________________
અનુવાદકના ઉદ્ગારો
૧૩ ભગવંતને થયું, આમ કેમ થાય છે? તપાસ કરતાં કોઈ કારણ ન જણાયું, આથી એમણે સરસ્વતી દેવીની સાધના કરી. એટલે સરસ્વતી દેવીએ પ્રત્યક્ષ થઈને કહ્યું કે કેટલાક દ્વેષી લોકોએ બે વાર વિદ્યાના પ્રયોગો દ્વારા આપની વ્યાકરણરચનાને ખતમ કરી છે. સરસ્વતીદેવીએ તે વિદ્યાના પ્રતિપક્ષી મંત્રો દ્વારા સલામતીનો ઉપાય બતાવ્યો. આચાર્ય ભગવંતશ્રીએ મંત્રો દ્વારા જગ્યાને મંત્રિત કરીને ત્રીજી વાર વ્યાકરણની રચનાનો પ્રારંભ કર્યો અને સંપૂર્ણ વ્યાકરણની નિર્વિઘ્ન સમાપ્તિ કરી હતી. ખરેખર ! આચાર્ય ભગવંતશ્રીની કેવી બુદ્ધિપ્રતિભા કે પહેલા બે વાર કરેલી સંપૂર્ણ રચના એમને સ્મૃતિપથમાં રહી હશે, જેથી ત્રીજી વાર પહેલાની જેમ જ વ્યાકરણની રચના કરી શક્યા. બીજું બે વાર રચનાઓ નિષ્ફળ ગઈ હોવા છતાં અદ્ભુત વૈર્યને ધારણ કરીને વ્યાકરણનો પુરુષાર્થ ચાલુ રાખ્યો. આવા મહાપુરુષોની ધીરજે જ જૈનશાસનને ગરિમા બક્ષી છે.
આ મહાપુરુષ આવી ધીરજના પ્રતાપે જૈનશાસનમાં વિરલ વિભૂતિ તરીકે પ્રસિદ્ધ થયા. આજે ગુજરાતમાં જે કાંઈ ધર્મનું અસ્તિત્વ છે તેમાં પરમ પૂજય આચાર્ય ભગવંત શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજાનો અમૂલ્ય ફાળો છે. ખરેખર ! આ વ્યક્તિ પ્રતિભાશાળી, પરોપકારપરાયણ, કરુણામૂર્તિ અને પરમાત્માની અદ્વિતીય સેવક હતી. તેમણે વેદથી માંડીને ઇતિહાસ, પુરાણ,આયુર્વેદ, આગમ, દર્શનશાસ્ત્ર, વ્યાકરણ, કોષ, છંદ, સાહિત્ય, જ્યોતિષ, મંત્ર, યોગ, રાજનીતિ, પ્રાકૃત વગેરે બધા જ સાહિત્યના મહાસાગરોને ઉલેચ્યાં છે. એની પ્રતીતિ વ્યાકરણના ગર્ભમાં રહેલા ઉદાહરણો અને વિષયની મીમાંસાઓમાં જોઈ શકાય છે.
એમનું સાહિત્ય કેટલું હશે એની તો આપણને ખબર નથી, પરંતુ જેટલું પ્રાપ્ત થાય છે એના દ્વારા એમની મહાનતાનો ખ્યાલ આવે છે. સિદ્ધહેમશબ્દાનુશાસન લગભગ ૩૦ % જેટલું મળે છે તથા કાવ્યજગતમાં જેની ઉપમા ન આપી શકાય એવું ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર સ્વરૂપ મહાકાવ્ય ૩૨,૦૦૦ શ્લોક પ્રમાણ મળે છે. તેની ઉત્તમતાનું વર્ણન કરતાં આજે પણ કાવ્યરસિકો અત્યંત આનંદ અનુભવે છે. આ ઉપરાંત અભિધાનચિંતામણીકોષે એમને અત્યંત ગરિમા આપી છે. . એમની રચનાઓમાં એમણે ક્યાંય પરંપરાને ઉવેખી નથી. એમણે મહર્ષિ પાણિની અને પતંજલિને યાદ કર્યા છે. ભૂતકાળના વૈયાકરણીઓના ઋણનો સ્વીકાર કર્યો છે. કવિપ્રભાવક પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજા તથા મહાકવિ ધનપાલને પણ તેઓશ્રી ભૂલ્યા નથી. વાચક ઉમાસ્વાતિજી તથા પૂર્વધર શ્રી જિનભદ્રમણિક્ષમાશ્રમણની વિશેષતાઓ તેમણે કબૂલી છે. શાકટાયન અને જૈનેન્દ્રના પ્રમાણોથી પોતાની વાણીને પ્રતિષ્ઠિત બનાવી છે. તક્ષશિલા અને કાશ્મીરની વિદ્યાઓનો ગંભીર પરિચય તેમણે ગુજરાતને કરાવ્યો છે. આવી સમર્થ સમન્વયાત્મક પ્રતિભાનું જીવંત ચિત્ર આપણને પ્રાપ્ત થયું તે ખરેખર આપણું