SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ સૂ૦ ૧-૧-૪ ૧૧૯ પૂર્વપક્ષ ન્યાયસંગ્રહમાં એક ન્યાય આવે છે જે આ પ્રમાણે છે – “વેન નાWાતે યો વિધરાજેસ્થત સતવૈવ વાંધ:” (જેનાથી પ્રાપ્તિ હોતે છતે જે વિધિનો આરંભ કરાય, તે નવી આરંભ કરાયેલી વિધિ પહેલાં પ્રાપ્ત એવી વિધિનો જ બાધ કરનારી થાય છે.) દા.ત. “વિદ+ કૃતમ્” આ સામાસિક શબ્દમાં “ો :” (૨/૧/૭૨) સુત્રથી “”નાં “”ની વિધિ પ્રાપ્ત હતી. છતાં પણ “સ્ત્રમ્ – Ā... (૨/૧/૬૮) સૂત્રનો આરંભ કરાયો જે ‘વ’નાં ‘’નો “શું કરે છે. આથી આરંભ કરાયેલી એવી ‘ફૂ'નાં ‘’ની વિધિ પૂર્વોક્ત “સૂ'નાં ‘રની વિધિનો જ બાધ કરનાર થાય છે. તેમ “મને માહિ" પ્રયોગમાં પણ અવયવનાં (રૂ. નાં) કાર્ય ‘'ની પ્રાપ્તિ હતી જ અને તેનાથી પણ ‘બનયાદિ પ્રયોગની સિદ્ધિ થઈ જ જતી હતી. છતાં પણ “તોડયા” (૧/૨/૨૩) સૂત્રનો આરંભ કર્યો. (વિધિનો આરંભ કર્યો), તે ‘’ વિધિનો જ [(૧/૨/૨૧) સૂત્રથી થતી વિધિનો)] બાધ કરનાર થાય છે. આથી સમુદાય સ્વરૂપ ‘ઈ’ વર્ણનાં જ કાર્યની પ્રાપ્તિ આવશે. આ પ્રમાણે સમુદાય સ્વરૂપ વર્ગો પણ અવયવનાં કાર્યને જ ભજનારા થાય છે એવું માનવું જોઈએ. આથી જેમ “ધિ + રૂદ્ર”માં સમાન સ્વરનું દીર્થપણું પ્રાપ્ત થવા દ્વારા “ધી” પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે “મને + રૂમ” વગેરે પ્રયોગોમાં પણ “'કારમાં રહેલ અવયવ “રૂ'ને માનીને સમાન સ્વરનું દીર્ઘપણું કરવું જોઈએ. (श०न्या०) नैवम्-अवयवानां तिरोहितत्वात्, समुदायकार्ये च पारतन्त्र्यात् स्वकार्यस्याप्रयोजकत्वाद् नरसिंहवज्जात्यन्तरयोगाद् वा वर्णान्तरसारूप्येण तत्कार्याप्रवर्त्तनादप्रसङ्गोऽवयवશર્થસ્થતિ | અનુવાદ - ઉત્તરપક્ષ:- જ્યારે જ્યારે અવયવનું કાર્ય આવીને ઊભું રહે છે ત્યારે અવયવો તિરોહિત થાય છે. વળી, સમુદાયનું કાર્ય આવીને ઊભું રહે છે ત્યારે અવયવનું કાર્ય પરાધીનપણાવાળું થાય છે. માટે અવયવો પોતાનું કાર્ય કરી શકતા નથી. દા.ત. શીતળતા આપવા સ્વરૂપ કાર્યમાં સંપૂર્ણ વૃક્ષ પ્રવૃત્તિમાનું થાય છે. ત્યારે આ વૃક્ષ શાખા, પાંદડા, થડ વગેરે અવયવોથી બન્યું હોવા છતાં સંપૂર્ણ વૃક્ષ જ શીતળતા આપવા સ્વરૂપ કાર્યમાં જોડાઈ જાય છે. વૃક્ષના અવયવો તે સમયે પોતાનાં અલગ અલગ કાર્યો કરવા અશક્તિમાન થાય છે. જો વૃક્ષનાં અવયવો પોતાનાં અલગ અલગ કાર્યો કરવા પ્રવૃત્તિવાળા થાય જેમ કે પાંદડાનું કાર્ય ઔષધિ વગેરેનું તો અવયવી સ્વરૂપ વૃક્ષનું શીતળતા આપવા સ્વરૂપ કાર્ય થઈ શકશે નહીં. કદાચ કોઈક એમ કહે કે, સમુદાયનાં કાર્યમાં પણ અવયવોનું પૃથગુ કાર્ય તો રહે જ છે. જેમ કે વૃક્ષનું શીતળતા આપવા સ્વરૂપ કાર્ય પ્રવર્તતું હોય ત્યારે શાખા વગેરે બાળકોને હિંચકા
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy