SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः २ निग्रंथानां निग्रंथीभिः सह स्थानादि ४१७ सूत्रम् આજ્ઞાનો ભંગ કરે અનવસ્થાને પામે, મિથ્યાત્વને પ્રાપ્ત થાય, તથા દેશવિરાધના અને સર્વવિરાધના એમ બે પ્રકારની વિરાધનાને પામે જેથી સાધુએ આ ચતુર્ભગીરૂપ પદને પરિહરવું. (૮૦) સાધુઓનો આ ઉત્સર્ગ માર્ગ છે. હવે અપવાદ માર્ગ કહે છે– बीयपयमणप्पज्जे[अपवादोऽनात्मवश इत्यर्थः], गेलन्नुवसग्गरोहगद्धाणे। संभमभयवासासु य, खंतियमाइण निक्खमणे ।।८१।। [निशीथ भाष्य २३४९ त्ति] આત્માના પરતંત્રપણામાં, ગ્લાનપણામાં (રોગાદિમાં), ઉપસર્ગમાં, નગરના રોધમાં, રસ્તામાં, ચિત્તના ભ્રમમાં, ભયમાં ? અને વરસાદમાં, તથા ક્ષાંતિક-પિતા વગેરેના નિષ્ક્રમણમાં અર્થાત્ પિતા, ભાઈ અને પુત્રાદિની દીક્ષામાં–આવા કારણમાં માધુઓને સાધ્વીઓની સાથે રહેવામાં દોષ નથી. (૮૧) ક્ષિતચિત્તત્વાદિ વડે અચેલ (વસ્ત્ર રહિત), શોક વડે ક્ષિપ્તચિત્ત-શૂન્ય (વિહલ) ચિત્ત, તેની પ્રતિજાગરિકા-સંભાળ કરનારા સાધુઓ વિદ્યમાન નથી, તેથી સાધ્વીઓ પુત્રાદિકની જેમ તેની સારી રીતે રક્ષા કરે છે. આ હેતુથી સાધુ પણ આજ્ઞાને અતિક્રમતો નથી ૧, હર્ષના અતિરેકથી દચિત્ત-ગર્વિત ચિત્તવાળો ૨, યક્ષાવિષ્ટ-દેવતા વડે અધિતિ ૩, વાયુ વગેરેના ક્ષોભથી ઉન્મત્ત (ગાંડો) થયેલ ૪, સાધ્વીએ કારણવશાત્ પુત્રાદિને દીક્ષા અપાવેલ તે બાળપણાથી અચેલ, અથવા તથા પ્રકારના વૃદ્ધત્વાદિ વડે મોટો પણ અચેલ હોય છે. અહિં ભાષ્યમાં કહેલ ઉત્સર્ગ અને અપવાદ આ પ્રમાણે છે– जे भिक्खू य सचेले, ठाणनिसीयण तुयट्टणं वावि । चेएज्ज सचेलाणं, मज्झमि य आणमाईणि ।।८।। [નિશીથ ભાગ રૂછ૭૭ 7િ] પૂર્વોક્ત ચતુર્ભગી વડે સચેલક સાધુ, સચેલક સાધ્વીઓની સાથે સ્થાન-કાયોત્સર્ગ, બેસવું, સ્વાધ્યાય, સૂવું વગેરે કરે તે આજ્ઞાભંગ વગેરે દોષને પામે. (૮૨) इय संदसणसंभासणेहि भिन्नकहविरहजोगेहिं[दोषा भवन्तीति । तथा सिज्जातरादिपासण, वोच्छेय दुदिधम्मत्ति ।।८३।। વૃિદ૦ રૂ૭૧૨ ]િ સાધ્વીઓની સાથે જોવું, સંભાષણ કરવું, આહારાદિ સંબંધી ભિન્ન ભિન્ન કથાઓ વડે વિરહના યોગો વડે દોષો થવા પામે છે. શય્યાતરાદિ વડે જોવાય તો વસતિને આપે નહિ અને અવજ્ઞા કરે કે ‘તમારા આચાર સારા નથી' ઇત્યાદિ. (૮૩). संवरिए वि हु दोसा, किं पुण एगतरणिगिण उभओ वा । दिट्ठमदिट्ठव्वं मे, दिट्ठिपयारे भवे खोभो ॥८४॥ [નિશીથ ભાષ્ય રૂ૭૮૨ રૂત્યુત્સઃ ઉત્ત] સચેલક સાધુ અને સચેલક સાધ્વીઓ હોતે છતે પણ ચોક્કસ આ દોષો છે તો પછી આ બેમાંથી એક નગ્ન હોય અથવા બન્ને નગ્ન હોય તો દોષનું કહેવું જ શું? અર્થાત્ બહુ દોષ થાય. વળી મારું ન જોવા લાયક અંગ એણે જોયું, એવી રીતે પરસ્પર દૃષ્ટિનો પ્રચાર થયે છતે ચિત્તનો ક્ષોભ થાય અને ક્ષોભ પામેલ ઉભય વર્ગ અનાચારનું સેવન કરે ઇત્યાદિ દોષો થાય. (૮૪) આ ઉત્સર્ગ માર્ગ છે. હવે અપવાદ કહે છે– बीयपदमणप्पज्जे, गेलनुवसग्गरोहगद्धाणे । समणाणं असईए, समणीपव्वाविए चेव ।।५।। [निशीथ भाष्य ३७७९ त्ति] આત્માના પરતંત્રપણામાં, રોગી અવસ્થામાં, ઉપસર્ગમાં, નગરના રોધમાં, રસ્તામાં તથા સાધ્વીએ અપાવેલ દીક્ષાવાળા સાધુને, સાધુઓનો અભાવ હોતે છતે એકત્ર રહેવું કહ્યું. (૮૫) II૪૧૭ll. ધર્મ પ્રત્યે અતિક્રમે નહિં એમ કહ્યું, તેનો અતિક્રમ તે આશ્રવરૂપ છે માટે તેના દ્વારોને અને તેના પ્રતિપક્ષપણાથી સંવર દ્વારોને, વળી દંડક્રિયાલક્ષણ-આશ્રવવિશેષોને પરિજ્ઞા સૂત્રથી અગાઉના સૂત્ર પર્વત કહે છે – 44 -
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy