SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ ત્રણ વર્ષ સુધી હંમેશા ત્રણસો દ્રમ આપી સોનાના અક્ષરથી તે વ્યાકરણ લખાવ્યું તથા હાથીની અંબાડી ઉપર સામૈયા સાથે સંપૂર્ણ વ્યાકરણને પોતાના પાટનગર પાટણનગરમાં ફેરવીને તેનો મહિમા વધાર્યો. આ વ્યાકરણની રચના થઈ ગયા પછી એને જાહેરમાં પ્રસિદ્ધ કરવાની વિધિ જે દિવસે થવાની હતી તેના એક દિવસ અગાઉ જ ઇર્ષાળુએ રાજાને ટકોર કરી કે આખું વ્યાકરણ તો તૈયાર થઈ ગયું છે; પરંતુ આચાર્ય ભગવંતશ્રીએ સંપૂર્ણ વ્યાકરણમાં તમારી પ્રશસ્તિ ક્યાંય કરી નથી. આ બાજુ ઉદ્ઘાટન સંબંધી બધી પ્રતો સીલબંધ pack થઈને રાજાના ભંડારમાં પહોંચી ગઈ હતી. આથી આચાર્ય ભગવંતે રાત્રે સાધના કરીને સરસ્વતી દેવીને બોલાવી. દેવીએ આવીને આચાર્ય ભગવંતશ્રીને કહ્યું કે આપ રાજાની પ્રશસ્તિ થાય એવા ૩૨ શ્લોકોની રચના કરો, હું એ ૩૨ શ્લોકોને ત્યાં રહેલી તમામ પ્રતોમાં પ્રક્ષેપ કરી દઈશ. બીજે દિવસે આચાર્ય ભગવંતશ્રી નિશ્ચિત બનીને રાજાની સભામાં જાય છે, જ્યારે બીજી બાજુ ઈર્ષાળુઓ ખુશ થતા હોય છે. ઇર્ષાળુઓને મનમાં એમ હતું કે હમણાં જૈનાચાર્યની જાહેરમાં હાંસી થશે, રાજા એમના ઉપર કોપવાળા થશે. વ્યાકરણનું જ્યારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે દરેક પ્રતોમાં રાજાની પ્રશસ્તિ કરનારા ૩૨ શ્લોકો પ્રક્ષેપ થયેલા હતા. આથી રાજા અત્યંત પ્રભાવિત થાય છે અને જૈનશાસનનો જયજયકાર થાય છે. આચાર્ય ભગવંતશ્રીએ ૩૨ શ્લોક સંબંધી ઘટના તે સમયે રાજાને ન જણાવી. કારણ કે રાજા પ્રતિબોધ ન પામત અને જૈનશાસનની પ્રભાવના ન થાત. પાછળથી એક વાર જ્યારે રાજા શાંત હતા ત્યારે આ આખી ઘટના આચાર્ય ભગવંતશ્રીએ રાજાને જણાવી. પાછળથી આ વાત રાજાને જણાવવાથી જૈનશાસનને નુકસાન ન થયું. ખરેખર ! આચાર્ય ભગવંતશ્રી પાસે કેટલો માર્ગસ્થ ક્ષયોપશમ હતો, એ આ ઘટના ઉપરથી જણાય છે. હવે અમે આ વ્યાકરણરચના કરતાં જે વિઘ્ન આચાર્ય ભગવંતશ્રીને આવ્યું હતું તેનો એક પ્રસંગ જણાવીએ છીએ. આ પ્રસંગ વર્તમાન સમયમાં ક્યાંય પ્રસિદ્ધ થયો નથી. અમને આ પ્રસંગની પ્રાપ્તિ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પરમાત્માની કૃપાથી થઈ છે. આચાર્ય ભગવંતશ્રી જયારે વ્યાકરણની રચના કરી રહ્યા હતા અને બીજા અધ્યાયનું ત્રીજું પાદ ચાલી રહ્યું હતું ત્યારે કોઈક બાહ્ય વિદ્યાનો ઉપદ્રવ આવ્યો. આથી અત્યાર સુધી વ્યાકરણ સંબંધી જેટલી રચના થયેલી તે બધા જ તાડપત્રોનાં ટુકડે-ટુકડાં થઈ ગયાં; પરંતુ આચાર્ય ભગવંતશ્રીને આમાં કોઈક વિપ્ન છે, એવો ખ્યાલ ન આવ્યો. આથી આચાર્ય ભગવંતે પોતાની બુદ્ધિપ્રતિભાથી ફરીથી એ જ પ્રમાણે વ્યાકરણની રચના કરી. બીજીવાર પણ પહેલા જેવું જ વિઘ્ન આવ્યું. બીજા અધ્યાયનું ત્રીજું પાદ ચાલી રહ્યું હતું ત્યારે અત્યાર સુધીની વ્યાકરણ સંબંધી રચનાના તમામ તાડપત્રોના ટુકડાં થઈ ગયાં. આથી આચાર્ય
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy