________________
५ स्थानकाध्ययने उद्देशः २ आश्रवसंवरदण्डाः क्रियाः ४१८ - ४१९ सूत्रे
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ · વિના પાત્ર વગેરે લેવાથી અને મૂકવાથી જે ક્રિયા થાય તે અનાભોગપ્રત્યયા ૪, 'અળવ વવત્તિયા'—આ લોક અને પરલોક · સંબંધી દોષની અપેક્ષા (દરકાર) ન કરનારની જે ક્રિયા તે અનવકાંક્ષ પ્રત્યયા ૫. 'પેપ્નવત્તિયા' રાગના નિમિત્તવાળી તે પ્રેમપ્રત્યયા ૧, 'દ્રોસવત્તિયા' દ્વેષના નિમિત્તવાળી તે દ્વેષપ્રત્યયા ૨, કાયાદિના જે વ્યાપારો તે પ્રયોગક્રિયા ૩, (આઠ) કર્મનું ગ્રહણ કરવું તે સમુદાનક્રિયા ૪, અને યોગના નિમિત્તથી થતા જે બંધ તે ઇર્યાપથિકી પ. આ પ્રેમાદિ ક્રિયાપંચક, સામાન્ય પદમાં છે. ચતુર્વિંશતિ દંડકમાં મનુષ્યપદને વિષે જ સંભવે છે. ઇર્યાપથિકક્રિયાનો ભાવ ઉપશાંતમોહાદિ ત્રણ ગુણઠાણાવાળાને જ હોવાથી કહે છે કે—'વ' મિત્કાર્િ॰ અહિં એકેન્દ્રિય વગેરેને સામાન્યપણે ક્રિયા કહેલી છે તે પૂર્વભવની અપેક્ષાએ બધી પણ સંભવે છે એમ વિચારવું. ટ્વિસ્થાનકને વિષે બે પ્રકાર વડે ક્રિયાનું પ્રકરણ કહેલું છે. અહિં તો પાંચ પ્રકાર વડે અને નરકાદિ ચોવીશ દંડકના આશ્રયથી કહ્યું છે તે વિશેષ સમજવું. ક્રિયાઓનું વિસ્તૃત વ્યાખ્યાન દ્વિસ્થાનકના પ્રથમ ઉદેશથી જાણવું. I૪૧૯૫
અનંત૨ કર્મબંધનના કારણભૂત ક્રિયાઓ કહેલી છે, હવે તેની જ નિર્જરાના ઉપાયભૂત પરિક્ષાને કહે છે— पंचविधा परिना पन्नत्ता, तंजहा - उवहिपरिन्ना, उवस्सयपरिन्ना, कसायपरिन्ना, जोगपरिन्ना, भत्तपाणपरिन्ना ।। सू० ४२० ।।
पंचविधे ववहारे पन्नत्ते, तंजहा - आगमे, सुत्ते, आणा, धारणा, जीते । जहा से तत्थ आगमे सिता आगमेणं ववहारं पवेज्जा १, णो से तत्थ आगमे सिया, जहा से तत्थ सुते सिता सुतेणं ववहारं पट्टवेज्जा २, णो से तत्थ सुते सिता एवं जाव जधा से तत्थ जीते सिता जीतेणं ववहारं पट्टवेज्जा ५, इच्चेतेहिं पंचहिं ववहारं पट्टवेज्जा तंजा - आगमेणं जाव जीतेणं । जधा जधा से तत्थ आगमे जाव जीते तहा तहा ववहारं पट्ठवेज्जा। से किमाहु भंते ? आगमबलिया समणा निग्गंथा ! इच्चेतं पंचविधं ववहारं जता जता जहिं जहिं तता तता तहिं तहिं अणिस्सितोवस्सितं सम्मं ववहरमाणे समणे निग्गंथे आणाते आराधते भवति ।। सू० ४२१ ।।
(મૂ૦) પાંચ પ્રકારની પરિક્ષા (વસ્તુના સ્વરૂપને જાણવું અને જાણવાપૂર્વક પ્રત્યાખ્યાન કરવું) કહેલ છે, તે આ પ્રમાણે— ઉપધિની પરિજ્ઞા, ઉપાશ્રયની પરિજ્ઞા, કષાયની પરિજ્ઞા, યોગની પરજ્ઞા અને ભક્તપાનની પરિક્ષા. ૪૨૦ પાંચ પ્રકારનો વ્યવહાર–સાધુઓની પ્રવૃત્તિ અને નિવૃત્તિરૂપ કહેલ છે, તે આ પ્રમાણે—૧. જેના વડે અર્થ જણાય તે આગમ તે કેવળ, મન:પર્યવ, અવધિ, ચૌદ પૂર્વ, દશ પૂર્વ અને નવ પૂર્વરૂપ છે. તે જ્ઞાનવાળાનો જે વ્યવહાર તે આગમવ્યવહાર, ૨. નવ પૂર્વથી ન્યૂન શ્રુતજ્ઞાનવાળાનો વ્યવહાર તે શ્રુતવ્યવહાર, ૩. દેશાંતરમાં રહેલ ગીતાર્થ પુરુષને અગીતાર્થદ્વારા જે અતિચારોનું ગૂઢાર્થ પદ વડે પૂછાવવું અને તેના કહ્યા મુજબ અન્યને પ્રાયશ્ચિત્તનું દેવું તે આશાવ્યવહાર, ૪. પૂર્વે ગીતાર્થે કોઈકને આલોયણા દીધી હોય તેને ધારી રાખવું અને તે ધારણા પ્રમાણે અન્યને પ્રાયશ્ચિત્તનું દેવું તે ધારણાવ્યવહાર અને ૫. દ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવ–સંહનન વગેરેને અપેક્ષીને જે ગીતાર્થ પુરુષોએ આચર્યું હોય તેથી નિરવદ્ય હોય, અન્ય ગીતાર્થ વડે તેનો નિષેધ ન કરાયો હોય તે જીતવ્યવહાર–આ વ્યવહારમાં જેનો જે કેવલાદિ આગમવ્યવહાર હોય તે આગમ વડે વ્યવહારને પ્રવર્તાવે અને જેનો આગમવ્યવહાર ન હોય અને શ્રુતવ્યવહાર હોય, તો તે શ્રુત વડે વ્યવહારને પ્રવર્તાવે તથા જેનો શ્રુતવ્યવહાર ન હોય અને આજ્ઞાવ્યવહાર હોય તો તે આજ્ઞા વડે પ્રવત્તાવે, એ રીતે ધારણાવ્યવહારવાળો ધારણા વડે વ્યવહાર પ્રવર્તાવે અને જીતવ્યવહારવાળો જીત વડે વ્યવહાર પ્રવર્તાવે–આ પાંચ પ્રકાર વડે વ્યવહારને વિષે પ્રવર્તાવે. આગમથી યાવત્ જીતથી તેમાં જેવા જેવા પ્રકારનો આગમ યાવત્ જીતવ્યવહાર તેનો હોય તેવા તેવા પ્રકારના વ્યવહારને પ્રવર્તાવે. હે ભગવન્! આ પાંચ વ્યવહારમાં તમે મુખ્ય કોને કહો છો? ગુરુ કહે છે-આગમવ્યવહારને કારણ કે આગમવ્યવહારના બળવાળા શ્રમણ નિગ્રંથો હોય
47