SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૦ ૧-૧-૨ ૭૫ હવે તિષિળઃ એ આર્યોનું વિશેષણ છે. જે વિશેષણ દ્વારા હેતુનું કથન કરાય છે. આથી આ પ્રમાણે અર્થ થશે – હિતની ઇચ્છાવાળા હોવાથી જ આર્યો આપને પ્રણામ કરવા માટે આરંભ કરવાવાળા થયા છે. રસથી (સુવર્ણરસથી) વિન્ધાયેલ તાંબું વગેરે ધાતુઓ જેમ ઇષ્ટ ફળને આપનારી થાય છે તેમ સ્યાત્ પદથી ચિહ્નિત અને અવધારણ સહિત એવા નયો ઇષ્ટ ફળને આપનારા થાય છે. આવો અન્વય કરવો. હવે ભવન્તમ્ શબ્દની વ્યુત્પત્તિ બતાવે છે - કેવળજ્ઞાનરૂપી લક્ષ્મીથી અથવા તો અદ્વિતીય શક્તિવડે જેઓ શોભી રહ્યા છે એવા અર્થમાં માઁ ધાતુને માતેહંવતુ: (૩ળા૦ ૮૮૬) સૂત્રથી ડવતુ પ્રત્યય થતાં ભવતુ શબ્દ થાય છે, જેનું દ્વિતીયા એકવચન મવન્તમ્ થાય છે. હવે આર્યા શબ્દની વ્યુત્પત્તિ બતાવે છે - ઞાત્ અવ્યય દૂર અથવા તો નજીક અર્થમાં છે. જેઓ સમ્યગ્નાનાદિ સ્વરૂપ મોક્ષમાર્ગની સમીપપણાંને પ્રાપ્ત થયેલા છે અથવા તો જેઓ પાપક્રિયાથી દૂર ગયેલા છે. એ પ્રમાણે વ્યાખ્યાથી આનો લોપ થતાં આરાત્ + યા આર્યા શબ્દ બને છે. = હવે તિષિળ: શબ્દની વ્યુત્પત્તિ બતાવે છે - આવરણનો નાશ થવાથી નિર્મળજ્ઞાનની ઉત્પત્તિ રૂપ શુદ્ધિ અને અન્તરાયનો નાશ થવાથી શક્તિ અને તે બેની સર્વોપરિતા તે જ હિત છે. અથવા તો સ્વ સ્વરૂપથી આત્માને ધારણ કરવા સ્વરૂપ અને સુખ વગેરેની પુષ્ટિ સ્વરૂપ અન્વર્થથી પણ હિત શબ્દનો અર્થ ઘટે છે. ધા ધાતુને વક્ત લાગતાં હિત શબ્દ બને છે અને આ બંને અર્થો ધા ધાતુથી પ્રાપ્ત થયા છે. હવે, આવા હિતને ઇચ્છવાનાં સ્વભાવવાળા એ અર્થમાં હિત સહિત રૂક્ષ્ ધાતુને કર્તા અર્થમાં (૫/૧/૧૫૪) સૂત્રથી ફન્ પ્રત્યય થતાં “તિષિ” શબ્દ બને છે. આમ, અન્વર્થથી પણ અર્થની પ્રાપ્તિ થાય છે. આર્યપણું હોવાથી જ શીલાર્થપણું નિશ્ચિત થાય છે. સંસારમાં અને મોક્ષમાં સ્પૃહાનો અભાવ હોવાથી તેઓમાં આર્યપણું ઘટે છે. હવે આખા શ્લોકનો અર્થ આ પ્રમાણે થશે - જે કારણથી સુવર્ણ રસથી યુક્ત ધાતુ જેમ ઇષ્ટ ફળવાળો થાય છે તેમ સ્વાત્ પદથી ચિહ્નિત એવા તારા આ નયો ઇષ્ટ ફળવાળા થાય છે. તેથી હિતની ઇચ્છા કરવાના સ્વભાવવાળા એવા આર્યો આપને પ્રણામ કરવા માટે આરંભવાળા થયા છે. ( श० न्या० ) नन्वस्तु युक्तियुक्तः स्याद्वादस्तदधीना च शब्दसिद्धिः, तथाप्यनभिहिताभिधेयप्रयोजनत्वात् कथमेतत्प्रेक्षावत्प्रवृत्त्यङ्गम् ? इत्याशङ्कायामाह - अथवेत्यादि-विविक्तानामसाधुत्वनिर्मुक्तानां शब्दानां प्रयुक्तेः सम्यग्ज्ञानलक्षणा सिद्धिर्भवति, शब्दानुशासनस्य साधवः शब्दा
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy