________________
५ स्थानकाध्ययने उद्देशः १ पभप्रभादिस्थानकानि ४११ सूत्रम्
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ ચિત્રા નક્ષત્ર વિશેષ છે જેને તે પંચચિત્ર. 'વિત્રામઃ' આ રૂઢીથી બહુવચન છે. 'વ્યુતઃ '—અવતર્યા, ઉપરિમો પરિમ (નવમા) રૈવેયકથી એકત્રીશ સાગરોપમની સ્થિતિવાળા દેવમાંથી અવીને 'લ્મ' તિઃ ગર્ભમાં કૌશંબી નગરીને વિષે ધર નામના રાજાની સુસીમા નામની ભાર્યાની કૃષિમાં માઘ માસની કૃષ્ણ છઠ્ઠીને દિવસે ઉત્પન્ન થયા ૧, કાર્તિક વદિ બારસને દિવસે ગર્ભમાંથી નીકળીને જન્મ્યા ૨, તથા કેશ અને કષાયાદિની અપેક્ષાએ મુંડ થઈને, ગૃહવાસથી નીકળીને સાધુપણાને પ્રાપ્ત થયા અથવા કાર્તિક સુદ તેરસને દિને અણગારીપણા વડે પ્રવૃજિત થયા ૩, તથા અનંતપર્યાયવાળું હોવાથી અનંત, બધાય જ્ઞાનોમાં ઉત્તમ હોવાથી અનુત્તર, અપ્રતિપાતી હોવાથી નિર્માઘાત, સર્વથા સ્વઆવરણનો ક્ષય થયેલ હોવાથી અથવા કટ (સાદડી), ભીત વગેરે આવરણના અભાવથી નિરાવરણ, સકલ પદાર્થના વિષયપણાથી કુસ્ત, પરિપૂર્ણ–પોતાના અવયવની અપેક્ષાએ પૂનમચંદ્રના બિંબની જેમ અખંડ, શું તે કહે છે-કેવળ–અન્ય જ્ઞાનોના અસહાયપણાથી (એકલું) અથવા સંશુદ્ધપણાથી. આ કારણથી જ વરપ્રધાન તે કેવલવરજ્ઞાન-વિશેષ જાણવારૂપ અને દર્શન-સામાન્ય જાણવારૂપ, એવું જ્ઞાન અને દર્શન તે કેવલવરજ્ઞાનદર્શન ચૈત્ર સુદ પૂનમને દિને ઉત્પન્ન થયું તથા ૪. પરિનિવૃતો—માગશર વદિ એકાદશીએ અને મતાંતરે ફાલ્યુન વદિ ચોથે નિર્વાણ પામ્યા. મોક્ષે ગયા. પ. 'વં વેવ' ઉત્તઃ પદ્મપ્રભુસ્વામીના સૂત્રની જેમ પુષ્પદંતનું સૂત્ર પણ કહેવું. 'હવે' અનંતર કહેલ સ્વરૂપ વડે તેન' હમણાં કહેલ હોવાથી પ્રત્યક્ષ સૂત્રના પાઠ વડે આ ત્રણ સૂત્ર સંગ્રહણિ ગાથાઓ વડે ( અનુસરણ કરવા યોગ્ય છે. શેષ સૂત્રના પાઠને બતાવવા માટે 'પ૩મMમસ્તે’ ત્યા૦િ તેમાં પદ્મપ્રભ તીર્થકરના ચ્યવનાદિપાંચ
સ્થાનકોને વિષે ચિત્રા નક્ષત્ર હોય છે, ઇત્યાદિ ગાથાનો અક્ષરાર્થ કહેવો, સૂત્રપાઠ તો પ્રથમના બે સૂત્રનો સાક્ષાત્ દેખાડેલ જ છે. બીજા તીર્થકરોનો સૂત્રપાઠ તો આ પ્રમાણેસીયને જ નહીં પંવપુલ્વાસાઢે દોસ્થા, તંગદી–પુબ્બાસાહહિં પુ વરૂત્તા, જન્મ વતે પુર્વાસાઢfë નાણ' રૂત્યાદ્રિ એવી રીતે બધાય સૂત્રો કહેવા. વ્યાખ્યા આ પ્રમાણે જાણવી-પુષ્પદંત નવમાં તીર્થકર, આનત કલ્પથી ઓગણીશ સાગરોપમની સ્થિતિવાળા દેવમાંથી ફાલ્ગન કૃષ્ણ નવમીએ મૂળ નક્ષત્રને વિષે ચવ્યા,
વીને કામંદી નગરીને વિષે સુગ્રીવ નૃપની રામા નામની ભાર્યાની કુક્ષીમાં ગર્ભપણાએ ઉત્પન્ન થયા ૧, મૂળ નક્ષત્રમાં માગશર 'કૃષ્ણ પંચમીએ જન્મ્યા ૨, મૂળ નક્ષત્રમાં જ્યેષ્ઠ સુદિ પ્રતિપદાએ (મતાંતરથી માગશર વદ છઠ્ઠને વિષે) દીક્ષિત થયા ૩, મૂળ નક્ષત્રમાં જ કાર્તિક શુક્લ તૃતીયાને દિવસે કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ૪, આશ્વિન શુક્લ નવમીએ (મતાંતરે વૈશાખ વદિ છઠ્ઠને વિષે) નિર્વાણ પામ્યા. ૫. શીતલનાથ દશમા તીર્થંકર પ્રાણત કલ્પથી વીશ સાગરોપમની સ્થિતિવાળા દેવમાંથી વૈશાખ વદિ છઠ્ઠને દિવસે પૂર્વાષાઢા નક્ષત્રને દિવસે ચવ્યા, ચ્યવીને ભલિપુરને વિષે દૃઢરથ નૃપતિની નંદા નામની ભાર્યાની કુક્ષીમાં ગર્ભપણાએ ઉત્પન્ન થયા, પૂર્વાષાઢા નક્ષત્રમાં જ માઘ કૃષ્ણ દ્વાદશીને વિષે જન્મ્યા, પૂર્વાષાઢામાં જ માઘ કૃષ્ણ દ્વાદશીએ દીક્ષિત થયા, પૂર્વાષાઢામાં જ પૌષ શુક્લપક્ષમાં મતાંતર વડે બહુલ (વદિ) પક્ષમાં ચતુર્દશીએ કેવલજ્ઞાન ઉત્પન્ન થયું, તથા તે જ નક્ષત્રમાં શ્રાવણ શુક્લ પંચમીએ મતાંતરથી શ્રાવણ કૃષ્ણ દ્વિતીયાને દિને) મોક્ષ પામ્યા. એવી રીતે ત્રણ ગાથામાં કહેલા શેષ તીર્થકરો સંબંધી સૂત્રોને પ્રથમાનુયોગના પદને અનુસાર યોજના કરીને વ્યાખ્યા કરવી. વિશેષ એ કે-ચૌદ સૂત્રને વિષે પાઠભેદ છે તેને દેખાડવા માટે કહે છે–“સમને'ત્યાદ્રિ હસ્ત નક્ષત્ર વડે ઓળખાતી ઉત્તરા અથવા હસ્તનક્ષત્ર છે જેની ઉત્તરમાંપાછળ તે હસ્તોત્તરા અર્થાત્ ઉત્તરાફાલ્ગની. ચ્યવન, ગર્ભહરણાદિ પાંચને વિષે હસ્તોત્તરા નક્ષત્ર છે જેને તે પંચહસ્તોત્તર (મહાવીર) ન્મારો' ગર્ભસ્થાનની બ્લ' ત્તિ ગર્ભને વિષે-અન્ય ગર્ભસ્થાનમાં સંહત-સંહરણ કરાયા અને નિવૃતતુ' સ્વાતિ નક્ષત્રમાં કાર્તિક અમાવસ્યાને વિષે નિર્વાણ પામ્યા. ૪૧૧//
| પાંચમા સ્થાનકનો પહેલો ઉદેશો સમાસ ||
1. વર્તમાનમાં ભગવાનની કલ્યાણક તિથિઓ લખવામાં જે શાસ્ત્રીય મિતિઓ છોડીને ગુજરાતી મિતિઓ જ લખાય છે તે શાસ્ત્રીય દૃષ્ટિએ યોગ્ય નથી, (સં.)
–
31