SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ અનુવાદ :- થી શરૂ કરીને સુધીના ૧૪ સ્વરો વર્ષોના પાઠક્રમમાં બતાવવામાં આવ્યા છે. ત્યાં કેટલાંક સ્વરો સમુદાય સ્વરૂપ પણ બતાવાયા છે તથા કેટલાક સ્વરો અવયવ સ્વરૂપ પણ બતાવાયા છે. , મો, છે ગૌ આ ચાર સ્વરો સમુદાય સ્વરૂપ છે. કૈયટ 8 અને તૃને પણ સમુદાય સ્વરૂપ માને છે. તેમજ , , ૩ વગેરે અવયવ સ્વરૂપ મનાયા છે. જો સ્વરોનો નિર્દેશ સમુદાયપરક માનવામાં આવે તો અવિનાભાવસંબંધથી એક સાથે વિદ્યમાન એવા અવયવો સ્વરસંજ્ઞાને પ્રાપ્ત કરતાં નથી. ઇ છે, મો, ગૌ સમુદાયપરક છે. હવે જો સમુદાયપરક નિર્દેશ માનવામાં આવે તો આ બધા સ્વરોમાં અવયવ તરીકે રહેલા અવળ, રૂવળ, ડવ વગેરેની સ્વરસંજ્ઞા થશે નહીં તેમજ જો અવયવપરક નિર્દેશ માનવામાં આવે તો સમુદાયપરક વર્ગોની સ્વરસંજ્ઞા થશે નહીં. આ અંગે એક ઉદાહરણ વિચારીએ. કોઈકને કહેવામાં આવે કે, તું વૃક્ષોનું સિંચન કર. તો તે સમયે તે વ્યક્તિ વૃક્ષોનાં અવયવ સ્વરૂપ શાખા, પત્ર (પાંદડા), થડ વગેરેનું સિંચન કરતો નથી. સિંચન કરવાની ક્રિયા માટે તે અવયવી સ્વરૂપ વૃક્ષને જ ઇચ્છે છે. સમુદાયનો નિર્દેશ હોવાથી અવયવોને ગ્રહણ કરી શકાતા નથી. માટે જ તે અવયવી સ્વરૂપ વૃક્ષને જ ઇચ્છે છે. તે જ પ્રમાણે તમે પત્ર, પુષ્પ, ફૂલ વગેરેને લાવો. આમ, અવયવ સ્વરૂપ નિર્દેશ જ્યારે કરવામાં આવે છે ત્યારે લોકો આખા વૃક્ષને લાવતા નથી. આમ, જગતમાં પણ ક્યાંતો સમુદાય સ્વરૂપ પ્રરૂપણા કરવામાં આવે છે અથવા તો અવયવ સ્વરૂપ પ્રરૂપણાં કરવામાં આવે છે. અહીં ચૌદ સ્વરોમાં પણ જો અવયવપરક નિર્દેશ કરવામાં આવે તો સમુદાય સ્વરૂપ વર્ણોની સ્વરસંજ્ઞા થશે નહીં. તથા સમુદાયપરક નિર્દેશ કરવામાં આવે તો એકસાથે વિદ્યમાન પણ અવયવો સ્વરાદિ સંજ્ઞાને પ્રાપ્ત કરશે નહીં. ‘ક’થી ‘મન’ સુધીનાં ચૌદ સ્વરોમાં સમુદાય સ્વરૂપ વર્ણોની જ સ્વરસંજ્ઞા પડશે, પણ અવયવોની સ્વરસંશા થશે નહીં. સમુદાય અવયવોની સાથે અવિનાભાવસંબંધથી રહ્યો હોવાથી જો સમુદાયની સ્વરસંજ્ઞા થઈ જાય તો હવે અવયવોની સ્વરસંજ્ઞા થશે નહીં. સંસારમાં પણ બારી, બારણાં, થાંભલા, દિવાલો વગેરે અવયવોનાં સમુદાય સ્વરૂપ પદાર્થની જો “ઘર” (ગૃહ) એ પ્રમાણે સંજ્ઞા થઈ જાય તો ઘરની સાથે જ અવિનાભાવસંબંધથી રહેનારા એવાં થાંભલા, બારી, બારણા સ્વરૂપ અવયવોની અલગ એવી “ઘર” (ગૃહ) સંજ્ઞા થતી નથી. આ પ્રમાણે અવયવપરક નિર્દેશ કરવામાં આવે તો સમુદાય એ સ્વરસંજ્ઞાને ભજનારો થશે નહીં. દા.ત. “ વગેરેમાં ‘ તથા ‘માર એ બેનો સમુદાય રહ્યો છે. આ સમુદાયમાં માત્ર 'ની જ વ્યંજનસંજ્ઞા થાય છે. પરંતુ ‘' સહિત ની (સમુદાયની) વ્યંજનસંજ્ઞા થતી નથી. ‘સર’ અન્ય ઠેકાણે પ્રધાનતાથી નિર્દેશ કરાયો હોવાથી અહીં માત્ર “ની જ વ્યંજન સંજ્ઞા થશે, પરંતુ ક’ની વ્યંજનસંજ્ઞા નહીં થાય. તેમજ સમુદાય સ્વરૂપ ( ) ની પણ વ્યંજનસંજ્ઞા નહીં થાય. હવે સમુદાય સ્વરૂપ “ની વ્યંજનસંજ્ઞા થતી નથી માટે જ “વં :”
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy