SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ ગૌવત્તા. સ્વર: (૧/૧/૪) સૂત્રની પૂર્વભૂમિકા - અહીં પ્રથમ ત્રણ સૂત્રો સંબંધી બધા જ વિધાનો તથા અનુવાદો પૂર્ણ થયા છે. હવે શબ્દાનુશાસનની શરૂઆત થાય છે. આથી એ શબ્દાનુશાસનની શરૂઆત કરતાં પહેલાં કેવી પરિસ્થિતિમાં “સૌન્તા. સ્વર:” વગેરે સૂત્રો બનાવવા પડ્યાં છે? એ સંબંધમાં “આચાર્ય ભગવંત” વ્યાકરણનાં પક્ષને મજબૂત કરવા માટે કંઈક કહી રહ્યા છે. -: શબ્દમહાર્ણવન્યાસ - अत्र च शब्दानुशासनस्य प्रक्रान्तत्वात् तदुपदेशे च शब्दापशब्दोभयोपदेशभेदेन त्रयः प्रकाराः संभवन्ति, तत्रान्यतरोपदेशेनैव कृतं स्यात् । तद् यथा-'शमादयो विधेयाः' इत्युक्ते क्रोधादिप्रतिषेधो गम्यते, क्रोधादिप्रतिषेधे च शमादिविधिः, एवमिहापि 'गौः' इत्युपदिष्टे गम्यते एतद्गाव्यादयोऽपशब्दाः, गाव्याद्यपशब्दोपदेशे च गम्यते एतद्-गौरित्येष शब्दः तत्र लाघवादुपादेयोपदेशे साक्षात् प्रतिपत्तेश्च शब्दोपदेशो ज्यायान् । . -: શબ્દમહાર્ણવન્યાસ અનુવાદ :હવે શબ્દાનુશાસનનો આરંભ થાય છે. આથી શબ્દોનું કથન કરવા યોગ્ય થાય છે. આ શબ્દો ત્રણ પ્રકારે સંભવે છે: (૧) સાધુ શબ્દો જેનો પ્રયોગ શિષ્ટપુરુષો કરે છે. (૨) અપશબ્દો જેનો પ્રયોગ ઘણું કરીને અજ્ઞાનીઓ કરે છે. (૩) સાધુ અને અપશબ્દોના જોડાણ સ્વરૂપ શબ્દોનું કથન પણ થઈ શકે છે. હવે આ ત્રણ પ્રકારનાં શબ્દોમાંથી કોઈ પણ એક શબ્દનાં કથનો દ્વારા બાકીનાં શબ્દોનું કથન થઈ જ જાય છે. આથી કોઈપણ એક પ્રકારનાં શબ્દો કહેવાથી શબ્દાનુશાસનનું કથન થઈ જ જવાનું. દા.ત. “શમ વગેરે કરવા યોગ્ય છે એવું કથન થયે છતે ક્રોધ વગેરે કરવા યોગ્ય નથી એવો નિષેધ સ્પષ્ટપણે જણાઈ જ જાય છે. તે જ પ્રમાણે ક્રોધાદિ કરવા યોગ્ય નથી એવું કથન થયે છતે “શમ વગેરે કરવા યોગ્ય છે” એવું કથન જણાઈ જ જાય છે. એમ અહીં પણ નૌ: એ પ્રમાણે કથન થયે છતે આવી વગેરે અપશબ્દોનાં કથનની આવશ્યકતા રહેતી નથી. એ જ પ્રમાણે માવી વગેરે અપશબ્દોનું કથન થયે છતે શો: એ પ્રમાણે સાધુશબ્દ જણાઈ જ જાય છે; તેવી પરિસ્થિતિમાં “ક” વગેરે સાધુ શબ્દોનાં કથનની આવશ્યકતા રહેતી નથી. હવે બેમાંથી કોઈપણ એક પ્રકારનાં શબ્દોનાં કથન દ્વારા ઉભય પ્રકારનાં શબ્દોનો બોધ થઈ જ જતો હોય તો લાઘવથી સાધુ શબ્દનું કથન જ શ્રેષ્ઠ છે તથા ઈષ્ટ શબ્દોનું કથન હોતે જીતે ઇષ્ટ શબ્દોનો સ્વીકાર પણ સાક્ષાત્ સ્વરૂપે થશે. આથી સાધુ શબ્દોનાં કથનમાં લાઘવ છે.
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy