SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ५ स्थानकाध्ययने उद्देशः २ पञ्चानुद्घातिमाः सू० ४१४ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ યદ્યપિ દીવા વગેરેના પ્રકાશથી કીડીઓ વગેરે દેખી શકાય છે તથાપિ નિશ્ચયે અનાચીર્ણ છે કેમ કે તેથી પ્રાણાતિપાતવિરમણરૂપ મૂળવ્રતની વિરાધના થાય છે. (૬૧) ૪ અગાર-ગૃહ સહિત વ છે તે સાગર, તે જ સાગરિક અર્થાત્ શય્યાતર, તેનો પિંડ-આહાર અને ઉપધિરૂપ (ન કલ્પે), તે સિવાયની વસ્તુ શય્યાતર થતી નથી. કહ્યું છે કેતા-છા -ત્તિ-મસ્તી-સેના-સંથા-પીઢ-તેવાડું સેના પંડો તો, ન હોઙ સેદો ય સોવટિમો પાવરા [निशीथ भाष्य ११५४ बृहत्कल्प० ३५३५ त्ति] : ઘાસ, રાખ, ડગલ, માટીનું પાત્ર, શયા, સસ્તારક, પીઠ, લેપ વગેરે અને ઉપધિ સહિત શિષ્ય-આ વસ્તુઓ શય્યાતર ' પિંડ તરીકે ગણાતી નથી. (૬૨) સાગારિક પિંડને ભોગવતાં નીચેના દોષો થાય तित्थकरपडिक्कुटो, अन्नायं [अज्ञातोञ्छो न भवति] उग्गोऽवि य न सुज्झे [परिचयात् । अविमत्ति अलाघवया, दुल्लहसेज्जा य वोच्छेदो ।।६३|| [ ૦ ૨૭૨૮ત્તિ] તીર્થકરોએ નિષેધેલ છે માટે ગ્રહણ કરવાથી તેમની આજ્ઞાનો ભંગ થાય છે, નજીકમાં વસવાથી આહારમાં અજ્ઞાત થતો નથી અર્થાત્ ગૃહસ્થના ઘરના આહારને જાણે છે, પરિચયવશાત્ ફરીફરીને ત્યાં જ જવાથી ઉદ્ગમાદિ દોષની શુદ્ધિ ન થાય, આહારની લોલુપતા થાય, તે કારણથી શય્યાતરના ઘરને છોડે નહિ, શરીર અને ઉપકરણની લાઘવતા ન થાય, શય્યા વસતિની દુર્લભતા થાય અથવા કોઈ જગ્યા આપે જ નહિં. (૬૩) पडिबंधनिराकरणं, केई अन्ने उ गिही अगहणस्स । . तस्साउट्टण [शय्यातरावर्जनमित्यर्थः] आणं इत्थऽवरे बेंति भावत्थं ।।६४।। पञ्चा० १७।१९ त्ति] કેટલાકએક આચાર્યો શય્યાતર પિંડ લેવામાં પ્રતિબંધના નિરાકરણ-ભંગરૂપ દોષને કહે છે, અન્ય આચાર્યો નહિ ગ્રહણ - કરવા યોગ્યનું ગ્રહણ કરવામાં વૃદ્ધિ-આસક્તિરૂપ દોષ કહે છે. વળી કોઈક આચાર્યો શય્યાતર પિંડમાં આવર્જન દોષસ્વાધ્યાયાદિના સંભળાવવાથી બંધાવવાપણારૂપ દોષને કહે છે. અન્ય આચાર્યો આજ્ઞા કહે છે. (૬૪). રાજાનો પિંડ તે રાજપિંડ. તેને ભોગવતો થકો. અહિં ચક્રવર્તી વગેરે રાજા જાણવા. કહ્યું છે કેजो मुद्धा-अभिसित्तो, पंचहिं सहिओ य भुंजए रज्जं । तस्स उ पिंडो वज्जो, तव्विवरीयम्मि भयणा उ ।।५।। [निशीथ भाष्य २४९७ त्ति] મસ્તક વડે જે અભિષેક કરાયેલ હોય અર્થાત્ મુકુટબદ્ધ રાજા હોય, સેનાપતિ, અમાત્ય, પુરોહિત, શ્રેષ્ઠી અને સાર્થવાહ, આ પાંચ સહિત રાજ્યને ભોગવતો હોય તેના ઘરનો પિંડ વર્જવો. ઉક્ત રાજાથી વિપરીત હોય અર્થાત્ સામાન્ય રાજા હોય તેના ઘરના પિંડ વિષયમાં ભજના જાણવી. (૬૫) હવે પિંડનું સ્વરૂપ કહે છે– असणाईया चउरो, वत्थे पाए य कंबले चेव । पाउंछणए य तहा, अट्ठविहो रायपिंडो तु ॥६६॥ [નિશીથ ભાષ્ય ર૬૦૦ત્તિ ૧. અશન, ૨. પાન, ૩. ખાદિમ, ૪. સ્વાદિમ, ૫. વસ્ત્ર, ૬. પાત્ર, ૭. કંબલ અને ૮. રજોહરણ આ આઠ પ્રકારે રાજપિંડ છે. (૬૬) . દોષો આજ્ઞાભંગ વગેરે પ્રવેશ કરનાર અને નીકળનાર ઈશ્વરાદિદ્વારા રાજકુળને વિષે સાધુને આવવા-જવામાં સ્કૂલના થાય તેથી ભિક્ષા અને સ્વાધ્યાયનો વિઘાત થાય, અપમંગલની બુદ્ધિ વડે હીલણા કરે, પ્રભૂત અનાદિ મળવાથી લાભ થાય, એષણાની શુદ્ધિ ન થાય અને લોકોને ચોરાદિની શંકા થાય-ઇત્યાદિ દોષો થાય. ૪૧૪ 27
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy