________________
૦ ૧-૧-૩
૯૩
હોય તો એવું કાર્ય નિત્યકાર્ય કહેવાય છે. આથી પર એવા સૂત્રે જે કાર્ય કર્યું હોય તેનાથી પણ નિત્યકાર્ય બળવાન બને છે એવું આ ન્યાય જણાવે છે.
હવે ઉદાહરણ દ્વારા આ ન્યાય જણાવવામાં આવે છે - વન્ + શક્. અહીં શસોડતા... (૧/ ૪૪૯) સૂત્રથી શટ્ના ઝની સાથે પૂર્વનો સમાન સ્વર દીર્ઘ થવાની પ્રાપ્તિ આવે છે તથા નવુંસમ્ય શિઃ (૧/૪/૫૫) સૂત્રથી શનો શ થવાની પ્રાપ્તિ સાથે છે. આથી બંને કાર્યોમાં શનો શિ થવાનું કાર્ય ૫૨ હોવાથી પહેલું પ્રાપ્ત થાય છે. આથી વન્ + fશ આ અવસ્થામાં શિ સંબંધી મૈં આગમ વગેરેનું કાર્ય થતાં “વનનિ” પ્રયોગની સિદ્ધિ થાય છે. અહીં ૧/૪/૪૯ સૂત્રનું કાર્ય ૧/૪/૫૫ સૂત્રના કાર્ય દ્વારા બાધ પામે છે.
ઉપર કહેલા પરકાર્યથી પણ નિત્યકાર્ય બળવાન બને છે. દા.ત. સિવૃ + 7 (૩ળાવિ -૨૫૮) સૂત્રથી 7 થયો છે. અહીં બે કાર્ય પ્રાપ્ત થાય છે. “તોરુપાન્યસ્ય” (૪/૩/૪) સૂત્રથી સિન્ના નો ગુણ થવાની પ્રાપ્તિ આવે છે. તેમજ અનુનાસિò ... (૪/૧/૧૦૮) સૂત્રથી સિટ્ના નો ટ્ થવાની પ્રાપ્તિ આવે છે. હવે જો ત્ કાર્ય પ્રથમ કરવામાં આવે તો પણ થઈ શકે છે તથા સિના નો ગુણ કર્યા પછી પણ નો દ્ થઈ શકે છે. આથી નું કાર્ય નિત્ય હોવાથી આ ન્યાયથી પ્રથમ પ્રાપ્ત થશે. જ્યારે સિટ્ના નો ગુણ પરસૂત્રથી થતો હતો. આથી સ્પર્ષે: પરિભાષાથી તો પ્રથમ ગુણ જ થવો જોઈતો હતો. તેમ છતાં પણ આ ન્યાયથી પરકાર્યનો બાધ થયો અને સૌ પ્રથમ નિત્ય એવું નું કાર્ય થયું. આથી સિદ્ + 7 આ અવસ્થામાં નો ગુણ પ્રાપ્ત થશે અને “સ્યોન" પ્રયોગની સિદ્ધિ થશે. સ્યોનનો અર્થ સુખ થાય છે.
(श०न्या० ) तथा *नित्यादन्तरङ्गम्*, ज्ञाया ओदनो ज्ञौदनस्तमिच्छति क्यनि, ततः सनि, • अकृतव्यूहत्वाद् ज्ञा ओदन य स' इति स्थिते द्वित्वं च प्राप्नोत्यौत्वं च नित्यत्वाद् द्वित्वे प्राप्ते तद् बाधित्वाऽन्तरङ्गत्वादौत्वं भवति - जुज्ञौदनीयिषतीति ।
અનુવાદ :- નિત્યકાર્યથી અંતરંગ કાર્ય બળવાન બને છે. સૌ પ્રથમ અંતરંગના સ્વરૂપને સમજીએ. પરિભાષેન્દ્રશેખર ગ્રંથમાં અંતરંગની વ્યાખ્યા આ પ્રમાણે આપવામાં આવી છે – પ્રકૃતિ અને પ્રકૃતિ તથા પ્રકૃતિ અને પ્રત્યય વગેરે સ્વરૂપ સમુદાયની અંદર જેના નિમિત્તો અન્નદ્ભૂત હોય છે તે અંતરંગ કહેવાય છે. તથા સમુદાયથી બહાર નિમિત્તો રહેલા હોય તે બહિરંગ કહેવાય છે.
શ્રી હેમહંસગણિ વિરચિત ન્યાયસંગ્રહમાં અંતરંગની વ્યાખ્યા આ પ્રમાણે આપવામાં આવી છે - જે પ્રકૃતિમાં આશ્રિત થયેલું હોય અથવા તો પૂર્વમાં વ્યવસ્થિત થયેલું હોય અથવા જેના નિમિત્તો અલ્પ હોય તે અંતરંગ કહેવાય છે. તથા જે પ્રત્યય આશ્રિત હોય, બહાર વ્યવસ્થિત થયેલું હોય અથવા તો જેને ઘણા બધા નિમિત્તો હોય તે બહિરંગ કહેવાય છે.