SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ સ્વરૂપ અન્ય પદાર્થ છે તે બહુવ્રીહિ સમાસ દ્વારા કહેવા યોગ્ય અર્થવાળો છે. તે મર્યાદા, એ ખેતરનો અવયવ હોવાથી તેનો ખેતરમાં સમાવેશ થઈ શકશે. કેટલાંક સમાવેશ ન પામતાં અર્થવાળા અન્ય પદાર્થો હોય છે. બહુવ્રીહિ સમાસવડે કહેવા યોગ્ય જે અર્થ હોય છે, તેનો અન્ય પદાર્થમાં સમાવેશ થતો નથી. દા.ત. શ્વેતામ્બર: પુનઃ અહીં બહુવ્રીહિ સમાસવડે કહેવા યોગ્ય સફેદ કપડું છે. આ સફેદ કપડાંનો સમાવેશ મુનિ સ્વરૂપ અન્ય પદાર્થમાં થતો નથી. આથી સંયોગ સંબંધથી તેઓ બે સાથે રહે છે. આવા સમાસને બીજા શબ્દોમાં મતવિજ્ઞાન: બહુવ્રીહિ સમાસ કહેવાય છે. આચાર્ય ભગવંતે આ સંબંધમાં નદ્યત્તમ રેવદ્રત્તી ક્ષેત્રમ્ ઉદાહરણ આપ્યું છે. નદી અવયવવાળું દેવદત્તનું ખેતર. અહીં અન્યપદાર્થ સ્વરૂપ ખેતર છે. જેમાં નદી સ્વરૂપ અવયવનો સમાવેશ થતો નથી. આથી હવે પ્રશ્ન એ ઉપસ્થિત થયો કે અહીં ગૌ અવયવવાળા સ્વરોમાં જે ગૌ અવયવવાળો એવો બહુવ્રીહિ સમાસનો અર્થ છે તેનો સમાવેશ અન્ય પદાર્થ સ્વરૂપ સ્વરોમાં કરવો કે કેમ ? બંને અર્થવાળો બહુવ્રીહિ સમાસ થવાથી આપણે એવું નક્કી કરી શકતાં નથી કે અન્તભૂત અર્થવાળો જ અન્ય પદાર્થ લેવો છે. આ પ્રમાણે અન્ત શબ્દ બે અર્થવાળો છે. (૧) તેની સાથે વર્તે છે, તથા (૨) તેની પૂર્વમાં વર્તે છે. હવે જો સૌને પણ સ્વરસંજ્ઞામાં ગણવો હોય તો અન્ત શબ્દનો પહેલો અર્થ જ સમજવો આવશ્યક થાય. હવે, સૂત્રમાં તો કોઈ ખુલાસો કર્યો નથી. આથી જ કયો અર્થ લેવો એનો સંશય ઉપસ્થિત થાય છે. (૪૦૦) તંત્રીત્તવૃતપિપ્રદાર્થ પરિપ્રદi #ર્તવ્ય, પર્યન્તીજીન્યપક્વાર્થવિષયત્વ, एवं च औकारस्यापि स्वरसंज्ञया परिग्रहः स्यात्; अन्यथा तत्पूर्वेषामपि (मेव) स्यादिति । नैष दोषः-अन्तशब्दोऽवयववाचीत्यवयवेन विग्रहः, समुदायः समासार्थः, इत्यवयवस्य अवश्यमन्यपदार्थेऽन्तर्भावः । અનુવાદઃ-પૂર્વપક્ષ - આમ, બંને અર્થવાળા બહુવ્રીહિ સમાસનો વિકલ્પ ઊભો થયો હોવાથી જો અન્તભૂત અર્થવાળો અન્ય પદાર્થ સમજવો હોય તો ‘રિ' અવ્યય ગ્રહણ કરવો જોઈએ. અર્થાતું, મૌત્ પર્થના. સ્વર: આ પ્રમાણે સૂત્ર બનાવવું જોઈએ. જેથી અર્થમાં સંદિગ્ધતા રહે નહીં. “પર્યન્ત' શબ્દ એ અન્યપદાર્થના વિષયવાળો હોય છે. કોઈ કહે કે, વનપર્યન્ત મારી સત્તા પ્રવર્તે છે તો અહીં વનમાં પણ સત્તા પ્રવર્તે છે, એવો અર્થ થઈ શકશે. આ પ્રમાણે પર્યન્ત શબ્દ લખવાથી મૌવાર પણ સ્વરસંજ્ઞા તરીકે લઈ શકાશે. જો પરિ અવ્યય નહીં લખવામાં આવે તો મૌની પૂર્વમાં રહેલાની પણ સ્વરસંશા થશે.
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy