SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ શ્રસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ ભવતિ | યત્ર વત્તે અરીસામવ: “મ: વિત્વ વા" [૪.૨.૨૦૬] “મન્ પશ્ચમસ્ય ક્વિતિ " [૪.૨.૨૦૭.] “શન્સનસ્થ ” [૪.૨.૧૨.] “નિ દ્વ:” [૨.૪.૮૬.] इत्यादिषु, तत्र स्वरं गृह्यमाणेन विशेषयिष्यामः-'एषामवयवस्य स्वरस्य दीर्घो भवति' इति मध्येऽपि भवति स्थानषष्ठ्यभावात् “षष्ठ्याऽन्त्यस्य" [७.४.१०६.] इत्यप्रवृत्तेरिति, अत एव तत्र व्यञ्जननिवृत्त्यर्थं स्वरग्रहणं नं क्रियते । અનુવાદ - આ પરિભાષા જ્યાં ઉપસ્થિત થશે તે “ઢીઈન્દ્રિયg a” (૪૩/૧૦૮) વગેરે ઉદાહરણ સ્થળોમાં બે ષષ્ઠી વિભક્તિ પ્રાપ્ત થાય છે. એક ધાતુને ષષ્ઠી છે અને બીજી સ્વરને ષષ્ઠી છે. હવે અહીં વિશેષણ વિશેષ્યભાવમાં સ્વચ્છા હોવાથી જો સ્વરને વિશેષણ સમજવામાં આવે તથા ધાતુને વિશેષ્ય સમજવામાં આવે તો સ્વર અંતવાળા ધાતુનો સ્વર ત્રિ, થવું વગેરે પ્રત્યય પર છતાં દીર્ઘ થાય છે. એવો અર્થ, પ્રાપ્ત થાય છે. અહીં સ્વર વિશેષણ તરીકે હોવાથી “વિશેષમન્તઃ” (૭/૪/૧૧૩) પરિભાષાથી સ્વરઅંતવાળો ધાતુ એ પ્રમાણે અર્થ પ્રાપ્ત થઈ શકશે. આથી સ્વરાત્ત ધાતુનો સ્વર વચ વગેરે પ્રત્યય પર છતાં દીર્ઘ થતાં “વીયતે” વગેરેમાં દીર્ઘવિધિ થઈ શકશે. જો ધાતુને વિશેષણ સમજવામાં આવે તો ધાતુ સંબંધી સ્વરની દીર્ધવિધિ થતાં “પ”ને “વચ" લાગતાં “પુષ્યતે" પ્રયોગ થાત. પરંતુ અહીં આ પ્રમાણે બોધ કરવાનો ન હોવાથી “પૂતે” વગેરેમાં હવે દીર્ઘવિધિ થશે નહીં. એ જ પ્રમાણે “વસ્તીવે” (૨/૪૯૭) વગેરે સૂત્રમાં હ્રસ્વવિધિનું કાર્ય કહ્યું છે. આ પ્રમાણે હૃસ્વસંજ્ઞાનો સહારો લીધો હોવાથી તે તે સૂત્રોમાં સ્થાની તરીકે બે ષષ્ઠી પ્રાપ્ત થશે. એક “ના” અને બીજી “સ્વરસ્ય”. બંનેમાં વિશેષણવિશેષ્યભાવ કરવાથી અહીં “વરસ્ય" વિશેષણ બનશે અને “ના” વિશેષ્ય બનશે. આથી અહીં પણ (૭/૪/૧૧૩) પરિભાષા સૂત્રથી સ્વરઅંતવાળા નામનાં સ્વરમાં જ હ્રસ્વવિધિ થશે. તેથી તિરિ, તિનું વગેરે પ્રયોગોમાં જ હ્રસ્વવિધિ થશે. જો નામ વિશેષણ બનત અને સ્વર વિશેષ્ય બનત તો નામ સંબંધી સ્વરમાં હ્રસ્વવિધિ થાત અને તેમ થાત તો સુવા બ્રાહ્મણનમ્ વગેરે પ્રયોગોમાં મધ્યમાં રહેલા “વા”ના “મા”નું પણ હ્રસ્વ થાત. જો સ્વરથી નામ વિશેષિત કરાય તો નાનુ: પ્રયોગમાં જે ષષ્ઠી છે તે સ્થાનષષ્ઠી કહેવાશે. અહીં સ્વર વિશેષણ બન્યું હોવાથી “વિશેષામન્તઃ” પરિભાષાથી નામનાં અંતે રહેલો સ્વર જ લઈ શકાશે. આથી હવે “પંચા". (૭/૪/૧૦૬) પરિભાષા સૂત્રથી નામનાં અંતમાં રહેલો સ્વર હ્રસ્વ થશે. જો નામને વિશેષણ અને સ્વરને વિશેષ માનવામાં આવે તો અવયવ ષષ્ઠી થશે. આથી સ્વર જે જગ્યાએ હશે તેની જ હૃસ્વાદિ વિધિઓ થશે. સ્વર વિશેષણ બને છે ત્યારે “વિશેષાન્તિઃ” પરિભાષાથી એનું ચોક્કસ સ્થાન નક્કી થાય છે. આમ, ચોક્કસ સ્થાન નક્કી થતું હોવાથી જ તેવી ષષ્ઠી સ્થાનષષ્ઠી કહેવાશે. અહીં સ્વરવડે નામ વિશેષિત થયું છે.
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy