SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ પરિભાષા જો બધે જ પ્રાપ્ત થશે તો “ઘ”, “સ્થા:”, તથા “:" વગેરે પ્રયોગોમાં વ્યંજન સંબંધી ગૌ, મા તથા વગેરે કાર્યો થવા જોઈએ નહીં. છતાં પણ વ્યંજન સંબંધી જ ઔ વગેરે કાર્યો થયા છે. આમ કેમ ? દા.ત. નો માં તથા નો છે વગેરે કાર્યો થયા છે. ઉત્તરપક્ષ - આ શંકાનો જવાબ આપતાં “આચાર્ય ભગવંતશ્રી” કહે છે કે, આ પરિભાષા લિંગવાળી છે. આથી જ્યાં જ્યાં હ્રસ્વ, દીર્ઘ અને ડુત સ્વરૂપ લિંગનું ગ્રહણ કરવામાં આવ્યું હશે તે તે સૂત્રોમાં જ સ્થાની તરીકે સ્વરનું ગ્રહણ થઈ શકશે. પરંતુ જ્યાં જ્યાં હ્રસ્વ, દીર્ધ અને પ્લત સિવાય કોઈપણ કાર્યોનું (ગૌ વગેરેનું) ગ્રહણ થયું હશે ત્યાં સ્થાની તરીકે સ્વરની ઉપસ્થિતિ થશે નહીં. હવે “વિ મૌઃ સૌ” (૨/૧/૧૧૭) સૂત્ર તેમજ પંથન-થનૃગુક્ષ: સૌ (૧/૪/૭૬) સૂત્ર તથા “સર:” (૨/૧/૪૧) સૂત્રમાં ‘મૌ', ‘માં’ અને ‘ગ' સ્વરૂપ કાર્યોને ગ્રહણ કરવામાં આવ્યાં છે. આથી હવે સ્થાની તરીકે સ્વર ગ્રહણ કરવા જોઈએ એવો નિયમ અહીં રહેશે નહીં. જો હ્રસ્વ, દીર્ઘ કે પ્લત કાર્ય સ્વરૂપે લીધા હોત તો સ્થાની તરીકે સ્વર જ લેવાત. પરંતુ હૃસ્વ, દીર્ઘ અને પ્લત કાર્ય સ્વરૂપે ન હોવાથી હવે વ્યંજનનું પણ “મૌ' વગેરે કાર્ય થઈ શકશે. પૂર્વપક્ષ - જયાં જ્યાં હ્રસ્વ, દીર્ઘ અને પ્લત સ્વરૂપ કાર્ય હશે ત્યાં ત્યાં સ્થાની તરીકે સ્વર ઉપસ્થિત થશે એવું આપ કેવી રીતે કહો છો? ઉત્તરપક્ષ:- “વિ ગૌઃ સૌ” (ર/૧/૧૧૭) વગેરે સૂત્રોમાં કાર્ય સ્વરૂપે “ગૌ” વગેરેનું સાક્ષાત્ ગ્રહણ કરાયું છે. આ ગૌ વગેરેને કાર્ય સ્વરૂપે સમજવા માટે હ્રસ્વ વગેરે શબ્દોને વ્યાપારવાળા કરાયા નથી. તે તે સૂત્રોમાં ગૌ, ના, એ વગેરેને સાક્ષાત્ કાર્ય સ્વરૂપે ગ્રહણ કરાયા છે. માટે હવે સ્થાની તરીકે સ્વરની જ આવશ્યકતા તે તે સૂત્રોમાં આ પરિભાષાથી રહેશે નહીં. જો કાર્ય સ્વરૂપે સાક્ષાત્ હ્રસ્વ વગેરેને ગ્રહણ કરાયા હોત તો આ પરિભાષાથી હ્રસ્વ વગેરે કાર્યનાં સ્થાની તરીકે સ્વરસંજ્ઞાને ગ્રહણ કરી શકાત. “તતશ સ્વરૂપવાર્થ... ૩૫તિ ” આ પંક્તિનો અર્થ કરવા માટે નીચેની ચર્ચા સમજવી આવશ્યક છે. “કીર્વિદ્યચેષ ર” (૪/૩/૧૦૮) સૂત્રમાં દીર્ઘ શબ્દનું ગ્રહણ કર્યું હોવાથી સ્થાની તરીકે આ પરિભાષાથી સૌ પ્રથમ સ્વરની ઉપસ્થિતિ થશે અને ત્યારબાદ સ્વર સ્વરૂપ સ્થાની તરીકે સૌ અંત સુધીનાં વર્ષોની ઉપસ્થિતિ થશે. આ પ્રમાણે જેનાં સંબંધમાં કાર્ય કરવાનું છે તે (ગથી ગૌ સુધીનાં સ્વરો) સ્વ સ્વરૂપે ઉપસ્થિત થતા નથી. પરંતુ પર સ્વરૂપે (સ્વર શબ્દ દ્વારા) ઉપસ્થિત થાય છે. તેથી જ્યાં જ્યાં હ્રસ્વ વગેરે શબ્દનું ગ્રહણ કર્યું હશે ત્યાં ત્યાં સ્થાની તરીકે સ્વરો ઉપસ્થિત થશે. અર્થાત્ હ્રસ્વ વગેરે વિધિઓનો વિશેષણભાવ સ્વરોમાં પ્રાપ્ત થશે. (સ્વરોની હૃસ્વ વગેરે વિધિઓ પ્રાપ્ત થાય છે એવું વિધાન હોવાથી સ્વરો વિશેષણ કહેવાશે અને હૃસ્વ વગેરે વિધિઓ વિશેષ્ય કહેવાશે.) જ્યારે અહીં ગૌ, મા, મ વગેરે કાર્યો કહ્યા હોવાથી
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy