________________
સૂ૦ ૧-૧-૩
૮૯
વૃદ્ધપિંડમાં જણાય જ છે તથા અમુક કોમ બ્રાહ્મણ છે એવું એકવાર કોઈકના ઉપદેશ દ્વારા જ જાણી શકાશે. હવે જાતિના ત્રીજા લક્ષણને વિચારીએ. કેટલાક સંબંધી શબ્દો અને ક્રિયાવાચક શબ્દોમાં અર્થનું અસત્ત્વપણું હોતે છતે પણ પરિભાષાથી નિષ્પન્ન એવું જાતિપણું નક્કી ક૨વામાં આવ્યું છે. સૌ પ્રથમ ગોત્રવાચક નામને જાતિવાચક કહેવામાં આવે છે. ગોત્રવાચક નામ બે પ્રકારે છે : (૧) વૃદ્ધ અપત્યવાચક તથા (૨) યુવા અપત્યવાચક. જેમાં આદિ પુરુષનો (પૂર્વપુરુષનો) બોધ થાય તેને ગોત્ર કહે છે. લોકપ્રસિદ્ધ પ્રવર નામના અધ્યાયમાં આવા ગોત્રવાચક નામો કહેવાયા છે.
જે ચરણવાચક નામો છે તે પણ જાતિ સ્વરૂપ છે. વેદમાં કઠ વગેરે સંબંધી અધ્યયન આવે છે. આથી કઠ વગેરે શાખામાં જે જે કહેવાયું હોય તેનું તેનું અધ્યયન નિમિત્તપણાંથી પ્રવર્તે છે. આમ, કઠ વગેરેનું અધ્યયન કરનારાઓ જે કઠાદિ છે તે ચરણવાચક નામો કહેવાય છે અને આ ચરણવાચક નામો જાતિસંજ્ઞાવાળા થાય છે.
પૂર્વપક્ષ :- ગોત્રવાચક અને ચરણવાચક નામો ક્યાંતો સ્ત્રીલિંગ સ્વરૂપે હોય છે અથવા તો પુલિંગ સ્વરૂપે હોય છે. આથી તેમાં સર્વ લિંગપણું તો આવતું જ નથી. આમ, સર્વ લિંગોને જાતિ ભજતી નથી એવા સ્વરૂપથી જ જાતિવાચક થઈ જાત તો પછી ગોત્રવાચક અને ચરણવાચક નામોને ભિન્નતાથી શા માટે બતાવવામાં આવ્યા ?
ઉત્તરપક્ષ :- આ બંને સ્વરૂપવાળા નામોમાં કોઈક અવયવના સમૂહવિશેષથી જાતિવાચકપણું આવશે નહીં. માત્ર અહીં પરિભાષાથી નિષ્પન્ન એવું જ જાતિવાચકપણું વ્યાકરણના નિયમથી લાવી શકાય છે. આ વસ્તુ સામાન્યલોકમાં પ્રસિદ્ધ નથી. આ પ્રમાણે ઉપર કહેલા લક્ષણોથી જે પ્રસિદ્ધ હોય તે જાતિ કહેવાય છે.
(શા૦ ) ત્રુટ્યાતિ: હ્રાતઃ
"स्वस्थे नरे समासीने स्पन्दते वामलोचनम्
तस्य त्रिंशत्तमो भागस्त्रुटिरित्यभिधीयते” ॥१२॥
स्त्यानप्रसवो लिङ्गम्, रूपादीनां पर्यायाणामपचयः स्त्यानं स्त्री, तेषामेव प्रवृत्तिः सवनं प्रसवः पुमान्, साम्यावस्था नपुंसकमिति ।
અનુવાદ :- હવે આચાર્ય ભગવંત કાળનું સ્વરૂપ બતાવે છે - ત્રુટિ વગેરે સ્વરૂપવાળો કાળ કહેવાય છે. બેઠેલો એવો સ્વસ્થ મનુષ્ય હોતે છતે જે ડાબી આંખ ફરકે છે તે ફરકવાના સમયના ત્રીસમા ભાગને “ત્રુટિ’ કહેવાય છે. આ ત્રુટિ એ કાળનો નાનામાં નાનો અંશ છે. ત્રુટિ, લવ, સ્તોક વગેરે કાળના ભિન્ન ભિન્ન સ્વરૂપો છે.