SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ५ स्थानकाध्ययने उद्देशः २ पञ्चानुद्घातिमाः सू० ४१४ सूत्रम् पंचहिं ठाणेहिं समणे निग्गंथे रायंतेउरमणुपविसमाणे नाइक्कमति, तंजहा-नगरं सिता सव्वतो समंता गुत्ते गुत्तदुवारे, बहवे समणमाहणा णो संचाएंति भत्ताते वा पाणाते वा निक्खमित्तते वा पविसित्तते वा तेसिं विनवणट्ठताते रातंतेउरमणुपव्विसेज्जा १, पाडिहारितं वा पीढ-फलग-सेज्जा-संथारगं पच्चप्पिणमाणे रायंतेउरमणुपविसेज्जा २, हतस्स वा गयस्स वा दुट्ठस्स आगच्छमाणस्स भीते रायंतेउरमणुपविसेज्जा ३, परो वणंसहसा वा बलसा वा बाहाते गहाय रायंतेउरमणुपविसेज्जा ४, बहिता व णं आरामगतं वा उज्जाणगतं वा रायंतेउरजणो सव्वतो समंता संपरिक्खिवित्ता णं निवेसेज्जा ५ । इच्चेतेहिं पंचहिं ठाणेहिं समणे णिग्गंथे जाव णातिक्कमति ।। सू० ४१५।। (મૂળ) પાંચ કારણો વડે શ્રમણ નિગ્રંથ, રાજાના અંતઃપુરને વિષે પ્રવેશ કરતો થકો આજ્ઞા પ્રત્યે ઉલ્લંઘતો નથી, તે આ પ્રમાણે—૧.નગર ચોરતરફથી-પરચકના ભયને લઈને દિશા વિદિશાથી કિલ્લા વડે વીંટાયેલ હોય અને દરવાજા બંધ કરેલ હોય, તેથી શ્રમણ માહણો નગરથી બહાર ભાત પાણીને માટે નીકળવાનું અને પ્રવેશ કરવાને સમર્થ થતા નથી, માટે તે સાધુઓના નિમિત્તે અંતઃપુરમાં રહેલ રાજાને અથવા રાણીને વિજ્ઞપ્તિ કરવા માટે રાજાના અંતઃપુરમાં પ્રવેશ કરે. ૨. જે વસ્તુ લઈને પાછી અપાય તે પ્રાતિહારિક-પીઠ એટલે પાટ વગેરે, લક-ઓઠું આપવાનું પાટિયું, સંસ્કારક, આ વસ્તુઓને પાછી સોંપવા માટે અંતઃપુરમાં પ્રવેશ કરે. ૩. દુષ્ટ અશ્વ અથવા હસ્તિ સામે આવતો હોવાથી તેનાથી ભય પામતો થકો રાજાના અંતઃપુરમાં પ્રવેશ કરે. ૪. કોઈ અન્ય પુરુષ અકસ્માત અથવા બળથી હાથથી ગ્રહણ કરીને (પકડીને) રાજાનું અંતઃપુરમાં પ્રવેશ કરાવે. ૫. નગરથી બહાર આરામમાં ગયેલ અથવા ઉદ્યાનમાં ગયેલ સાધુ પ્રત્યે, રાજાના અંતઃપુર-પરિવાર ચોતરફથી વીંટીને ક્રીડા કરવા માટે રહેવાનું કરે ત્યારે તે સાધુ, રાજાના અંતઃપુરમાં રહેલ કહેવાય. આ પાંચ કારણો વડે શ્રમણનિગ્રંથ યાવતું આજ્ઞા પ્રત્યે ઉલ્લંઘન કરતો નથી. //૪૧પી/ (ટી૦) 'નાડુમતિ' આજ્ઞા અથવા આચારને ઉલ્લંઘે નહિં. નગર હોય સર્વતઃ–બધીય દિશાઓમાં, સામંતા–વિદિશાઓમાં અથવા સર્વતઃ શબ્દથી શું કહેવું પ્રાપ્ત થાય છે સમંતા–ચોતરફથી ગુપ્ત—ગઢ વડે વીંટાયેલ હોવાથી ૨ તથા ઇ-ગઢ વડે વાટાયેલ હોવાથી અને ગુપ્તદ્વાર-દરવાજો બંધ કરેલો હોવાથી. શ્રાન્તિ —તપસ્યા કરે છે તે શ્રમણો. ‘વધ મ કરો’ આવી રીતે કહેવાની) પ્રવૃત્તિ છે જેઓની તે માહણો, અર્થાત્ ઉત્તરગુણ અને મૂળગુણવાળા સંયતો, શ્રમણો તે શાક્યાદિ સાધુઓ અને માહણો તે બ્રાહ્મણો. ‘નો સંવાતિ' ત્તિ સમર્થ થતા નથી. ભક્તને માટે અથવા પાણીને માટે નગરથી નીકળવાને, તેમજ નગરથી બહાર ભિક્ષાને યોગ્ય કુલોને વિષે ભિક્ષા કરીને પાછા પ્રવેશ કરવાને માટે શક્તિમાન્ થતા નથી તેથી તે શ્રમણાદિના પ્રયોજનને વિષે અંતઃપુરમાં રહેલ રાજાને અથવા પ્રમાણભૂત રાણીને નિવેદન કરવાને માટે રાજાના અંતઃપુરમાં પ્રવેશ કરે. અહિં શાક્યાદિ (શ્રમણો) ના પ્રયોજનમાં જે રાજાને નિવેદન કરવું તે અપવાદ અપવાદરૂપ છે કેમ કે તેઓનું અસંયત અને અવિરતપણું હોય છે. આ નિવેદન કિંચિત્ આત્યંતિક સંઘાદિના પ્રયોજનને અવલંબન કરનારાઓને માટે થાય છે એમ જાણવું-આ એક, કરેલ પ્રયોજન વડે-કાર્ય પૂર્ણ થવાથી જે પાછો લઈ જવાય છે તે પ્રતિહાર, પ્રયોજનપણાથી પ્રાતિહારિક પીઠ-પાટ વગેરે, ફ્લેક-અવષ્ટમ્ (ઓઠા માટે રાખેલ) પાટિયું, શય્યા-બધા અંગે કરેલ ફલકાદિરૂપ પથારી, સંસ્તારક-ઘણું નાનું (પાથરણું) અથવા શય્યા એટલે શયન અને તેના માટે સંસ્કારક બિછાવવું તે શય્યાસંસ્તારક (અહિં લંદ સમાસમાં એકવન્ ભાવથી પીઠલકેશપ્યાસંસ્તારક'આ પ્રયોગ થયેલ છે.) 'પૂર્વાધ્યિમ' ત્તિ આર્ષપણાથી છે. પ્રત્યર્પવિતું–તે પાછા સોંપવા માટે અંતઃપુરમાં પ્રવેશ કરે, કેમ કે જેની પાસેથી જે (વસ્તુ) લાવેલ હોય તે ત્યાં જ (પાછી) મૂકવા યોગ્ય છે-આ બીજું, આવતા દુષ્ટ અશ્વ વગેરેથી ભય પામીને અંતઃપુરમાં પ્રવેશ કરે-આ ત્રીજું, પર–પોતાથી ભિન્ન (અન્ય) સહસા–અકસ્માતું, વલસા–બલ વડે હઠથી (અહિં સકાર તો આગમિક છે) બન્ને ભુજાઓને ગ્રહણ કરીને કોઈ પ્રવેશ કરાવે-આ ચોથું. વઢિયા વ' ત્તિ નગરાદિથી બહર આરામમાં 38
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy