા માટે આ સૂત્રમાં વચનભેદની આવશ્યકતા નથી. અથવા તો વચનભેદથી સન્ધ્યક્ષરોમાં નામીસંજ્ઞા અટકાવવાનો તમારો પુરૂષાર્થ ધાતુપાઠમાં કેટલાક ધાતુઓમાં પેન્ગર અને ઔાર ઉપદેશનાં બળથી જ બાધદોષને પ્રાપ્ત કરે છે. ઉત્તરપક્ષ :- ઉપરોક્ત દોષ અમને આવતો નથી. કારણ કે જો ધાતુપાઠમાં પેાર અને સૌાર ઉપદેશનાં બળથી જ જેમ ગુણકાર્ય અટકી જાત, તે પ્રમાણે આય્, આવ્ વગેરે કાર્યો પણ અટકી જાત. આથી “જ્ઞાતિ' વગેરે રૂપોની પ્રાપ્તિ થાત નહીં. “જ્ઞાતિ” વગેરે રૂપોને બદલે “લૈંગતિ” વગેરે અનિષ્ટ રૂપોની આપત્તિ આવત. આમ, ઉપદેશનાં બળથી ગુણ વગેરેનું કાર્ય અટકી શકે નહીં. માટે જ અમે વચનભેદ કરવા દ્વારા સન્ધ્યક્ષરોમાં નામીસંજ્ઞા અટકાવવાનો પુરૂષાર્થ કર્યો છે. હવે આચાર્ય ભગવંત” પાણિની વ્યાકરણની માન્યતાનો આધાર લઈને કંઈક કહે છે. પાણિની વ્યાકરણવાળા “ફ” સંજ્ઞાવાળા (૬, ૩, ૠ, નૃ) સ્વરોમાં જ ગુણકાર્યો માને છે. જ્યારે આપણી માન્યતા પ્રમાણે તો સન્ધ્યક્ષરો નામીસંજ્ઞાને પ્રાપ્ત કરતા હોવાથી તેમાં ગુણની પ્રાપ્તિ થાય છે. તેથી સન્ધ્યક્ષરોમાં નામીસંજ્ઞાનો અભાવ ક૨વા માટે બીજી પદ્ધતિ જણાવે છે. આ અભિપ્રાય “યદા” પંક્તિ દ્વારા જણાવે છે. જેઓમાં અવળું વિદ્યમાન નથી તે બધા જ નામીસંજ્ઞાવાળા કહેવાય છે. સન્ધ્યક્ષરોનાં વર્ગોનું વિભાજન કરવાથી અવળું સ્વરૂપે અંશનો પણ
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy